AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માણસાઈ મરી પરવારી ? મહારાષ્ટ્રમાં દિવ્યાંગ મહિલાની માટીના વાસણોની દુકાન પર ફરી વળ્યું બુલડોઝર, હચમચાવી દેશે આ વીડિયો

છત્રપતિ સંભાજીનગરમાં અતિક્રમણ હટાવવાના નામે મ્યુનિસિપલ કોર્પોરેશને એક દિવ્યાંગ મહિલાની આખી દુકાન તબાહ કરી નાખી. ભીની આંખે વાસણો વીણતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.

માણસાઈ મરી પરવારી ? મહારાષ્ટ્રમાં દિવ્યાંગ મહિલાની માટીના વાસણોની દુકાન પર ફરી વળ્યું બુલડોઝર, હચમચાવી દેશે આ વીડિયો
| Updated on: May 12, 2026 | 4:05 PM
Share

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતિક્રમણ હટાવવાની ઝુંબેશ દરમિયાન એક દિવ્યાંગ મહિલાની માટીના વાસણોની નાનકડી દુકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કોણ છે અર્ચના પારખે?

આ દુકાન અર્ચના પારખે નામની મહિલા ચલાવે છે, જેઓ બંને હાથે દિવ્યાંગ છે અને બરાબર બોલી કે જોઈ શકતા નથી. તેઓ પોતાના પરિવાર સાથે મળીને મહિનાઓની મહેનતથી માટીના વાસણો બનાવે છે અને તેને રસ્તા કિનારે વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આખું કુટુંબ આ એકમાત્ર કમાણી પર નિર્ભર હતું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેસીબી બુલડોઝર નિર્દયતાથી માટીના વાસણોને કચડી રહ્યું છે. દિવ્યાંગ અર્ચના ગભરાયેલી હાલતમાં પોતાના તૂટેલા વાસણોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના ચહેરા પરની લાચારી અને આંખોમાં રહેલા આંસુ કોઈ પણ પથ્થર દિલના માણસને હચમચાવી દે તેવા છે. જે વાસણો બનાવવામાં મહિનાઓ લાગ્યા હતા, તેને અધિકારીઓએ મિનિટોમાં માટીમાં ફેરવી દીધા.

રાજકીય અને સામાજિક પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ આ વીડિયો શેર કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે, “જે સરકારો મોટા ઉદ્યોગપતિઓને હજારો એકર જમીન મફતના ભાવે આપે છે, તેમને ગરીબો પ્રત્યે આટલી નફરત કેમ છે? જો વિકાસ આટલો ક્રૂર હોય તો તેના પર ફિટકાર છે.” તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ટેગ કરીને દોષિતો સામે પગલાં લેવા અને મહિલાને સરકારી નોકરી આપવા માંગ કરી છે.

સોશિયલ મીડિયા પર ઉઠ્યો રોષ

સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટના જોઈને ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “પ્રાણીઓમાં પણ દયા હોય છે, તમે તો માણસ છો! ગરીબ મહિલાને થોડો સમય આપવો જોઈતો હતો.” ઘણા સામાજિક કાર્યકરોએ અર્ચના પારખે માટે વળતર અને પુનઃવસનની માંગ ઉઠાવી છે.

આ ઘટનાએ ફરી એકવાર વહીવટી તંત્રની કાર્યશૈલી અને માનવીય સંવેદનાઓ પર સવાલો ઉભા કર્યા છે. અતિક્રમણ હટાવતી વખતે શું તંત્રએ આટલી હદે નિર્દય બનવું જોઈએ કે કોઈની જીવવાની આશા જ છીનવાઈ જાય?

બેંકમાં ક્યારે હોય છે લંચ ટાઈમ? 90 મિનિટ સુધી કામ અટકતા ગ્રાહકે પૂછ્યો આકરો સવાલ, જાણો બેંકે શું આપ્યો જવાબ

Follow Us
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન
ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમી, અનેક શહેરોમાં 44 ડિગ્રીને પાર તાપમાન
ગૃહિણીઓ મસાલાનો સ્ટોક કરતા પહેલા ચેતી જજો
ગૃહિણીઓ મસાલાનો સ્ટોક કરતા પહેલા ચેતી જજો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
g clip-path="url(#clip0_868_265)">