Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Iran Tension: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક યુદ્ધ ? મિસાઈલ હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો

ઈરાને, ઈરાક પર 10 ફતેહ મિસાઈલો છોડી હતી, જેમાં ઘણી ફતેહ-110 મિસાઈલોનો પણ સમાવેશ થાય છે. ફતેહ 110 મિસાઈલ લગભગ 300 કિમી (186 માઈલ)ની રેન્જ ધરાવે છે.

US Iran Tension: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક યુદ્ધ ? મિસાઈલ હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો
Iran launches missile attack on Iraq
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 8:57 PM

છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધથી (Russia Ukraine War) સમગ્ર વિશ્વ પરેશાન છે. આ યુદ્ધના કારણે વિશ્વમાં ઈંધણ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. યુએસ અને યુકે જેવી મજબૂત અર્થવ્યવસ્થાઓ પણ તેમની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન ઈરાને (Iran) ઈરાકમાં (Iraq) અમેરિકી કોન્સ્યુલેટ પર બેલેસ્ટિક મિસાઈલથી (Ballistic missile) હુમલો કર્યો છે. ઈરાની સેનાએ પોતે સ્વીકાર્યું છે કે ઈરાક પર છોડવામાં આવેલી 12 બેલેસ્ટિક મિસાઈલો પાછળ તેનો હાથ છે. જો કે, ઈરાની સેનાએ દાવો કર્યો છે કે તેણે આ મિસાઈલો દ્વારા ઈરાકમાં ઈઝરાયેલના ટાર્ગેટને નિશાન બનાવ્યા છે.

અમેરિકાએ કાર્યવાહીની જવાબદારી ઈરાક પર નાખી

અમેરિકાએ ઈરાની સેનાના આ મિસાઈલ હુમલાની સખત નિંદા કરી છે. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે અમે ઈરાનને જવાબદાર ઠેરવવામાં ઈરાકી સરકારને સમર્થન આપીશું. અમે ઈરાન તરફથી સમાન જોખમોનો સામનો કરવા માટે સમગ્ર મધ્ય પૂર્વમાં અમારા સહયોગીઓને સમર્થન આપીશું. યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું છે કે તેમનો દેશ ઇરાકની સંપૂર્ણ સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતાની પાછળ ઉભો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે આ મિસાઈલ હુમલાથી ઈરાકમાં કોન્સ્યુલેટને નુકસાન થયું નથી. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા પાસે એવા કોઈ પુરાવા નથી કે ઈરાકી સૈન્યએ તેમના દેશને નિશાન બનાવીને મિસાઈલો છોડી હતી.

ફતેહ-110 મિસાઈલ વડે ટાર્ગેટ બનાવ્યું

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે તેની વેબસાઈટ પર જણાવ્યું કે તેમણે ઈરાકના ઈરબિલમાં ઈઝરાયેલના જાસૂસી કેન્દ્રને નિશાન બનાવ્યું છે. જો કે, આ હુમલા વિશે કોઈ વિગત આપી નથી, પરંતુ ચોક્કસપણે કહ્યું કે ઈઝરાયેલ આ દિવસોમાં ખૂબ જ આક્રમકતા બતાવી રહ્યું છે. તાજેતરમાં, ઇઝરાયેલના હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડના બે સૈનિકો માર્યા ગયા હતા. ઈરાનની સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ઈરાને, ઈરાક પર 10 ફતેહ મિસાઈલો છોડી હતી, જેમાં ઘણી ફતેહ-110 મિસાઈલોનો પણ સમાવેશ થાય છે. ફતેહ 110 મિસાઈલ લગભગ 300 કિમી (186 માઈલ)ની રેન્જ ધરાવે છે.

Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?

અમેરિકા હવે શું પગલાં લેશે?

છેલ્લા 24 કલાકમાં અમેરિકાની પ્રતિક્રિયા જોતા માનવામાં આવે છે કે આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. બાઈડન વહીવટીતંત્ર રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તણાવના કોઈ નવા મોરચા ખોલવા માંગતો નથી. બીજી તરફ ઈરાન પર કાર્યવાહી કરવાથી ત્રીજા વિશ્વ યુદ્ધનું જોખમ પણ વધી શકે છે. ઈરાનના આ મિસાઈલ હુમલામાં અમેરિકાને કોઈ નુકસાન થયું નથી. આવી સ્થિતિમાં, બાઈડન પ્રશાસન પાસે ઈરાન સામે પગલાં ન લેવાનું નક્કર કારણ પણ છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: 19 દિવસથી તબાહી મચાવી રહ્યું છે રશિયા, જાણો યુક્રેને અત્યાર સુધી શું-શું ગુમાવ્યું?

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરો, નહીં તો NATOની ધરતી પર રશિયન રોકેટ હુમલો કરશે: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી

આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">