AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Pakistan tensions : પાકિસ્તાને સુવર્ણ મંદિર પર કર્યો ડ્રોનથી હુમલો, ભારતીય સેનાએ વાળ પણ વાંકો ન થવા દીધો, જુઓ Video

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ટળી છે. હાલ બંને દેશો વચ્ચે સીઝફાયરના પગલે શાંતિપૂર્ણ માહોલ છે. જો કે પાકિસ્તાને ભારત પર કરેલા હુમલા અંગે સામે આવ્યુ છે કે તેમણે પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરને પણ નિશાન બનાવ્યુ હતુ. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનની આ નાપાક સાજીશને નિષ્ફળ બનાવી હતી.

India-Pakistan tensions : પાકિસ્તાને સુવર્ણ મંદિર પર કર્યો ડ્રોનથી હુમલો, ભારતીય સેનાએ વાળ પણ વાંકો ન થવા દીધો, જુઓ Video
| Updated on: May 19, 2025 | 11:22 AM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ટળી છે. હાલ બંને દેશો વચ્ચે સીઝફાયરના પગલે શાંતિપૂર્ણ માહોલ છે. જો કે પાકિસ્તાને ભારત પર કરેલા હુમલા અંગે સામે આવ્યુ છે કે તેમણે પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરને પણ નિશાન બનાવ્યુ હતુ. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનની આ નાપાક સાજીશને નિષ્ફળ બનાવી હતી.

પાકિસ્તાને 6-7 મેના રોજ ભારત પર ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. જો કે બહાદુર ભારતીય સેનાએ તેમના હુમલાને નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, ગુજરાત અને પંજાબના શહેરોને નિશાન બનાવવા માંગતું હતું. તેની દરેક યોજના નિષ્ફળ ગઈ છે. હવે ભારતીય સેનાએ જણાવ્યું છે કે તેણે સુવર્ણ મંદિર અને અમૃતસર શહેરોનું રક્ષણ કેવી રીતે કર્યું. અને પાકિસ્તાનની મિસાઇલો કેવી રીતે નષ્ટ કરવામાં આવી તે પણ. તેમણે આ માટે એક ડેમો આપ્યો છે.

પંજાબના અમૃતસરમાં ભારતીય સેનાએ આકાશ મિસાઇલ સિસ્ટમ, L-70 એર ડિફેન્સ ગન સહિત ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ અમૃતસરના સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી કેવી રીતે સુરક્ષિત રાખ્યા તેનું પ્રદર્શન કર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોનો કાટમાળ પણ બતાવ્યો, જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા અટકાવવામાં આવ્યો અને તોડી પાડવામાં આવ્યો.

પાકિસ્તાન સુવર્ણ મંદિરને નિશાન બનાવવા માંગતો હતો

15 મી ઇન્ફેન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફ કમાન્ડર મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાની સેના પાસે કોઈ ચોક્કસ લક્ષ્યો નથી તે જાણીને, અમને અંદાજ હતો કે તેઓ ભારતીય સેનાના સ્થાપનો, ધાર્મિક સ્થળો સહિત નાગરિક સ્થળોને નિશાન બનાવશે. આમાંથી, સુવર્ણ મંદિર સૌથી અગ્રણી હતું. અમે સુવર્ણ મંદિરને સંપૂર્ણ હવાઈ સંરક્ષણ કવર પૂરું પાડવા માટે વધારાના આધુનિક શસ્ત્રો એકત્રિત કર્યા. 8 મેના સવારના અંધારામાં, પાકિસ્તાને માનવરહિત હવાઈ શસ્ત્રો, મુખ્યત્વે ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલો સાથે એક વિશાળ હવાઈ હુમલો કર્યો.”

તેમણે કહ્યું, ‘અમે આ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર હતા કારણ કે અમને તેની અપેક્ષા હતી અને અમારા બહાદુર અને સતર્ક આર્મી એર ડિફેન્સ ગનર્સે પાકિસ્તાની સેનાના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા અને સુવર્ણ મંદિર પર નિશાન સાધેલા તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા.’ આ રીતે આપણા પવિત્ર સુવર્ણ મંદિર પર એક પણ ઘસરકો પડવા દેવામાં આવ્યો નહીં.

હુમલો સંપૂર્ણ ચોકસાઈ સાથે કરવામાં આવ્યો હતો – ભારતીય સેના

GOC મેજર જનરલે કહ્યું, ‘પાકિસ્તાન સેના દ્વારા પ્રાયોજિત આતંકવાદી હુમલો નિર્દોષ પ્રવાસીઓ પર કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.’ આ હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો હતો. આ ગુસ્સાએ ઓપરેશન સિંદૂરનું સ્વરૂપ લીધું, જેમાં ચોક્કસ આતંકવાદી ઠેકાણાઓ પર શ્રેણીબદ્ધ હુમલાઓ કરવામાં આવ્યા. નવ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા. ભારતીય સેના દ્વારા નવ લક્ષ્યોમાંથી સાતનો નાશ કરવામાં આવ્યો. આ લક્ષ્યોમાં લાહોર નજીક મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક અને બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)નું મુખ્ય મથક શામેલ હતું, જેના પર અત્યંત ચોકસાઈથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પછી તરત જ, અમે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી કે અમે ઇરાદાપૂર્વક કોઈપણ પાકિસ્તાની લશ્કરી કે નાગરિક માળખાને નિશાન બનાવ્યું નથી.

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. જય હિન્દ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. ભારતીય સેનાના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
g clip-path="url(#clip0_868_265)">