શું છે નાર્કો ટેસ્ટ, શ્રદ્ધા હત્યા કેસ આરોપી પાસે સત્ય બોલાવવા પોલીસ કરશે આ ટેસ્ટ

Delhi Murder Case : દિલ્હી પોલીસ હવે આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરશે. સોકેટ કોર્ટે પોલીસને તેની મંજૂરી આપી દીધી છે. જાણો નાર્કો ટેસ્ટ શું છે, તે કેવી રીતે થાય છે, તે કેવી રીતે કામ કરે છે અને તે પોલીગ્રાફ ટેસ્ટથી કેવી રીતે અલગ છે...

શું છે નાર્કો ટેસ્ટ, શ્રદ્ધા હત્યા કેસ આરોપી પાસે સત્ય બોલાવવા પોલીસ કરશે આ ટેસ્ટ
Delhi Murder Case
| Edited By: | Updated on: Nov 16, 2022 | 5:09 PM

શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસ હવે આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરશે. આ અંગે પોલીસે શનિવારે કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હીની સાકેત કોર્ટે પોલીસને આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવાની પરવાનગી આપી છે. આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવતા પહેલા તેની મેડિકલ તપાસ કરવામાં આવે છે. તેના દ્વારા જોવામાં આવે છે કે તે આ ટેસ્ટ માટે શારીરિક રીતે તૈયાર છે કે નહીં. તે ખૂબ જ સંવેદનશીલ પરીક્ષણ માનવામાં આવે છે.

જાણો નાર્કો ટેસ્ટ શું છે, તે કેવી રીતે થાય છે, તે કેવી રીતે કામ કરે છે અને તે પોલીગ્રાફ ટેસ્ટથી કેવી રીતે અલગ છે…

નાર્કો ટેસ્ટ શું છે?

ડાયગ્નોસ્ટિક કંપની SRL અનુસાર, નાર્કો ટેસ્ટમાં સોડિયમ પેન્ટાથોલ નામના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આને ટ્રુથ સીરમ કહે છે. શરીરમાં સોડિયમ પેન્ટાથોલ પહોંચ્યા પછી, દર્દીની ચેતના ઓછી થવા લાગે છે. ધીમે ધીમે સભાનતા ગુમાવવાનું શરૂ કરે છે. તે અર્ધ-ચેતન અવસ્થામાં પહોંચે છે. આવી સ્થિતિમાં કોઇ પણ વ્યક્તિ સત્ય બોલવા લાગે છે. પરિણામે, તપાસકર્તાને તેના પ્રશ્નોના સાચા જવાબો મળે છે.

ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે?

કોઈપણ આરોપીનો નાર્કો ટેસ્ટ સાયકોલોજીસ્ટની દેખરેખ હેઠળ જ થાય છે. આ દરમિયાન ફોરેન્સિક નિષ્ણાતો અથવા તપાસ અધિકારીઓ હાજર હોય છે. દર્દીને ઈન્જેક્શન આપ્યા બાદ પૂછપરછની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં મનોવિજ્ઞાનીની સૂચનાઓ મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો માને છે કે પરીક્ષણ દ્વારા ગુનેગારની સત્યતા બહાર આવવાની શક્યતાઓ વધુ છે.

તે ક્યારે કરવામાં આવે છે?

જ્યારે પણ પોલીસને લાગે છે કે ગુનેગાર જૂઠું બોલે છે કે સમગ્ર સત્ય ઉજાગર કરી રહ્યો નથી અને તપાસમાં અડચણ ઊભી થાય છે ત્યારે નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે. જોકે પોલીસ કોઇ પણ આરોપીની મરજી વિરૂધ્ધ નાર્કો ટેસ્ટ કરાવી શકતી નથી. આ માટે પોલીસે સ્થાનિક કોર્ટની પરવાનગી લેવી પડશે. મંજૂરી બાદ જ પોલીસને તપાસનો અધિકાર મળે છે.

પોલીગ્રાફ ટેસ્ટથી કેવી રીતે અલગ છે?

આરોપીને સત્ય જાહેર કરવા માટે લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવવામાં આવે છે. તેને પોલીગ્રાફ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. પોલિગ્રાફ ટેસ્ટમાં આરોપીના જવાબ દરમિયાન તેના શરીરમાં થતા ફેરફારો પર નજર રાખવામાં આવે છે. તે બતાવે છે કે તે સાચું બોલે છે કે ખોટું. આવી સ્થિતિમાં, તેના શ્વાસ અને તેની રીધમ, બ્લડ પ્રેશર, હૃદયના ધબકારામાં ફેરફાર નોંધવામાં આવે છે. નિષ્ણાતો પૂછપરછ દરમિયાન થતા ફેરફારો પર નજર રાખવામાં આવે છે. બીજી તરફ, નાર્કો ટેસ્ટના કિસ્સામાં, દર્દી અર્ધ-બેભાન અવસ્થામાં હોય છે અને સત્ય બોલવાની શક્યતાઓ વધુ હોય છે. જો કે, નિષ્ણાતો આ ટેસ્ટને 100% અસરકારક માનતા નથી.અત્યાર સુધી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નાર્કો ટેસ્ટ દરમિયાન આરોપીએ સત્ય જાહેર કર્યું ન હતું, પરંતુ બાદમાં સબુતોનોના આધારે આરોપ સાબિત થાય.

Follow Us
Loading...
Unable to load recommendations.