ફેમિલી પેન્શન શું છે ? જાણો આ પેન્શન મેળવવા માટે કોણ હકદાર છે
એવી ઘણી યોજનાઓ છે, જેમાં લોકો રોકાણ કરીને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરે છે. આમાં ફેમિલી પેન્શન પણ છે. ત્યારે આ લેખમાં ફેમિલી પેન્શન શું છે ? કુટુંબના કયા સભ્યોને ફેમિલી પેન્શન મેળવવા માટે હકદાર છે અને તેના માપદંડ શું છે તેના વિશે જાણીશું.
કોઈપણ પરિવાર માટે નાણાકીય સ્થિરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભવિષ્યમાં લોકોને પૈસાના કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેથી લોકો પેન્શનની વ્યવસ્થા અગાઉથી જ કરી લે છે અને અન્ય જગ્યાએ પણ રોકાણ કરતા હોય છે. પેન્શનની વાત કરીએ તો આ માટે ભારત સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે.
એવી ઘણી યોજનાઓ છે, જેમાં લોકો રોકાણ કરીને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરે છે. આમાં ફેમિલી પેન્શન પણ છે. ત્યારે આ લેખમાં ફેમિલી પેન્શન શું છે ? કુટુંબના કયા સભ્યોને ફેમિલી પેન્શન મેળવવા માટે હકદાર છે અને તેના માપદંડ શું છે તેના વિશે જાણીશું.
ફેમિલી પેન્શન શું છે ?
60 વર્ષ પછી કોઈપણ સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને પેન્શન આપવાની જોગવાઈ છે. કર્મચારીઓના પગારમાંથી 12% DA દર મહિને તેમના પેન્શન ફંડમાં જમા થાય છે અને તેટલું જ યોગદાન એમ્પ્લોયર દ્વારા પણ આપવામાં આવે છે. નિવૃત્તિ પછી પેન્શન નિશ્ચિત રકમના રૂપમાં આપવામાં આવે છે. પરંતુ આ દરમિયાન જો કોઈ કારણસર કર્મચારીનું મૃત્યુ થાય તો પરિવારના સભ્યને પેન્શન આપવામાં આવે છે અને તેને ફેમિલી પેન્શન કહેવામાં આવે છે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓના નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી કોઈ કંપનીમાં 10 વર્ષ સુધી કામ કરે છે. તેથી તે પેન્શન મેળવવા માટે હકદાર છે અને જો તે આ સમયગાળા દરમિયાન મૃત્યુ પામે છે. તો તેના પરિવારને ફેમિલી પેન્શન આપવામાં આવે છે.
ફેમિલી પેન્શન કોને મળે છે ?
ફેમિલી પેન્શન આપવા માટે EPFO દ્વારા નિર્ધારિત માપદંડ મુજબ, કર્મચારીના મૃત્યુ પછી તેની પત્ની અથવા પતિને ફેમિલી પેન્શન આપવાની જોગવાઈ છે. જો કે, આમાં બે બાળકોને પણ લાભ આપવામાં આવે છે. જો બાળકોની ઉંમર 25 વર્ષથી ઓછી હોય. તો આવી સ્થિતિમાં બંને બાળકોને પેન્શનમાં 25-25 ટકા હિસ્સો આપવામાં આવે છે. તો પત્નીને 50 ટકા હિસ્સો આપવામાં આવે છે.
જ્યારે કર્મચારીના મૃત્યુ બાદ તેનો સાથી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે છે. તો બાળકોને આપવામાં આવતું પેન્શન 75 ટકા થઈ જાય છે. જે તેમને 25 વર્ષની ઉંમર સુધી આપવામાં આવે છે. જો કોઈ કર્મચારીના બાળકો શારીરિક રીતે સક્ષમ ના હોય તો તેમને જીવનભર 75 ટકા પેન્શન આપવામાં આવે છે. જ્યારે જો કોઈ કર્મચારી અપરણિત હોય અને મૃત્યુ પામે તો આવા કેસમાં તેના માતા-પિતાને જીવનભર તેનું સંપૂર્ણ પેન્શન આપવામાં આવે છે.