યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને PM મોદીએ ચોથી વાર યોજી ઉચ્ચ સ્તરીય બેઠક

Russia Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે. યુદ્ધના પગલે ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને PM મોદીએ ચોથી વાર યોજી ઉચ્ચ સ્તરીય બેઠક
Prime Minister Narendra Modi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 8:57 PM

રશિયાના (Russia) હુમલા બાદ યુક્રેનમાં (Ukraine) ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કવાયત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (pm Narendra Modi) સોમવારે ફરી એકવાર દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાંથી પરત ફર્યા બાદ તરત જ વડાપ્રધાન મોદીએ આ બેઠક કરી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને પીએમ મોદીએ ​​ચોથીવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. આ બેઠક દરમિયાન ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા છે. પીએમ મોદીએ ગઈકાલે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને વહેલા પરત ફરવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં યુક્રેનના પડોશી દેશો સાથે વધુ સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જેથી કરીને ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢી શકાય. બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે. યુદ્ધના પગલે ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી અને હિંસા રોકવા અને વાતચીત શરૂ કરવાની અપીલ કરી હતી. આ પછી, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ શનિવારે મોદી સાથે વાતચીત કરી અને તેમના દેશ વિરુદ્ધ રશિયાના સૈન્ય હુમલાને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારત પાસેથી રાજકીય સમર્થન માંગ્યું.

પીએમ મોદીએ ચાર કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર કેન્દ્રીય પ્રધાનોને યુક્રેનના પડોશી દેશોમાં પહોંચીને ભારતીયોને સુરક્ષિત અને સરળતાથી બહાર કાઢવા માટે સંકલન કરવાની જવાબદારી સોંપી છે. આ અંતર્ગત કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પોલેન્ડમાં, કિરેન રિજિજુ સ્લોવાકિયામાં, હરદીપ પુરી હંગેરીમાં જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવામાં સંકલન કરશે. યુક્રેનની એરસ્પેસ બંધ થવાને કારણે, ભારત રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા સાથેની તેની (યુક્રેનની) બોર્ડર પોસ્ટ દ્વારા ત્યાંથી તેના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: UNના માનવાધિકાર વડા મિશેલ બેચેલેટનો દાવો- યુદ્ધમાં અત્યાર સુધીમાં 7 બાળકો સહિત 102 નાગરિકોના મોત

આ પણ વાંચોઃ

Russia-Ukraine Crisis: યુક્રેન પર રશિયન સૈનિકોના હુમલા ચાલુ છે, આ 5 શહેરોને સૌથી વધુ થયું નુકસાન, જૂઓ તસવીરો

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">