AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેનમાં આઘાતજનક દ્રશ્ય ! રશિયાના હુમલામાં માર્યા ગયા અનેક લોકો, મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવાની પડી ફરજ

રશિયા-યુક્રેન યુદ્ધમાં 17 માર્ચનો દિવસ સૌથી લોહિયાળ દિવસ રહ્યો છે, કારણ કે એક શહેરમાં ત્રણ બાળકો સહિત 53 લોકો માર્યા ગયા છે.

યુક્રેનમાં આઘાતજનક દ્રશ્ય ! રશિયાના હુમલામાં માર્યા ગયા અનેક લોકો, મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવાની પડી ફરજ
Russia Ukraine War (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 7:26 AM
Share

Russia Ukraine War : યુક્રેનમાંથી (Ukraine) ચોંકાવનારી તસવીરો સામે આવી છે, જેમાં મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવતા જોઈ શકાય છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં (Russia Ukraine Crisis)17 માર્ચનો દિવસ સૌથી લોહિયાળ દિવસ રહ્યો છે, કારણ કે એક શહેરમાં ત્રણ બાળકો સહિત 53 લોકો માર્યા ગયા છે. રશિયન સૈનિકો(Russian Army)  શહેરોનો નાશ કરી રહ્યા છે અને નાગરિકોને નિર્દયતાથી મારી રહ્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (President Vladimir Putin) સેનાને યુક્રેન તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.છતાં રશિયન સૈનિકોએ તેમના હુમલાઓ ચાલુ રાખે છે. બુધવારે ઉત્તરી શહેર ચેર્નિહિવમાં રશિયન બોમ્બ વિસ્ફોટમાં 53 લોકો માર્યા ગયા હતા.

એક દિવસમાં રશિયન હુમલામાં 53 નાગરિકો માર્યા ગયા

ગવર્નર વિચેસ્લાવ ચૌસે કહ્યું, “અમને ભારે નુકસાન થઈ રહ્યું છે,ગુરૂવારે થયેલા રશિયન હુમલામાં 53 નાગરિકો માર્યા ગયા હતા.” યુક્રેનની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે, બચાવ કર્મચારીઓએ તોપમારોથી નાશ પામેલી ઈમારતોની શોધખોળ કરી હતી અને જેમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો કાટમાળમાંથી મળી આવ્યા હતા. મૃતદેહોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે એક વીડિયોમાં જોઈ શકાય છે કે યુક્રેનમાં લોકો ટ્રકમાંથી મૃતદેહોને બહાર કાઢી રહ્યા છે.

રાજધાની કિવની બહાર સ્થિત બુચા શહેરમાં મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવી રહ્યા છે. આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે રશિયન સૈનિકોએ મારીયુપોલમાં એક થિયેટરને ઉડાવી દીધું હતું. અહીં લોકોએ બોમ્બ ધડાકાથી બચવા માટે આ સ્થળે આશ્રય લીધો હતો.

થિયેટરને નિશાન બનાવવામાં આવ્યુ

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે તેઓ ત્યાં ફસાયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ દરમિયાન, એક અધિકારીએ જણાવ્યું હતું કે થિયેટરમાં હુમલામાં કેટલાક લોકો ભાગવામાં સફળ થયા હતા.જ્યારે કેટલાર લોકોએ જીવ ગુમાવવનો વારો આવ્યો છે. મેરીયુપોલ સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે બુધવારે થિયેટરમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયન સૈનિકો દ્વારા ઘેરાયેલા આ શહેરમાં માર્યુપોલ શહેરમાં કરતાં વધુ નુકસાન થયું નથી.

આ પણ વાંચો : Russia Ukraine War: ખાર્કીવ બાદ મારિયૂપોલ પર રશિયન હુમલા ચાલુ, પૂર્વ યુક્રેનમાં 21 લોકોના મોત

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">