AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquakes: ભૂકંપની ‘સુનામી’થી હચમચી ગયો આ ટાપુ , માત્ર 48 કલાકમાં 1100થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા !

આ વિસ્તારમાં 48 કલાકમાં હજારથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા,આવો છેલ્લો ભૂકંપ 1808માં આવ્યો હતો, જ્યારે ટાપુમાંથી જ્વાળામુખી ફાટ્યો હતો.

Earthquakes: ભૂકંપની 'સુનામી'થી હચમચી ગયો આ ટાપુ , માત્ર 48 કલાકમાં 1100થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા !
Earthquake in portugal volcanic island (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 9:18 AM
Share

Earthquakes:  ભૂકંપ તેની હલચલથી લોકોને ડરાવે છે અને ઘણી વખત આ હલચલ મોટા પાયે જોવા મળે છે. સતત એક-બે ભૂકંપના આંચકાની(Earthquake Hits)  ગભરાટ ઘણા દિવસો સુધી રહે છે અને જો બે દિવસમાં એટલે કે 48 કલાકથી ઓછા સમયમાં એક હજારથી વધુ ભૂકંપના આંચકા આવે તો ત્યાંની સ્થિતિ શું હશે…?

જી હા પોર્ટુગલના (Portugal) મધ્ય-એટલાન્ટિક જ્વાળામુખી ટાપુઓના (atlantic volcanic islands) એક ટાપુ પર આવું જ કંઈક બન્યું જ્યાં 48 કલાકથી ઓછા સમયમાં લગભગ 1,100 જેટલા નાના ભૂકંપોએ આ વિસ્તારને હચમચાવી નાખ્યો.નિષ્ણાતોએ તેને “સિસ્મિક કટોકટી” તરીકે વર્ણવ્યું હોવાથી સત્તાવાળાઓ હાલ કટોકટી યોજના તૈયાર કરી રહ્યા છે.

આ વિસ્તારમાં લગભગ 8,400 લોકો વસે છે

અઝોર્સ દ્વીપસમૂહ માટે CIVISA ના ભૂકંપ-જ્વાળામુખી મોનિટરિંગ સેન્ટરના વડા રુઇ માર્ક્સે સોમવારે રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે,  સાઓ જોર્જ આઇલેન્ડ પર 1.9 થી 3.3 સુધીના તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા છે. તેમણે કહ્યું કે મોટાભાગના ભૂંકપમાં અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી.તમને જણાવી દઈએ કે,છેલ્લે 1808 માં મનદાસ ટાપુ પર જ્વાળામુખી ફાટવાની ઘટના નોંધાઈ હતી.

તમને જણાવી દઈએ કે, આ વિસ્તારમાં લગભગ 8,400 લોકો વસે છે અને તે દ્વીપસમૂહના કેન્દ્રીય જૂથનો એક ભાગ છે, જેમાં ફેયલ અને પીકોના લોકપ્રિય પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે, જેમાં જ્વાળામુખી પણ છે.તેને નિવારક પગલાં તરીકે વર્ણવતા વેલાસની નગરપાલિકાના મેયર લુઈસ સિલ્વીરાએ સોમવારે ભૂકંપને કારણે કટોકટીની યોજનાને સક્રિય કરવા માટે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.

અધિકારીઓને એલર્ટ રહેલા સૂચના

ભૂકંપની ગતિમાં અચાનક વધારો એ ગયા વર્ષે સ્પેનના લા પાલ્મા ટાપુ પર કમ્બ્રે વિએજા જ્વાળામુખીના વિસ્ફોટ પહેલા થયેલા ભૂકંપની યાદ અપાવે છે, જે એઝોર્સના દક્ષિણપૂર્વમાં લગભગ 1,400 કિલોમીટર (870 માઇલ) સ્થિત છે. 85 દિવસમાં, તે વિસ્ફોટોમાં હજારો સંપત્તિ અને પાકનો નાશ થયો હતો.

રવિવારે એક નિવેદનમાં, પ્રાદેશિક નાગરિક સુરક્ષા સત્તાધિકારીએ જણાવ્યું હતું કે તેણે પહેલેથી જ સ્થાનિક મેયર અને ફાયર યુનિટનો સંપર્ક કર્યો હતો,આ સાથે તેમને એલર્ટ રહેવા અને જરૂર પડે ત્યારે સો જોર્જના લોકોને મદદ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો  : Russia Ukraine Crisis : યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીએ NATO પર કર્યો કટાક્ષ, કહ્યું ‘અમને સ્વીકારો અથવા માનો કે તમે રશિયાથી ડરો છો’

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">