AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પૂર્ણ, યુદ્ધવિરામ પર કોઈ પરિણામ ન આવ્યુ

રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીતનો અંત આવ્યો છે. વાટાઘાટો દરમિયાન યુદ્ધવિરામ પર કોઈ સમજૂતી થઈ ન હતી.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પૂર્ણ, યુદ્ધવિરામ પર કોઈ પરિણામ ન આવ્યુ
Russia Ukraine Talk
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 6:42 AM
Share

Russia Ukraine War: રશિયા (Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીતનો અંત આવ્યો છે. વાતચીત નિરર્થક હોવાનું બહાર આવ્યું. યુદ્ધવિરામ પર કોઈ કરાર થયો ન હતો. આ પહેલા પણ બંને દેશો વચ્ચે યુદ્ધ(War) રોકવા માટે બે રાઉન્ડની વાતચીત થઈ હતી. તે દરમિયાન પણ યુદ્ધવિરામને લઈને કોઈ નક્કર ઉકેલ મળી શક્યો ન હતો. બધાની નજર ત્રીજા રાઉન્ડની વાતચીત પર ટકેલી હતી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતના ત્રીજા રાઉન્ડમાં પણ કોઈ ઉકેલ મળ્યો ન હતો.

તમને જણાવી દઈએ કે છેલ્લા 11 દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આજે યુદ્ધનો 12મો દિવસ છે. ન તો પુતિનની સેના પીછેહઠ કરી રહી છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી હાર માની લેવા તૈયાર છે. બીજી તરફ આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે યુક્રેન સંકટ પર વાત કરી છે. ત્રણેય નેતાઓ વચ્ચે લગભગ 100 મિનિટ સુધી વાતચીત થઈ હતી.

યુએસ ઈન્ટેલિજન્સે પેન્ટાગોનને એક સનસનીખેજ રિપોર્ટ સોંપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો યુક્રેન યુદ્ધ વધુ 10 દિવસ સુધી ચાલશે તો રશિયા પરમાણુ હુમલો કરશે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે જો યુદ્ધ દસ દિવસ સુધી ચાલશે તો નાટો યુદ્ધમાં ઉતરશે.

અહીં યુક્રેનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનની સરકારે 1.46 લાખ વિદેશી નાગરિકોને દેશ છોડવામાં મદદ કરી છે. તેમાં 20 હજાર ભારતીયોનો પણ સમાવેશ થાય છે, જેમને રશિયા દ્વારા ઘેરાયેલા શહેરોમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. સુમી, ખાર્કિવ, મેરીયુપોલમાં નાગરિકો માટે માનવતાવાદી કોરિડોર ખોલવા માટે રશિયાએ તરત જ યુદ્ધવિરામ કરવો જોઈએ.

આ પહેલા બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ICJ ખાતે યુક્રેને કહ્યું કે રશિયાને રોકવું જોઈએ. રશિયન હુમલામાં ઘણા નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. રશિયા નરસંહાર કરી રહ્યું છે. 15 લાખ લોકોને ઘર છોડવું પડ્યું છે. અમે રશિયન બાજુથી યુદ્ધનો સામનો કરી રહ્યા છીએ. અમે સેફ પેસેજ માટેના રશિયન પ્રસ્તાવને નકારી રહ્યા છીએ. રશિયા અહીં નરસંહાર કરી રહ્યું છે, આપણે નહીં. અમે વિશ્વ યુદ્ધ-2માં રશિયા સાથે લડ્યા હતા. રશિયાના શસ્ત્રો છોડી દો અને શાંતિપૂર્ણ ઉકેલની વાત કરો.

બીજી તરફ રશિયાનું કહેવું છે કે જો યુક્રેન આ ચાર શરતો સ્વીકારે તો યુદ્ધ અટકી શકે છે. પ્રથમ શરત એ છે કે યુક્રેન લશ્કરી કાર્યવાહી બંધ કરે. બીજું, યુક્રેને તટસ્થતા સ્થાપિત કરવા માટે તેનું બંધારણ બદલવું જોઈએ. રશિયાની ત્રીજી શરત એ છે કે ક્રિમીઆને રશિયાનો ભાગ ગણવો જોઈએ. રશિયાની ચોથી શરત છે કે યુક્રેન ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર દેશ ગણે.

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">