Maharashtra: બાંદ્રા મહારાષ્ટ્રનો પ્રથમ કોવિડ -19 મુક્ત જિલ્લો બન્યો, અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા

મહારાષ્ટ્રનો બાંદ્રા રાજ્યનો પ્રથમ કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. શુક્રવારે અહીં અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ઉપરાંત, શહેરમાં શુક્રવારે તપાસ માટે આપવામાં આવેલા તમામ 578 કેસ નેગેટિવ આવ્યા છે.

Maharashtra: બાંદ્રા મહારાષ્ટ્રનો પ્રથમ કોવિડ -19 મુક્ત જિલ્લો બન્યો, અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા
bhandara is the first district in maharashtra to become covid free
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 10:41 AM

Maharashtra:  બાંદ્રા મહારાષ્ટ્રનો પહેલો જિલ્લો બની ગયો છે, જ્યાં કોરોના વાયરસનો એક પણ એક્ટિવ કેસ (Active Case) નથી. શુક્રવારે અહીં અંતિમ કોરોના દર્દીને રજા આપવામાં આવી છે. સાથે જ, શુક્રવારે પરીક્ષણ કરાયેલા 578 નમૂનાઓમાંથી એક પણ નમૂનો પોઝિટિવ (Positive) સામે આવ્યો નથી.

જિલ્લા કલેક્ટર(District Collector)  સંદીપ કદમે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના (Heath Department) કર્મચારીઓના સંયુક્ત પ્રયાસો દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે,બાંદ્રા જિલ્લામાં(Bandra district)  ગારડા બુદ્રુક ગામમાં ગત વર્ષે 27 એપ્રિલે પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો.

કોરોનાથી પ્રથમ મૃત્યુ 2 જુલાઈ 2020 ના રોજ થયું હતું

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

આ વર્ષે 12 એપ્રિલના રોજ જિલ્લામાં મહત્તમ 1596 નવા કેસ નોંધાયા હતા.ઉપરાંત, જિલ્લામાં 18 એપ્રિલના રોજ સૌથી વધુ 12,847 એક્ટિવ દર્દીઓ હતા. આપને જણાવવું રહ્યું કે,રાજ્યમાં 12 જુલાઈ 2020 ના રોજ જિલ્લામાં કોરોના વાયરસને (Corona Virus) કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. ઉપરાંત 1 મે ના રોજ જિલ્લામાં મહત્તમ 35 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી લગભગ 1133 દર્દીઓના મોત થયા છે.

જિલ્લા કલેક્ટર (District Collector) સંદીપ કદમે આપેલી માહિતી અનુસાર, ચાલુ વર્ષે 18 એપ્રિલના રોજ 12,847 એક્ટિવ દર્દીઓ સામે આવ્યા બાદ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો હતો.જ્યારે 22 એપ્રિલના રોજ મહત્તમ 1568 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

રિકવરી રેટ 98.11 ટકા સુધી પહોંચ્યો

જિલ્લામાં રિક્વરી રેટની વાત કરવામાં આવે તો, 19 એપ્રિલના રોજ રિકવરી રેટ 9Recovery Rate) ઘટીને 62.58 પર આવી ગયો હતો. પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતા આ આંકડો 98.11 સુધી પહોંચ્યો છે. આપને જણાવવું રહ્યું કે, 12 એપ્રિલે કોરોના એક્ટિવ કેસનો દર સૌથી વધુ 55.73 ટકા હતો, જે હવે ઘટીને 0 પર આવી ગયો છે. સાથે જ જિલ્લામાં મૃત્યુદર 1.89 ટકા જેટલો નોંધાયો છે.

જ્યારે,અત્યાર સુધીમાં જિલ્લામાં 4,49,832 કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવ્યા છે. તેમાંથી 59,809 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. અને 58,776 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લાની 9.5 લાખ વસ્તીના 40 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 15 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Mumbai: બોમ્બ ધમકીના કોલથી રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારવામાં આવી

આ પણ વાંચો: Maharashtra: સાર્વજનિક સ્થળો પર થૂંકનારા 19000 હજાર લોકો ઝડપાયા, BMCએ 39 હજારના દંડની વસુલાત કરી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">