Pasang Dawa Sherpa: 46 વર્ષીય નેપાળી શેરપાએ 26મી વખત એવરેસ્ટ પર વિજય મેળવ્યો, જાણો કેવી રીતે બનાવ્યો રેકોર્ડ

|

May 15, 2023 | 4:15 PM

Pasang Dawa Sherpa: જો તમે એવરેસ્ટ(Everest) વિજેતાઓના રેકોર્ડ્સ પર નજર નાખો, તો તમે જોશો કે શેરપાઓ આમાં નિષ્ણાત છે. જાણો, આખરે, કોણ છે શેરપા અને કેવી રીતે તેઓ વિશ્વના સૌથી ઊંચા શિખર પર પહોંચીને રેકોર્ડ બનાવે છે.

Pasang Dawa Sherpa: 46 વર્ષીય નેપાળી શેરપાએ 26મી વખત એવરેસ્ટ પર વિજય મેળવ્યો, જાણો કેવી રીતે બનાવ્યો રેકોર્ડ
Pasang Dawa Sherpa
Image Credit source: WGBH

Follow us on

46 વર્ષીય નેપાળી પસાંગ દાવા શેરપાએ એક રેકોર્ડ બનાવ્યો છે. તેણે રવિવારે 26મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને ઈતિહાસ રચ્યો છે. પસાંગે પ્રથમ વખત 1998માં 8,849 મીટર ઉંચા એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું. આ પછી, લગભગ દર વર્ષે તે વિશ્વના સૌથી ઊંચા શિખર પર પહોંચે છે અને તેને જીતી લે છે. જીવનના આ તબક્કે પણ તેમનો ઉત્સાહ અને જુસ્સો લોકોને પ્રેરિત કરે છે અને કહે છે કે ઉંમર માત્ર એક સંખ્યા સિવાય બીજું કંઈ નથી.

એવરેસ્ટ વિજેતાઓના રેકોર્ડ્સ પર નજર નાખીએ તો તેમા શેરપાઓ આમાં નિષ્ણાત છે. જાણો કોણ છે શેરપાઓ અને કેવી રીતે વિશ્વના સૌથી ઊંચા શિખર પર પહોંચીને રેકોર્ડ બનાવે છે.

શેરપાઓ કોણ છે?

શેરપા એક ખાસ સમુદાય છે જે હિમાલયના બરફીલા પ્રદેશોમાં રહેવા માટે જાણીતો છે. તેઓ ખાસ કરીને નેપાળ અને તિબેટના હિમાલય પ્રદેશમાં રહે છે. તેઓ ખાસ કરીને પર્વતારોહકોને રસ્તો બતાવીને મદદ કરવાનું કામ કરે છે. આ જ તેમની આજીવિકાનું એકમાત્ર સાધન છે. અત્યાર સુધી એવા ઘણા શેરપા છે જેમણે એવરેસ્ટ ચઢીને રેકોર્ડ બનાવ્યા છે.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

શેરપા ખાસ કરીને ઊંચાઈ પર ચઢવા માટે જાણીતા છે. દેશ-વિદેશી પ્રવાસીઓને મદદ કરવી એ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. હિમાલયન ડેટાબેઝના રિપોર્ટ અનુસાર સર એડમન્ડ હિલેરી અને શેરપા તેનઝિંગે 1953માં પ્રથમ વખત એવરેસ્ટ પર ચઢયા હતા.

એવરેસ્ટ જીતીને શેરપાઓ કેવી રીતે રેકોર્ડ બનાવે છે?

સૌથી મોટો પ્રશ્ન એ છે કે સામાન્ય માણસ માટે વિશ્વના સૌથી ઊંચા શિખરને જીતવું મુશ્કેલ છે, આ શેરપાઓ ત્યાં કેવી રીતે ઈતિહાસ રચે છે. વિશ્વના સૌથી ઊંચા શિખર પર પહોંચવાની યાત્રામાં સૌથી મુશ્કેલ પરિસ્થિતિ ઓક્સિજનની અછત છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં પહોંચનારા લોકોમાંથી માત્ર 6 ટકા જ એવા છે જેમને અલગથી ઓક્સિજન આપવાની જરૂર નથી.

જેમ જેમ આરોહકો ઊંચાઈએ પહોંચે છે, તેઓ ઊંચાઈની બીમારીઓ સાથે સંઘર્ષ કરવાનું શરૂ કરે છે. પરંતુ શેરપાઓના કિસ્સામાં આવું થતું નથી. સદીઓથી આવી જગ્યાએ રહેવાને કારણે તેનું શરીર ઊંચાઈ પર રહેવા અને અહીં ચઢવા માટે તૈયાર થઈ ગયું છે. આનુવંશિક રીતે તેમના શરીરને આ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

ફોટો ક્રેડિટ: WGBH

2013 માં, 180 પર્વતારોહકો પર સંશોધન કરવામાં આવ્યું હતું કે તેઓ શા માટે આટલા શક્તિશાળી છે. જેમાં 116 મેદાની વિસ્તારના પર્વતારોહકો અને 64 શેરપા સામેલ હતા. તેમને એવરેસ્ટ બેઝ કેમ્પમાં મોકલવાનું આયોજન કર્યું. 5300 મીટરના ચઢાણ દરમિયાન તમામ શારીરિક ક્ષમતાઓને ધ્યાનમાં લેવામાં આવી હતી.

રિસર્ચ રિપોર્ટ કહે છે કે જ્યારે વ્યક્તિ શ્વાસ લે છે ત્યારે એનર્જી જનરેટ થાય છે. આ શરીરમાં હાજર મિટોકોન્ડ્રિયાને કારણે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શેરપાના મિટોકોન્ડ્રિયા અન્ય પર્વતારોહકો કરતાં વધુ સારી રીતે કામ કરે છે. તેમનું શરીર તેમને વધુ એનર્જી આપે છે. તેમની પ્રક્રિયા સારી એવરેજ કાર જેવી જ છે. આ જ કારણ છે કે તેમને ઓછા ઓક્સિજનની જરૂર પડે છે અને વધુ ઊર્જા મળે છે.

આ પણ વાંચો: વરસાદની ઋતુમાં દેખાતા વાદળો કાળા કેમ હોય છે? શું છે આની પાછળનું વૈજ્ઞાનિક કારણ

શેરપાઓ પરના અન્ય સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઊંચાઈ પર સામાન્ય રીતે અન્ય આરોહકોમાં લોહી પરીભ્રમણ ઘટવા લાગે છે, પરંતુ શેરપાઓ સાથે આવું થતું નથી.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Next Article