AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: PM ઈમરાન ખાનની ખુરશીના પાયા હલ્યા, પાર્ટીના 15 સહયોગી છોડી શકે છે ઈમરાનનો સાથ

PM ઈમરાન ખાન પર સંકટના વાદળો છવાયેલા દેખાઈ રહ્યા છે. ગયા અઠવાડિયે પાકિસ્તાની સંસદમાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે.

Pakistan: PM ઈમરાન ખાનની ખુરશીના પાયા હલ્યા, પાર્ટીના 15 સહયોગી છોડી શકે છે ઈમરાનનો સાથ
PM Imran Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 9:51 AM
Share

Pakistan Political Crisis: પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર પર (Imran Khan Government) સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને (No Confidence Motion) કારણે વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈમરાન ખાનના સહયોગીઓએ હવે વિપક્ષ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. જો ઈમરાન ખાનના સાથી પક્ષો પક્ષ બદલે છે, તો ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને (PTI) સત્તામાંથી હાંકી કાઢવાનુ નક્કી છે.

બહુમતી મેળવવા માટે ઈમરાનને 172 સીટોની જરૂર

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં કુલ 342 સીટો છે. જેથી બહુમતી મેળવવા માટે 172 સીટોની જરૂર છે. ઈમરાન ખાન પાસે હાલમાં 179 સીટો છે. પરંતુ ઈમરાન ખાનના 15 સહયોગી તેમનો પક્ષ છોડી શકે છે. આવી સ્થિતિમાં જો વિપક્ષ ઈમરાનનો સાથ છોડી દે તો પાકિસ્તાનમાં ફરી એકવાર સત્તા પરિવર્તન થવાનું નક્કી છે.

પાકિસ્તાનમાં હાલ રાજકીય ઉથલપાથલ વધી રહી છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા PM ઈમરાન ખાન(PM Imran Khan)  પર સંકટના વાદળો છવાયેલા દેખાઈ રહ્યા છે. ગયા અઠવાડિયે પાકિસ્તાની સંસદમાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. વડાપ્રધાન ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવા માટે તેમની જ રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ઘણા સાંસદોએ વિપક્ષ સાથે હાથ મિલાવ્યા છે.

PTI ના સાંસદો વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહે : ઈમરાન ખાન

તમને જણાવી દઈએ કે, અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ PTIના ઘણા સાંસદોએ ઈમરાન ખાન વિરુદ્ધ નારાજગી દર્શાવવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે ઈમરાન ખાનની પાર્ટીના ઘણા સાંસદોએ વડાપ્રધાનનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. PTI સાંસદોના જવાના સમાચાર આવ્યા બાદ ઈમરાન ખાને કહ્યું છે કે PTI ના સાંસદો વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહે.

ઈમરાન ખાન સરકારમાં સામેલ સહયોગી પક્ષના વડા પરવેઝ ઈલાહીએ કહ્યું હતું કે પાકિસ્તાનની રાજનીતિમાં જે પ્રકારની સ્થિતિ બની ગઈ છે તે જોયા બાદ એ નિશ્ચિત છે કે ઈમરાન ખાનની ખુરશી 100 ટકા જવાની છે. તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાનના 4 સહયોગીઓ પાસે પાકિસ્તાની સંસદના નીચલા ગૃહમાં કુલ 20 બેઠકો છે. માનવામાં આવે છે કે આમાંથી 15 સહયોગીઓએ હવે વિપક્ષ સાથે હાથ મિલાવ્યા છે. જો આમ થશે તો ઈમરાન ખાનની ખુરશી જવાનુ નક્કી છે.

આ પણ વાંચો  : યુક્રેનમાં આઘાતજનક દ્રશ્ય ! રશિયાના હુમલામાં માર્યા ગયા અનેક લોકો, મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવાની પડી ફરજ

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">