અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનોની સ્પીડ વધશે, મુસાફરોને 1 કલાકના સમયની થશે બચત
દેશમાં હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ રેલવેએ અમદાવાદ-મુંબઈ સહિત કેટલાક રૂટ પર સેમી હાઈસ્પીડ ટ્રેનો દોડાવવાની કવાયત હાથ ધરી છે. હાલમાં 80થી 110 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનોની સ્પીડ વધારી 130થી 160 કિલોમીટર કરાશે. ટ્રેનોની સ્પીડ વધતા પેસેન્જરોનો મુસાફરીનો સમય ઓછો થશે. અમદાવાદથી મુંબઈ પહોંચવામાં પેસેન્જરોનો અડધાથી એક કલાક સુધીનો સમય બચશે. રેલવે ટ્રેક […]
દેશમાં હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ રેલવેએ અમદાવાદ-મુંબઈ સહિત કેટલાક રૂટ પર સેમી હાઈસ્પીડ ટ્રેનો દોડાવવાની કવાયત હાથ ધરી છે. હાલમાં 80થી 110 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનોની સ્પીડ વધારી 130થી 160 કિલોમીટર કરાશે. ટ્રેનોની સ્પીડ વધતા પેસેન્જરોનો મુસાફરીનો સમય ઓછો થશે. અમદાવાદથી મુંબઈ પહોંચવામાં પેસેન્જરોનો અડધાથી એક કલાક સુધીનો સમય બચશે. રેલવે ટ્રેક મજબૂત કરવાની સાથે રૂટ પર આવતા તમામ રેલવે ક્રોસિંગ બંધ કરી ઓવરબ્રિજ કે અંડર બ્રિજ તૈયાર કરશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ-મુંબઈ ઉપરાંત મુંબઈ-દિલ્હી અને દિલ્હી-કોલકાતા રૂટ પર દોડતી ટ્રેનોની સ્પીડ વધારી 130થી 160 કિલોમીટરની કરાશે. લૉકડાઉન દરમિયાન ટ્રેક સુધારણા કાર્યક્રમનો ઝડપી અમલ કરાયો છે. તમામ કામગીરી 2024 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ રૂટ પર દોડતી શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનોની ઝડપ વધારવામાં આવશે.
આ પણ વાંચો: દિવાળીની રજાઓ દરમિયાન સતત મળતી રહેશે મેડિકલ સેવાઓ, કોરોનાને પગલે તમામ હેલ્થ સેન્ટરો રહેશે ચાલું
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો