ન્યૂઝીલેન્ડના પ્રવાસ પહેલાં આ કારણે કપ્તાન વિરાટ કોહલી નારાજ, જાણો વિગત
ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસ પહેલાં કોહલીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી અને પોતાની નારાજગી પણ દર્શાવી હતી. તેઓએ સમયને લઈને ફરિયાદ કરી છે અને કહ્યું કે તેઓ ન્યૂઝીલેન્ડની સામે કોઈ જ બદલો લેવા માગતા નથી. તેઓ ટી-20 મેચને જીતવા માગે છે. આ સિવાય તેઓએ ન્યૂઝીલેન્ડની ટીમના વખાણ પણ કર્યા હતા. […]
ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસ પહેલાં કોહલીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી અને પોતાની નારાજગી પણ દર્શાવી હતી. તેઓએ સમયને લઈને ફરિયાદ કરી છે અને કહ્યું કે તેઓ ન્યૂઝીલેન્ડની સામે કોઈ જ બદલો લેવા માગતા નથી. તેઓ ટી-20 મેચને જીતવા માગે છે. આ સિવાય તેઓએ ન્યૂઝીલેન્ડની ટીમના વખાણ પણ કર્યા હતા.
આ પણ વાંચો : કાશ્મીર મુદે મધ્યસ્થી કરવા અંગે ટ્રંપને ભારતે આપ્યો આ જવાબ, જાણો વિગત
કોહલીની શું છે ફરિયાદ? ન્યૂઝીલેન્ડના વિવિધ શહેરોમાં ત્રણેય ક્રિકેટના ફોર્મેટમાં મેચ રમાવા જઈ રહી છે. આ અંગે ભારતીય ટીમના કપ્તાને ફરિયાદ કરી છે. તેઓએ કહ્યું છે કે ન્યૂઝીલેન્ડની ટીમ ત્યાંના સ્થાનિક મેદાનમાં ક્યાં બોલ જશે તેનાથી વાકેફ છે. જ્યારે ભારતની ટીમે સફર કરીને રમવા માટે જવાનું છે. આ સિવાય કોહલીની જે મુખ્ય ફરિયાદ જોવા મળી તે સમયને લઈને છે. તેઓેએ કહ્યું કે 10 દિવસમાં 5 મેચ રાખવામાં આવ્યા છે. આ મેચ અલગ અલગ શહેરમાં હોવાથી ટીમે ટ્રાવેલ પણ કરવાનું છે. વિરાટે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઉભી ના થાય.
કોણ કરશે વિકેટ કીપિંગ? ઋષંભ પંત વિકેટ કીપિંગ કરતાં જોવા મળતા હોય છે જો કે આ વખતે મેચમાં કેએલ રાહુલ જોવા મળશે તેવી સ્પષ્ટતા વિરાટ કોહલીએ કરી છે. આમ ટીમમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. જો કે કોહલીએ સમયને લઈને નારાજ જોવા મળ્યા હોય એવું જણાઈ આવ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]