AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : ઈમરાનની ખુરશીના પાયા હચમચ્યા તો, પક્ષપલટાથી નારાજ PM ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે શુક્રવારે નેશનલ એસેમ્બલીની બેઠક બોલાવવામાં આવશે.

Pakistan : ઈમરાનની ખુરશીના પાયા હચમચ્યા તો, પક્ષપલટાથી નારાજ PM ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો
PM Imran Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 7:42 AM
Share

Pakistan : પાકિસ્તાનમાં આ દિવસોમાં રાજકીય ઉથલપાથલ (Political Crisis) ચાલી રહી છે. વડાપ્રધાન ઈમરાન ખાનની (PM Imran Khan) ખુરશી ખતરામાં છે કારણ કે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) લાવવામાં આવ્યો છે. પક્ષપલટો અને તેના બળવાખોર સાંસદોએ ઈમરાનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ જ કારણ છે કે હવે ઈમરાન ખાનની સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

ઈમરાને સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી

ઈમરાન સરકારે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરી છે કે, શું સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પક્ષ પક્ષપલટો કરનાર વડા પ્રધાન સામે અવિશ્વાસ પ્રસ્તાવના દિવસો પહેલા તેનુ સમર્થન છોડી શકે છે…?

સાથે જ ઈમરાન સરકારે સર્વોચ્ચ અદાલતને બંધારણની કલમ 63-Aનું અર્થઘટન કરવા પણ વિનંતી કરી છે. આ અરજી પક્ષપલટાના આધારે સાંસદોને ગેરલાયક ઠેરવવા સાથે સંબંધિત છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વી વતી એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને આ અરજી દાખલ કરી છે. કલમ 63-A જણાવે છે કે જો કોઈ સાંસદ વડા પ્રધાન અથવા મુખ્ય પ્રધાન હોય તો પક્ષપલટાના આધારે ગેરલાયક ઠરી શકે છે.અન્યથા તેઓ મતદાનથી દૂર રહે છે.ઉલ્લેખનીય છે કે, ઈમરાન સરકાર પહેલાથી જ સંકેત આપી ચૂકી છે કે તે આ કલમનો ઉપયોગ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે કરશે.

નેશનલ એસેમ્બલીની બેઠક 25 માર્ચે યોજાશે

ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે શુક્રવારે નેશનલ એસેમ્બલીની બેઠક બોલાવવામાં આવશે. 2018માં વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ઈમરાનની આ સૌથી મુશ્કેલ રાજકીય કસોટી હશે. નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે રવિવારે વડા પ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે 25 માર્ચ (શુક્રવાર) ના રોજ ગૃહનું સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના લગભગ 100 સાંસદોએ 8 માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. દેશમાં આર્થિક સંકટ અને મોંઘવારી માટે ઈમરાન સરકાર જવાબદાર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Russia Ukraine War: રશિયન સૈનિકો કિવ પર સતત કરી રહ્યા છે ગોળીબાર, વિસ્ફોટથી શોપિંગ મોલ્સ થયા ખંડેર

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">