AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશ- દુનિયામાં ઈજ્જતનાં ધજાગરા ઉડ્યા પછી ઈમરાન મિયાંને આવ્યુ ડહાપણ, આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’નો સંકલ્પ

પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદની અંદર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે સ્વીકારી છે. શુક્રવારની નમાજ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 56 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા.

દેશ- દુનિયામાં ઈજ્જતનાં ધજાગરા ઉડ્યા પછી ઈમરાન મિયાંને આવ્યુ ડહાપણ, આતંકવાદીઓ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ'નો સંકલ્પ
Pakistan PM Imran Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 8:39 AM
Share

Pakistan : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને(PM Imran Khan)  સોમવારે આતંકવાદીઓ પ્રત્યે “ઝીરો ટોલરન્સ”નો સંકલ્પ કર્યો અને અદાલતોમાં આતંકવાદના કેસોના (Terrorism Case ) ઝડપી નિકાલ માટે વિનંતી કરી હતી. ઈમરાન ખાનનું નિવેદન ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં શિયા મસ્જિદમાં આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવેલા હુમલામાં 63 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘાયલ થયા બાદ આવ્યું છે. ઈમરાન ખાને નેશનલ એક્શન પ્લાન (National Action Plan)ની સર્વોચ્ચ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જે દેશમાંથી આતંકવાદને ખતમ કરવા માટે 2015માં રચવામાં આવી હતી.

સરકારની નીતિ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની: ઈમરાન ખાન

આ બેઠકમાં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અને ઘણા ટોચના મંત્રીઓ હાજર રહ્યા હતા. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ઈમરાન ખાને કહ્યું કે સરકારની નીતિ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની છે અને આતંકવાદી તત્વો સામે દાખલો બેસાડવા માટે અદાલતોમાં તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે લડવા માટે સક્રિય પગલાં લેવા પર પણ ભાર મૂક્યો હતો.

ઇસ્લામિક સ્ટેટે પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી

પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદની અંદર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે સ્વીકારી છે. શુક્રવારની નમાજ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 56 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનની સરહદે આવેલા પ્રાંતમાં આ સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસેએ પણ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે હું પાકિસ્તાનના પેશાવરની મસ્જિદ પર થયેલા ઘાતક હુમલાની નિંદા કરું છું.સાથે જ તેમણે મૃત્યુ પામનારના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

બીજી તરફ પાકિસ્તાનના માનવ અધિકાર પંચનું કહેવું છે કે, આ હુમલામાં શિયા ઉપાસકોને સ્પષ્ટ રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. કિસ્સા ખ્વાની બજાર પાસે ઈમામબારગાહમાં જ્યારે લોકો શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો : Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પૂર્ણ, યુદ્ધવિરામ પર કોઈ પરિણામ ન આવ્યુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">