AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાલિબાન સાથે ઇમરાનની ‘દોસ્તી’ પણ કામ ન આવી, પાકિસ્તાન પર TTPના હુમલા રોકવામાં નથી મળી રહ્યો સહકાર

ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યોરિટી (IFFRAS)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન TTPને પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવતા રોકી શકશે નહીં અને સરહદી વિસ્તારોમાં હિંસા વધવાની પૂરી સંભાવના છે.

તાલિબાન સાથે ઇમરાનની 'દોસ્તી' પણ કામ ન આવી, પાકિસ્તાન પર TTPના હુમલા રોકવામાં નથી મળી રહ્યો સહકાર
Taliban - File PhotoImage Credit source: AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 9:58 PM
Share

અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર (Afghanistan-Pakistan Border) પર સીમાપારથી આતંકવાદ વધી ગયો છે. જો કે, વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) ઓગસ્ટ 2021 માં કાબુલ પર કબજો જમાવ્યો તે દરમિયાન અને તે પહેલાં તાલિબાનને (Taliban) સમર્થન આપ્યું હતું. નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાને કાબુલમાં કટ્ટરપંથી ઉગ્રવાદી સરકારને ટેકો આપ્યો હતો, કારણ કે તેને લાગ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સત્તાના સિંહાસન પર પાછા ફરતા તાલિબાન પાકિસ્તાનના ‘તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) સાથે ડીલ કરવા માટે ટેકો આપશે. ઈસ્લામાબાદને લાગ્યું કે તાલિબાન અફઘાન જમીન પરથી પાકિસ્તાન પર હુમલો કરવા દેશે નહીં.

ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યોરિટી (IFFRAS)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન TTPને પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવતા રોકી શકશે નહીં અને સરહદી વિસ્તારોમાં હિંસા વધવાની પૂરી સંભાવના છે. જોકે, અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસીને વ્યૂહાત્મક જીત તરીકે જોવામાં આવી રહી છે. પરંતુ તેણે TTP માટે બૂસ્ટર તરીકે કામ કર્યું છે.

પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝ (PIPS) અનુસાર, 2021માં પાકિસ્તાનમાં 207 આતંકવાદી હુમલા થયા છે, જે 2020ની સરખામણીમાં 42 ટકા વધુ છે. આ હુમલાઓમાં લગભગ 335 લોકોએ જીવ ગુમાવ્યા છે. PIPS એ અહેવાલ આપ્યો છે કે TTP એકલા 87 હુમલાઓ માટે જવાબદાર છે. 2020ની સરખામણીમાં હુમલામાં 84 ટકાનો વધારો થયો છે.

અફઘાનિસ્તાનથી પાકિસ્તાન પર થઈ રહ્યા છે હુમલા

IFFRASના રિપોર્ટ અનુસાર, TTPએ જાન્યુઆરી 2022 મહિનામાં વધુ 42 હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. આ ઉપરાંત, 15 ઓગસ્ટ, 2021ના રોજ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી પણ ડ્યુરન્ડ લાઇન ક્ષેત્રમાં હિંસામાં વધારો થયો હતો. આ ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે TTPએ અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાન પર હુમલો કરવાનું  પણ શરૂ કર્યું છે. આ જ કારણ છે કે પાકિસ્તાને તાલિબાનને દોહા સમજૂતીની પ્રતિબદ્ધતાઓ અને ઉદ્દેશ્યોની યાદ અપાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરવા દેશે નહીં.

TTPને પાકિસ્તાન પાસેથી શું ઈચ્છે છે?

ટીટીપીની બે મુખ્ય માંગણીઓ છે, જેમાં પાકિસ્તાનમાં શરિયા કાયદાનો અમલ અને ટીટીપીના આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવાનો સમાવેશ થાય છે. IFFRASએ જણાવ્યું છે કે વડાપ્રધાન ઇમરાન ખાને ડિસેમ્બર 2021માં TTP કેડર્સને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ટીટીપી એ વાતથી પણ નારાજ છે કે, પાકિસ્તાની સેના ડેરા ઈસ્માઈલ ખાન, લકી મારવત, સ્વાત, બજૌર, સ્વાબી અને ઉત્તર વઝીરિસ્તાનમાં દરોડા પાડી રહી છે અને TTP લોકોની ધરપકડ કરી રહી છે.

આ પણ વાંચો : અફઘાન શરણાર્થીઓને અમેરિકામાં અસ્થાયી સંરક્ષિત દરજ્જો મળશે, 18 મહિના સુધી રહેવાની મળશે છૂટ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">