આજથી હડતાળ પર મહારાષ્ટ્રના 8000 રેસિડેન્ટ ડોક્ટરો, હોસ્પિટલોમાં કામ બંધ, દર્દીઓને થશે ભારે હાલાકી

મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ આજે ​​સાંજે 5 વાગ્યે હડતાળની જાહેરાત કરી છે. લગભગ 8000 ડોક્ટરો હડતાળ પર જઈ શકે છે. જેના કારણે મહારાષ્ટ્રમાં દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રેસિડેન્ટ ડોક્ટરોએ રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખીને આ અંગેની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ હડતાળ દરમિયાન દર્દીઓને જે તકલીફ પડશે તેની જવાબદારી સરકારની રહેશે. જાણો ડોક્ટરોની હડતાળનું કારણ

આજથી હડતાળ પર મહારાષ્ટ્રના 8000 રેસિડેન્ટ ડોક્ટરો, હોસ્પિટલોમાં કામ બંધ, દર્દીઓને થશે ભારે હાલાકી
resident doctors on strike
Follow Us:
| Updated on: Feb 22, 2024 | 12:36 PM

મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળની જાહેરાત કરી છે. નોટિસ જાહેર કરીને ડોક્ટરોએ કહ્યું કે, મહારાષ્ટ્રના નિવાસી ડોક્ટરો 22મી ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી હડતાળ પર ઉતરશે. જો કે ઈમરજન્સી દર્દીઓ ડોકટરો દ્વારા જોવામાં આવશે, પરંતુ અન્ય દર્દીઓને પડતી તકલીફો માટે સરકાર જવાબદાર રહેશે.

MARD (Maharashtra Association of Resident Doctors)ના પ્રમુખ ડૉ. અભિજીત હેલગેએ આ માહિતી આપતી નોટિસ જાહેર કરી અને જણાવ્યું કે, તેઓ કેન્દ્ર સરકારથી કેમ નિરાશ છે. જાણો મહારાષ્ટ્રમાં 8000 રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પાછળનું કારણ.

આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ

શું છે ડોકટરોની માગ?

રેસિડેન્ટ ડોક્ટરોએ બુધવારે અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, 22મી ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ થશે. આ હડતાળનું કારણ સમજાવતા MARDના પ્રમુખ ડૉ. અભિજીત હેલગેએ જણાવ્યું હતું કે, રાજ્યભરના રેસિડેન્ટ ડૉક્ટરો વધુ સારી છાત્રાલયો, સ્ટાઇપેન્ડમાં વધારો અને બાકી લેણાંની ચુકવણીની માગણી સાથે હડતાળ કરશે.

મંત્રીને લખેલો પત્ર

રેસિડેન્ટ ડોક્ટરોએ તેમની માંગણીઓને લઈને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. ત્રણ પાનાના લાંબા પત્રમાં તેમણે લખ્યું હતું કે, “અમે સેન્ટ્રલ MARD, રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરોની પ્રતિનિધિ સંસ્થા, મહારાષ્ટ્ર રાજ્યના રેસિડેન્ટ ડોક્ટરોને આપેલા વચનો પૂરા કરવા પ્રત્યે ગંભીરતાના અભાવથી અત્યંત નિરાશ છે.

(Credit Source : ANI)

અમને ખાતરી આપવામાં આવી હતી કે, અમારી માંગણીઓ બે દિવસમાં પૂરી કરવામાં આવશે, પરંતુ બે અઠવાડિયા પછી પણ અમારી માંગણીઓ પર કોઈ પ્રગતિ થઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમે અગાઉ પણ સરકારના શબ્દોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઘણી વખત અમારી હડતાળ પાછી ખેંચી હતી.

અમારી ચિંતાઓ અવગણવામાં આવી હતી

આરોગ્ય મંત્રીને મોકલવામાં આવેલા પત્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ લખ્યું છે કે, અમારી અનેક વિનંતીઓ છતાં અમારી ચિંતાઓને અવગણવામાં આવી છે. આ કારણે તેમણે કહ્યું કે, અમારી પાસે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

દર્દીઓની સમસ્યા માટે સરકારની જવાબદારી

રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર જવાના કારણે મહારાષ્ટ્રની આરોગ્ય સેવાઓમાં ઘણી મુશ્કેલી પડી શકે છે. જેના કારણે ડોક્ટરોએ પહેલા પત્રમાં દર્દીઓની માફી માંગી અને વધુમાં કહ્યું કે તેઓ ઈમરજન્સી કેસની તપાસ કરશે. પરંતુ દર્દીઓની દેખભાળમાં કોઈ સમસ્યા હશે તો તેની જવાબદારી સરકારની રહેશે.

Latest News Updates

ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
g clip-path="url(#clip0_868_265)">