હનુમાનજીની 500 વર્ષ જૂની ચોરાયેલી મૂર્તિ અમેરિકાએ ભારતને પરત કરી

યુએસ (US) સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને દિવાળીની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે, વિશ્વભરમાં સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ ભાગોને જાળવવામાં મદદ કરવી એ ધાર્મિક વિવિધતાને સમર્થન દર્શાવવાનો એક માર્ગ છે.

હનુમાનજીની 500 વર્ષ જૂની ચોરાયેલી મૂર્તિ અમેરિકાએ ભારતને પરત કરી
અમેરિકાએ હનુમાનજીની પ્રતિમા ભારતને પરત કરી. (પ્રતિકાત્મક ફોટો)Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 12:16 PM

અમેરિકાના (US)વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું છે. આ દરમિયાન બ્લિંકને કહ્યું કે ફેબ્રુઆરીમાં યુએસ પ્રશાસને હિન્દુ દેવતા હનુમાનની 500 વર્ષ જૂની મૂર્તિ (Mythical idol)પરત મેળવી હતી. અમેરિકાએ આ પ્રતિમા ભારત સરકારને પરત કરી દીધી છે. વિદેશ મંત્રી (Foreign Minister)બ્લિંકને એમ પણ કહ્યું હતું કે દિવાળી જેવી ઉજવણી કરવી એ ધાર્મિક સ્વતંત્રતા માટે અમારું સમર્થન દર્શાવવાની બીજી રીત છે.  આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને દિવાળીની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે, વિશ્વભરમાં સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ ભાગોને જાળવવામાં મદદ કરવી એ ધાર્મિક વિવિધતાને સમર્થન દર્શાવવાનો એક માર્ગ છે. અમે ક્ષતિગ્રસ્ત ઐતિહાસિક ઇમારતોને પુનઃસ્થાપિત કરવામાં અને સંસ્કૃતિની જાળવણી માટે યુએસ એમ્બેસેડર ફંડ જેવા પ્રયાસો દ્વારા ખોવાયેલી અથવા ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી રહ્યા છીએ.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ધાર્મિક સ્વતંત્રતા યુએસ મુત્સદ્દીગીરીનો એક ભાગ છેઃ સેક્રેટરી ઓફ સ્ટેટ

તેમણે કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા એ મૂળભૂત અમેરિકન મૂલ્ય છે અને તેને સમર્થન આપવું દેશના રાષ્ટ્રપતિ જો બાયડેન માટે પ્રાથમિકતા છે. ધાર્મિક સ્વતંત્રતા એ અમેરિકાની મુત્સદ્દીગીરીનો અમૂલ્ય ભાગ છે, તેમણે કહ્યું, કારણ કે તે ખરેખર અમને વિશ્વના અન્ય દેશો અને લોકો સાથે સંબંધો બાંધવામાં મદદ કરે છે.

આ પ્રથમ વખત છે જ્યારે યુએસ સેક્રેટરીએ વિદેશ મંત્રાલયના ફોગી બોટમ હેડક્વાર્ટરમાં દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું છે. તેમણે કહ્યું, “દિવાળી એ સૌથી પવિત્ર મૂલ્યોની ઉજવણી છે, તે પરિવાર પ્રત્યે પ્રેમ દર્શાવવાનો તહેવાર છે, પ્રિયજનો અને અજાણ્યાઓ પ્રત્યે દયા દર્શાવવાનો તહેવાર છે, તે ક્ષમા, કૃતજ્ઞતા અને નવી શરૂઆતનો તહેવાર છે.” આ દિવસ આપણને વ્યક્તિગત સંવાદ અને આપણા સમુદાયોની સેવા દ્વારા સારા આચરણ અને ધર્મનું પાલન કરવાના મહત્વની પણ યાદ અપાવે છે.

અમેરિકામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના અજય તેજસ્વીએ રિસેપ્શનમાં બ્લિંકનને પરંપરાગત દીપ પ્રગટાવતા પહેલા પ્રાર્થના કરી હતી. ઈન્ડિયાસ્પોરાના સ્થાપક એમ.આર.રંગાસ્વામીએ જણાવ્યું હતું કે યુ.એસ.માં ભારતીય ડાયસ્પોરાની સંખ્યા અને પ્રભાવ વધ્યો છે અને તે જોઈને આનંદ થાય છે કે હવે દેશભરમાં રાષ્ટ્રીય સ્તરે દિવાળીની ઉજવણી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટેના યુએસના વિશેષ દૂત રાશિદ હુસૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે અમેરિકા દરેક વ્યક્તિ માટે ધાર્મિક સ્વતંત્રતાની હાકલ કરે છે.

“આપણા બંધારણ દ્વારા ગેરંટી આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતા અમારા મિશનના મૂળમાં છે. આ મિશનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં હિન્દુ સમુદાયો માટે અમારું સમર્થન શામેલ છે,” તેમણે કહ્યું. હુસૈને કહ્યું, “આ વર્ષની શરૂઆતમાં મને બાંગ્લાદેશના ગાઝીપુરના મંદિરમાં જવાની તક મળી હતી, જ્યાં દુર્ગા પૂજા દરમિયાન હુમલો થયો હતો. અમે એવા લોકો પાસેથી પ્રેરણા લઈએ છીએ જેમણે અકલ્પનીય શક્તિ બતાવી અને દુર્ઘટનામાં પણ આતિથ્યની ખાતરી આપી. અગાઉ, રાષ્ટ્રપતિ બાયડેન અને ફર્સ્ટ લેડી જીલ બાયડેને સોમવારે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી હતી.

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">