દમણમાં રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે કર્યો પ્રચાર, કહ્યુ અમારી સરકાર આવશે તો પ્રફુલ પટેલને એક મિનિટમાં આઉટ કરી દઈશુ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આજે સંઘ પ્રદેશ દમણમાં જાહેરસભા સંબોધી. શનિવારે વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે આજે રાહુલ ગાંધીએ દમણમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ માટે પ્રચાર કર્યો. આ તકે તેમણે દમણના પ્રશાસક પ્રફુલ પટેલને આડે હાથ લીધા અને એકબાદ એક શાબ્દિક ચાબખા માર્યા હતા.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 28, 2024 | 8:12 PM

ગુજરાતમાં 7 મી મેએ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનુ છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દ્વારા ગુજરાતમાં પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે પ્રિયંકા ગાંધીએ વલસાડમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે આજે સંઘપ્રદેશ દમણમાં રાહુલ ગાંધીની જાહેરસભા યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે પ્રચાર કર્યો. રાહુલે દમણના પ્રશાસક પ્રફુલ પટેલને તેમના શબ્દોના બાણથી જાણે ધોઈ નાખ્યા હતા  અને એક જુજારુ નેતાની જેમ પ્રફુલ પટેલ પર એક બાદ એક ચાબખા મારતા જોવા મળ્યા હતા.

“પ્રફુલ પટેલ રાજાની જેમ વર્તે છે, પહેલા તો તેને અહીંથી ભગાડો”

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને પ્રફુલ પટેલ પર વાર કર્યો કે નરેન્દ્ર મોદીએ પ્રફુલ પટેલને રાજાની જેમ તમારા માથા પર બેસાડી રાખ્યા છે. પ્રફુલ પટેલ અહીંના પ્રશાસકની જેમ નહીં, રાજાની જેમ વર્તે છે. પહેલા આ કિલ્લામાં રાજા બેસતા એવી જ રીતે પ્રફુલ પટેલને બેસાડી દેવાયા છે. આ રાજાને દિલ્હીથી બેસાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યુ છે તમે રાજા છો જે કરવુ હોય તે કરી શકો છો. પ્રફુલ પટેલને લોકોના ઘર તોડવાની અને અન્ય તમામ છૂટ આપવામાં આવી છે. તેને અહીંથી ભગાડો અને કેતન પટેલને જીતાડો.

“RSS અને ભાજપ બંધારણને ખતમ કરવા માગે છે “

રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર પ્રહાર કર્યા. રાહુલે કહ્યુ લોકશાહી અને વિવિધ સંસ્થાઓનો નાશ થઈ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે વાઈસ ચાન્સેલરના પદ પર આરએસએસના લોકોને નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે એ લોકોનું લક્ષ્ય છે કે સંવિધાનને કોઈને કોઈ રીતે ખતમ કરવામાં આવે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

“નરેન્દ્ર મોદી 20,22 અબજપતિઓની મદદ કરી રહ્યા છે”

રાહુલ ગાંધીએ કહ્યુ જો કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો પ્રફુલ પટેલને અહીંથી આઉટ કરી દેવામાં આવશે. પ્રફુલ પટેલની દાદાગીરી ખતમ કરી દેવામાં આવશે. રાહુલે હળવા અંદાજમાં કહ્યુ કે મોદીજીએ તમારો મૂડ ખરાબ નાખ્યો છે તે હું ઠીક કરવા આવ્યો છુ. રાહુલ ગાંધીએ કહ્યુ ભાજપમાં એવા જ લોકો સામેલ છે જે અનામતની વિરુદ્ધ હતા. નરેન્દ્ર મોદી 20-22 અબજપતિઓની મદદ કરી રહ્યા છે. દમણમાં બનેલા સુંદર બીચ પર પણ અદાણીનું નામ હશે. એ ઈચ્છે છે કે અહીં પ્રવાસી આવે તો તમારો ફાયદો ન થાય. તમારા બીચ પર, ઍરપોર્ટ પર અદાણીનું નામ હોય. જે પણ અહીં વેચાય છે તે અદાણી અને અંબાણી વેચે અને તમે જોતા રહો.

‘તમારા કલ્ચરનું રક્ષણ થવુ જોઈએ’

રાહુલે કહ્યુ તમારો ઈતિહાસ છે, કલ્ચર છે તેની રક્ષા થવી જોઈએ, તે પ્રફુલ પટેલ ન કરી શકે,. તમને અધિકાર મળવો જોઈએ. તમારે પોતાની સિસ્ટમ ચલાવવી જોઈએ.

“એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ એક વર્ષની નોકરી આપવામાં આવશે”

રાહુલે કહ્યુ ચૂંટણી ઢંઢેરા અંગે કહેવામાં આવ્યું હતું કે મહિલાઓના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા આવશે. સ્નાતક થયા પછી બેરોજગાર હોય તેવા યુવાનોને એક વર્ષ માટે ખાનગી કંપનીમાં નોકરી આપવામાં આવશે અને તેમને દર વર્ષે ₹100,000 આપવામાં આવશે અને તેમને તાલીમ આપવામાં આવશે.

“માછીમારોને ડીઝલ પર મળતી સબસિડી બંધ કરાઈ છે જે ફરી શરૂ કરાશે”

ખેડૂતો અંગે તેમણે કહ્યું કે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને ખેડૂતોને તેમના અનાજના યોગ્ય ભાવ મળશે. આંગણવાડી અને આશા વર્કરોના પગાર બમણા કરવામાં આવશે. મનરેગા હેઠળ ₹200 થી ₹400 આપવામાં આવશે. માછીમારો માટે ડીઝલ પર સબસિડી શરૂ કરવામાં આવશે. આ સાથે રાહુલ ગાંધીએ અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી હતી.

આ પણ વાંચો: રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ કરી રાજા મહારાજાઓ વિરુદ્ધ વિવાદી ટિપ્પણી- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">