AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં મુસ્લિમો કેમ ખુશ નથી ? જાણો જાહેર મંચ પરથી નાણાં પ્રધાને શું કહ્યું

વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત સામે પશ્ચિમી નકારાત્મક ધારણા પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે લઘુમતીઓ માટે રડતા પાકિસ્તાન કરતા ભારતના મુસ્લિમોની હાલત અનેક ગણી સારી છે.

ભારતમાં મુસ્લિમો કેમ ખુશ નથી ? જાણો જાહેર મંચ પરથી નાણાં પ્રધાને શું કહ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 11:36 AM
Share

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત વિરુદ્ધ ‘નકારાત્મક પશ્ચિમી ધારણા’ પર આકરા પ્રહારો કર્યા હતા. વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં બોલતા નાણામંત્રીએ ભારતના મુસ્લિમોની હાલત વિશે વાત કરી. તેમણે કહ્યું કે લઘુમતીઓ માટે રડતા પાકિસ્તાન કરતા પણ ભારતમાં મુસ્લિમો ખુશ અને સુરક્ષિત છે. પીટરસન ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ (PIIE) ઈવેન્ટમાં બોલતા સીતારમણે કહ્યું કે, ભારતમાં વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી છે અને આ વસ્તી ઝડપથી વધી રહી છે. જો ભારતમાં મુસ્લિમો ખુશ નથી તો પછી પાકિસ્તાન કરતા વધુ વસ્તી કેમ ? તેમ પણ તેમણે કહ્યું હતુ.

ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી

નિર્મલા સીતારમણે કહ્યું કે, પશ્ચિમી મીડિયામાં કહેવામાં આવે છે કે રાજ્યના સમર્થનથી ભારતમાં મુસ્લિમોનું જીવન મુશ્કેલ બનાવવામાં આવે છે. પરંતુ આ બધું પાયાવિહોણું છે. નાણામંત્રીએ કહ્યું કે જો આ સ્થિતિ હશે તો ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ કેવી રીતે હોત.

ભારતનો મુસ્લિમ પ્રગતિ કરી રહ્યો છે

જ્યારે PIIE પ્રમુખ એડમ એસ. પોસેન દ્વારા પશ્ચિમી મીડિયા દ્વારા ભારતના મુસ્લિમ લઘુમતીઓ સામે હિંસાના અહેવાલો વિશે પૂછવામાં આવ્યું ત્યારે સીતારામને બેફામ જવાબ આપ્યો. નાણામંત્રીએ કહ્યું કે 1947માં આઝાદી બાદ પાકિસ્તાનથી વિપરીત ભારતમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. આ માત્ર એટલા માટે છે કારણ કે ભારતમાં દરેક પ્રકારના મુસ્લિમ પોતાનો વ્યવસાય કરે છે, તેમના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, ફેલોશિપ આપવામાં આવે છે.

પાકિસ્તાનમાં તો મુસ્લિમો પણ સુરક્ષિત નથી

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં દરેક લઘુમતીની સંખ્યામાં ઘટી રહી છે. પોતાને ઇસ્લામિક દેશ તરીકે જાહેર કરવા છતાં ત્યાંના કેટલાક મુસ્લિમ સંપ્રદાયો પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેમનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમારા પાડોશી દેશમાં દરેકને અસુરક્ષાની લાગણી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીતારમણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વિશ્વ બેંકની બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન પહોંચી ગયા છે. તેઓ બીજી G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકની અધ્યક્ષતા પણ કરશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
g clip-path="url(#clip0_868_265)">