વાસ્કો દ ગામાએ નહોતી કરી ભારતની શોધ, જાણો કેવી રીતે થઈ ભારતની શોધ
વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી હોવાનું ભારતમાં બાળકોને ભણાવવામાં આવે છે તે ખરેખર મૂર્ખતા છે. કારણ કે, પ્રાચીન ગ્રીક અને રોમન સાહિત્યમાં ભારતનો ઉલ્લેખ છે. તેથી એવું શીખવવું જોઈએ કે વાસ્કો દ ગામાએ યુરોપને પહેલીવાર ભારત સુધી પહોંચવા માટે દરિયાઈ માર્ગ શોધી આપ્યો હતો.

યુરોપ અને ભારત વચ્ચેના દરિયાઈ માર્ગની શોધ વાસ્કો દ ગામાએ કરી એ વાત તો સાચી છે, પરંતુ તેમણે ભારતની શોધ કરી એવો દાવો ઐતિહાસિક રીતે સાચો નથી. ભારત એક પ્રાચીન અને વિકસિત સભ્યતા હતી, જેનો ઇતિહાસ અને વ્યાપારી સંબંધો હજારો વર્ષોથી વિશ્વના વિવિધ ભાગો સાથે જોડાયેલા હતા. ત્યારે આ લેખમાં વાસ્કો દ ગામાની ભારત યાત્રા અને ભારતની શોધની વાસ્તવિકતા વિશે જાણીશું. ભારતનો પ્રાચીનકાળ અને વેપારી સંબંધો ભારત એક એવો દેશ છે, જેની સભ્યતાનો ઈતિહાસ 5000 વર્ષથી વધુ જૂનો છે. આ પ્રદેશ સિંધુ ખીણની સંસ્કૃતિ, વૈદિક યુગ અને મૌર્ય, ગુપ્ત અને ચોલ સામ્રાજ્યો માટે જાણીતો છે. ભારત પ્રાચીન સમયથી વેપાર અને સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. ભારતના મસાલા, સિલ્ક, કોટન અને જ્વેલરીની પર્શિયા, ગ્રીસ, રોમ અને આરબ દેશોમાં માંગ હતી. function loadTaboolaWidget() { ...
