AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan War : ટ્રમ્પ કાર્ડ કામ ન આવ્યું ! પાકિસ્તાને 4 કલાકમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ, શાહબાઝની તખ્તાપલટની આશંકા

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવા માટે અમેરિકાની મધ્યસ્થી હેઠળ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.

India Pakistan War : ટ્રમ્પ કાર્ડ કામ ન આવ્યું ! પાકિસ્તાને 4 કલાકમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ, શાહબાઝની તખ્તાપલટની આશંકા
| Updated on: May 10, 2025 | 10:28 PM
Share

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવા માટે અમેરિકાની મધ્યસ્થી હેઠળ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, યુદ્ધવિરામની જાહેરાતના માત્ર ચાર કલાક પછી, પાકિસ્તાની સેનાએ પીએમ શાહબાઝ શરીફની વાત સાંભળવાનો ઇનકાર કર્યો અને ફરીથી પાકિસ્તાની સેના દ્વારા ભારતીય વિસ્તારોમાં ડ્રોનથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો.

તમને જણાવી દઈએ કે અમેરિકા દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધવિરામને શાહબાઝ સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે જે રીતે પાકિસ્તાન સેનાએ હુમલો કર્યો છે. આનાથી પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા પણ વધી ગઈ છે.

બીજી તરફ, પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનો ભંગ કર્યા પછી, રાજસ્થાનના બાડમેર, પંજાબના ફિરોઝપુર, ગુરદાસપુર અને પઠાણકોટ,કચ્છ અને શ્રીનગરમાં ફરીથી ડ્રોનથી હુમલો કરવામા આવ્યો છે, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા.

રાજૌરીમાં પણ ડ્રોન જોવા મળ્યા હતા અને જમ્મુ ક્ષેત્રના સાંબા જિલ્લામાંથી હવાઈ હુમલાના સાયરન વાગવાના અહેવાલ મળ્યા હતા. માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે બેઝ કેમ્પ, કટરા ખાતે હવાઈ ગતિવિધિઓની જાણ કરવામાં આવી હતી અને બ્લેકઆઉટ કરવામા આવ્યુ છે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, “યુદ્ધવિરામનું શું થયું? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા!!!” ડ્રોન હુમલાનો વીડિયો શેર કરતા તેમણે કહ્યું, “આ યુદ્ધવિરામ નથી. વાયુ સંરક્ષણ એકમોએ શ્રીનગરની મધ્યમાં ગોળીબાર શરૂ કર્યો છે.”

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">