AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નહીં સુધરે પાકિસ્તાન : Pakistan ના વિદેશ મંત્રીએ ‘આકસ્મિક’ મિસાઈલ પડવાની ઘટનાને ગણાવી ગંભીર, કહ્યું ‘ભારતની સ્પષ્ટતાથી કામ નહીં ચાલે’

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, કુરેશીએ તેમના જર્મન સમકક્ષ અનાલેના બાર્બોક સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

નહીં સુધરે પાકિસ્તાન : Pakistan ના વિદેશ મંત્રીએ 'આકસ્મિક' મિસાઈલ પડવાની ઘટનાને ગણાવી ગંભીર, કહ્યું 'ભારતની સ્પષ્ટતાથી કામ નહીં ચાલે'
Pak Foreign Minister Shah Mahmood Qureshi
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 9:06 AM
Share

Pakistan  : પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ (Shah Mahmood Qureshi) સોમવારે કહ્યું હતું કે, ભારત તરફથી પાકિસ્તાની ક્ષેત્રમાં આકસ્મિક રીતે મિસાઈલ(Missile)  પડવું એ એક “ગંભીર મામલો” છે જેને નવી દિલ્હીની માત્ર “ઉપરી સ્પષ્ટતા” દ્વારા ઉકેલી શકાય નહીં. તેમણે આ મામલાની સંયુક્ત તપાસની માગનો પુનરોચ્ચાર કર્યો હતો.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, કુરેશીએ તેમના જર્મન સમકક્ષ અનાલેના બેરબોક (Annalena Baerbock) સાથે ટેલિફોન વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. નિવેદન અનુસાર, કુરેશીએ 9 માર્ચે ભારતીય મિસાઇલ દ્વારા પાકિસ્તાની એરસ્પેસના ઉલ્લંઘન અંગે બાર્બોકને જાણ કરી હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આ ઘટનાને ગણાવી ‘ગંભીર’

વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે આ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મિસાઈલ ‘આકસ્મિક રીતે’આવી હતી. જો કે, કુરેશીએ કહ્યું કે આવી “ગંભીર બાબત” ને ભારતીય પક્ષ તરફથી “સુપરફિસિયલ ખુલાસો” સાથે ઉકેલી શકાય નહીં.સાથે તેમણે આ ઘટના અંગે સંયુક્ત તપાસ માટે આહ્વાન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને “પરમાણુ નિઃશસ્ત્ર વાતાવરણમાં આ ગંભીર ઘટનાની ઊંડી સંજ્ઞાન લેવા અને આ ક્ષેત્રમાં વ્યૂહાત્મક સ્થિરતા જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે તેની યોગ્ય ભૂમિકા ભજવવા” માટે હાકલ કરી છે.

આ મામલે ભારતે શું કહ્યું ?

ભારતના સંરક્ષણ મંત્રાલયે (Ministry of Defense)શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે,એવું જાણવા મળ્યું છે કે મિસાઇલ પાકિસ્તાનના એક વિસ્તારમાં પડી હતી. આ ઘટના અત્યંત ખેદજનક છે, રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. ભારત સરકારે આકસ્મિક મિસાઈલ પ્રક્ષેપણની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ઉચ્ચ સ્તરીય ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’ના આદેશ આપ્યા છે.

પાકિસ્તાન સરકાર પર ઉઠ્યા સવાલો

કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને ભારતીય મિસાઈલને સમયસર શોધી ન શકવા બદલ એરફોર્સ કમાન્ડર અને બે એર માર્શલ્સને હાંકી કાઢ્યા છે. પાકિસ્તાનમાં હાલ સૌથી વધુ એ સવાલ ઉઠી રહ્યો છે કે બે દિવસ બાદ પાકિસ્તાનની એરફોર્સ આ ઘટના પર કેમ એક્શનમાં આવી.. સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : Russia Ukraine War: UN સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે યુક્રેનની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, યુદ્ધ ખતમ કરવા અંગે આપ્યુ મોટુ નિવેદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">