સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લુ, પ્રવાસીઓએ કરવું પડશે નિયમોનું પાલન
આખરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલવાની તારીખ નક્કી થઇ ગઇ છે. લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી શરૂ થશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિકોમાં ખુશીની લહેર ફરી વળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નાના મોટા ધંધા રોજગાર દ્વારા જીવન ગુજરાન ચલાવતા દુકાનદારો અને વેપારીઓને હવે રોજગારની આશા બંધાઇ છે. પ્રવાસીઓ આવશે […]
આખરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલવાની તારીખ નક્કી થઇ ગઇ છે. લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી શરૂ થશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિકોમાં ખુશીની લહેર ફરી વળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નાના મોટા ધંધા રોજગાર દ્વારા જીવન ગુજરાન ચલાવતા દુકાનદારો અને વેપારીઓને હવે રોજગારની આશા બંધાઇ છે. પ્રવાસીઓ આવશે અને ફરી એકવાર ટુરિઝિમને વેગ મળશે. જેનો સીધો લાભ નાના-મોટા વ્યવસાયકારોને થશે. સ્થાનિકોનું માનવું છે કે 7 મહિનાથી પ્રવાસીઓની ગેરહાજરીને પગલે તેઓના ધંધા ઠપ થયા હતા. જોકે હવે નવી આશા સાથે નવા યુગની શરૂઆત થશે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલવાની સાથે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનનું પણ પાલન કરવું પડશે.
આ પણ વાંચો: સવારે ઉઠીને આ પીણાં પીવાથી શરીરને થશે ભરપૂર ફાયદો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો