AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Iran Tension: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક યુદ્ધ ? મિસાઈલ હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો

ઈરાને, ઈરાક પર 10 ફતેહ મિસાઈલો છોડી હતી, જેમાં ઘણી ફતેહ-110 મિસાઈલોનો પણ સમાવેશ થાય છે. ફતેહ 110 મિસાઈલ લગભગ 300 કિમી (186 માઈલ)ની રેન્જ ધરાવે છે.

US Iran Tension: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક યુદ્ધ ? મિસાઈલ હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 8:57 PM
Share

છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધથી (Russia Ukraine War) સમગ્ર વિશ્વ પરેશાન છે. આ યુદ્ધના કારણે વિશ્વમાં ઈંધણ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. યુએસ અને યુકે જેવી મજબૂત અર્થવ્યવસ્થાઓ પણ તેમની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન ઈરાને (Iran) ઈરાકમાં (Iraq) અમેરિકી કોન્સ્યુલેટ પર બેલેસ્ટિક મિસાઈલથી (Ballistic missile) હુમલો કર્યો છે. ઈરાની સેનાએ પોતે સ્વીકાર્યું છે કે ઈરાક પર છોડવામાં આવેલી 12 બેલેસ્ટિક મિસાઈલો પાછળ તેનો હાથ છે. જો કે, ઈરાની સેનાએ દાવો કર્યો છે કે તેણે આ મિસાઈલો દ્વારા ઈરાકમાં ઈઝરાયેલના ટાર્ગેટને નિશાન બનાવ્યા છે.

અમેરિકાએ કાર્યવાહીની જવાબદારી ઈરાક પર નાખી

અમેરિકાએ ઈરાની સેનાના આ મિસાઈલ હુમલાની સખત નિંદા કરી છે. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે અમે ઈરાનને જવાબદાર ઠેરવવામાં ઈરાકી સરકારને સમર્થન આપીશું. અમે ઈરાન તરફથી સમાન જોખમોનો સામનો કરવા માટે સમગ્ર મધ્ય પૂર્વમાં અમારા સહયોગીઓને સમર્થન આપીશું. યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું છે કે તેમનો દેશ ઇરાકની સંપૂર્ણ સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતાની પાછળ ઉભો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે આ મિસાઈલ હુમલાથી ઈરાકમાં કોન્સ્યુલેટને નુકસાન થયું નથી. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા પાસે એવા કોઈ પુરાવા નથી કે ઈરાકી સૈન્યએ તેમના દેશને નિશાન બનાવીને મિસાઈલો છોડી હતી.

ફતેહ-110 મિસાઈલ વડે ટાર્ગેટ બનાવ્યું

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે તેની વેબસાઈટ પર જણાવ્યું કે તેમણે ઈરાકના ઈરબિલમાં ઈઝરાયેલના જાસૂસી કેન્દ્રને નિશાન બનાવ્યું છે. જો કે, આ હુમલા વિશે કોઈ વિગત આપી નથી, પરંતુ ચોક્કસપણે કહ્યું કે ઈઝરાયેલ આ દિવસોમાં ખૂબ જ આક્રમકતા બતાવી રહ્યું છે. તાજેતરમાં, ઇઝરાયેલના હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડના બે સૈનિકો માર્યા ગયા હતા. ઈરાનની સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ઈરાને, ઈરાક પર 10 ફતેહ મિસાઈલો છોડી હતી, જેમાં ઘણી ફતેહ-110 મિસાઈલોનો પણ સમાવેશ થાય છે. ફતેહ 110 મિસાઈલ લગભગ 300 કિમી (186 માઈલ)ની રેન્જ ધરાવે છે.

અમેરિકા હવે શું પગલાં લેશે?

છેલ્લા 24 કલાકમાં અમેરિકાની પ્રતિક્રિયા જોતા માનવામાં આવે છે કે આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. બાઈડન વહીવટીતંત્ર રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તણાવના કોઈ નવા મોરચા ખોલવા માંગતો નથી. બીજી તરફ ઈરાન પર કાર્યવાહી કરવાથી ત્રીજા વિશ્વ યુદ્ધનું જોખમ પણ વધી શકે છે. ઈરાનના આ મિસાઈલ હુમલામાં અમેરિકાને કોઈ નુકસાન થયું નથી. આવી સ્થિતિમાં, બાઈડન પ્રશાસન પાસે ઈરાન સામે પગલાં ન લેવાનું નક્કર કારણ પણ છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: 19 દિવસથી તબાહી મચાવી રહ્યું છે રશિયા, જાણો યુક્રેને અત્યાર સુધી શું-શું ગુમાવ્યું?

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરો, નહીં તો NATOની ધરતી પર રશિયન રોકેટ હુમલો કરશે: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી

Follow Us
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
g clip-path="url(#clip0_868_265)">