યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એ તાલિબાનના(Taliban) કબજા બાદ અફઘાનિસ્તાનની (Afghanistan) સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ ઘણા નાગરિકોને દેશ છોડવાની ફરજ પડી હતી. જેના કારણે દેશમાં કટોકટીની સ્થિતિ ઉભી થઈ છે. યુનાઇટેડ નેશન્સ એજન્સીના જણાવ્યા મુજબ, સરકારી સંસ્થાઓની નિષ્ફળતાને કારણે સર્જાયેલી આ માનવતાવાદી કટોકટીને કારણે, છેલ્લા 20 વર્ષમાં જે કામ મહેનતથી કરવામાં આવ્યું છે તેનો અંત આવી શકે છે.
UNDPએ એક નિવેદનમાં કહ્યું, “યુએનડીપી લાખો અફઘાન લોકો અને વિશ્વના અન્ય લોકો સાથે શાંતિ માટે, માનવ અધિકારોના આદર માટે અને લિંગ, સમુદાય, ધર્મ, રાજકીય વિચારધારા, વ્યાવસાયિક અભિગમને ધ્યાનમાં લીધા વગર બધા મદદ માટે તૈયાર છે.”
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેટર અચીમ સ્ટેઇનરે જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે અફઘાન મહિલાઓ અને છોકરીઓના અધિકારો સાથે સંઘર્ષ, અનિશ્ચિતતા, દુષ્કાળ અને કોવિડ -19 રોગચાળાની હાલની પરિસ્થિતિ પ્રાપ્ત થયેલા વિકાસને જોખમમાં મૂકી શકે છે. આ સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનના લોકોની સાથે ઉભા રહેવું જોઈએ અને તેમની મદદ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં આયુષ્ય 9 વર્ષ વધ્યું છે. યુએનડીપીના માનવ વિકાસ અહેવાલ મુજબ દેશમાં માથાદીઠ રાષ્ટ્રીય આવક બમણી થઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અફઘાન લોકોને અત્યારે માનવતાવાદી સહાયની સૌથી વધુ જરૂર છે અને અમે આ સ્થિતિને જલ્દી ઠીક કરવાના પ્રયત્નો, કોવિડ પ્રતિસાદ અને વિસ્થાપનને રોકવા માટે પ્રતિબદ્ધ છીએ.”
લાખો લોકો દેશ છોડી ગયા છે – UNHCR
યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજી (UNHCR) અનુસાર, 2021 ની શરૂઆતથી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે 5 લાખથી વધુ લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે. સંગઠને કહ્યું છે કે માત્ર જુલાઈ અને 9 ઓગસ્ટની વચ્ચે 1.26 લાખ લોકોને અફઘાનિસ્તાન છોડવાની ફરજ પડી છે. તે જ સમયે, તાલિબાનના નિયંત્રણ પછી ઘણા લોકો સતત દેશ છોડી રહ્યા છે.
માનવતાવાદી કટોકટીના ભયને જોતા, બ્રિટન, કેનેડા જેવા ઘણા દેશોએ અફઘાન શરણાર્થીઓ માટે પુનtસ્થાપન યોજનાઓની જાહેરાત કરી દીધી છે, જ્યારે અન્ય ઘણા દેશોએ તેમને કામચલાઉ આશ્રય આપવા સંમતિ આપી છે. ભારતે શુક્રવારે કહ્યું કે અફઘાનિસ્તાનના લોકો સાથેના તેના ઐતિહાસિક જોડાણને ધ્યાનમાં રાખીને, તે નાગરિક સમાજના લોકો, વિચારકો, મહિલા કાર્યકરો, વિદ્યાર્થીઓ અને એનજીઓ કામદારોને વિઝા આપવામાં પ્રાથમિકતા આપશે.
આ પણ વાંચો :તાલિબાન 31 ઓગસ્ટ સુધી સરકારની રચના અંગે કોઈ જાહેરાત કરી શકે નહીં, અફઘાન અધિકારીએ જણાવ્યું કારણ