ગુલાબ બાદ શાહીનનું સંક્ટ ! મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

અરબી સમુદ્રમાંથી ઉદ્દભવી રહેલા આ શાહીન વાવાઝોડાની (Cyclone Shaheen) મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર થવાની સંભાવના છે.

ગુલાબ બાદ શાહીનનું સંક્ટ ! મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 2:30 PM

Maharashtra : મહારાષ્ટ્રમાં ગુલાબ ચક્રવાતે ભારે તબાહી મચાવી છે. બુધવારે ભારે વરસાદ બાદ મરાઠવાડા, વિદર્ભ, મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારો પૂરની સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગના (Metrological Department) જણાવ્યા અનુસાર ચક્રવાત ગુલાબ હવે નબળુ પડ્યુ છે. પરંતુ નવા ચક્રવાતી તોફાન શાહીનને કારણે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

આગાહીને પગલે હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યુ છે. IMD અનુસાર, શાહીનની અસર ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પડી શકે છે. અરબી સમુદ્રમાંથી ઉદ્દભવી રહેલા આ શાહીન વાવાઝોડાની (Cyclone Shaheen) મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર થવાની સંભાવના છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 436 લોકોએ જીવ ગુમાવ્યા છે

મહારાષ્ટ્રમાં આ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 436 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ભારે આર્થિક નુકસાન પણ થયું છે. જો કે, વરસાદ હજુ પણ અવિરત ચાલુ છે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના (Maharashtra) મોટાભાગના વિસ્તારોમાં ગુરુવારે ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. છેલ્લા ત્રણ દિવસથી મરાઠવાડા અને વિદર્ભમાં વરસાદના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુલાબ ચક્રવાતની અસરને કારણે વરસાદ (Heavy Rains) થઈ રહ્યો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.

196 લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા

રાજ્યના રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારના જણાવ્યા અનુસાર, આ 436 લોકોમાંથી 196 લોકોના વીજળી પડવાથી મૃત્યુ થયા હતા. બાકીના લોકો પૂર, મકાન ધરાશાયી, ભૂસ્ખલન વગેરેને કારણે મૃત્યુ પામ્યા છે. તેમના મતે, માત્ર સપ્ટેમ્બર મહિનામાં (September Month) જ 71 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ચોમાસાની શરૂઆત પહેલા મેના અંતમાં અરબી સમુદ્રમાં આવેલા તાઉતે ચક્રવાતને કારણે 86 લોકોના મુત્યુ થયા હતા.

વધુમાં મંત્રી વડેટ્ટીવારે જણાવ્યુ હતુ કે, હજુ પણ રાજ્યના 127 વિસ્તારો એવા છે જ્યાં વરસાદ (Rains) બેકાબુ થયો છે. ભારે વરસાદને પગલે ઘણી જગ્યાએ રસ્તાઓને નુકસાન થયુ છે, ઉપરાંત વીજ થાંભલા પડી જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Maharashtra: વરસાદ અને પૂરે મચાવી તબાહી! 436 લોકોએ જીવ ગુમાવ્યા, ખેતી ધોવાઈ ગઈ

આ પણ વાંચો: Leopard Attack LIVE: હુમલાખોર દીપડા સાથે જાંબાઝ દાદીએ ભીડી બાથ, અને પછી થયું કંઈક આવું, જુઓ Video

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">