Hamas israel war News: આખરે આ 28050 KMનો વિસ્તાર છે કોનો ? મુસ્લિમ, યહુદી કે પછી ઈસાઈ લોકોનો ?

વિશ્વ યુદ્ધ દરમિયાન, 2 નવેમ્બર 1917 ના રોજ બ્રિટન અને યહૂદી લોકો વચ્ચે બાલફોર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર પ્રમાણે જો બ્રિટન, ઓટ્ટોમન સામ્રાજ્યને યુદ્ધમાં હરાવી દે છે તો પેલેસ્ટાઈન વિસ્તારમાં યહૂદી લોકોને સ્વતંત્ર દેશ આપવામાં આવશે. આ કરાર પછી, વિશ્વના અન્ય દેશોમાંથી યહૂદીઓએ જેરુસલેમ તરફ કૂચ કરવાની શરૂઆત કરી હતી

Hamas israel war News: આખરે આ 28050 KMનો વિસ્તાર છે કોનો ? મુસ્લિમ, યહુદી કે પછી ઈસાઈ લોકોનો ?
Whose is this area of ​​28050 KM? Muslims, Jews or Christians? (Represental Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 7:48 AM

ઈઝરાયલ, હમાસ અને પેલેસ્ટાઈનિયનની ચર્ચા વચ્ચે હવે જાણવું એ અગત્યનું થઈ પડ્યું છે કે ઈઝરાયલનું અસ્તિત્વ આખરે આવ્યું ક્યાર થી ? ઘણા લોકોના મતે 1948માં આ દેશની રચના થઈ જો કે આ દેશ યહુદી જેટલો જુનો જ છે. આ દેશનો ઈતિહાસ ત્રણ હજાર વર્ષ જેટલો જ જૂનો પણ છે. આ શહેર ખ્રિસ્તી, મુસ્લિમ અને યહુદી ધર્મના પવિત્ર સ્થળોમાંથી એક છે.

પ્રોફેટ અબ્રાહમના પુત્ર આઇઝેક હતું અને તેમના પૌત્રનું નામ યાકુબ હતું, જે જેકબ તરીકે પણ ઓળખાય છે. જેકબનું બીજું નામ ઈઝરાયેલ હતું. યાકુબને 12 પુત્રો અને એક પુત્રી હતી. આ 12 પુત્રોએ અલગ-અલગ યહૂદી જાતિઓ બનાવી અને જેકબે આ જાતિઓને એક કરી ઈઝરાયેલ નામનું રાજ્ય બનાવ્યું.

યાકૂબના પુત્ર દ્વારા 12 જાતિઓ બનાવવામાં આવી

મળતી જાણકારી પ્રમાણે યાકૂબના પુત્રે 12 અલગ અલગ જાતિઓની રચના કરી હતી, જો કેે એસીરિયન સામ્રાજ્યએ જેરુસલેમ શહેર પર હુમલો કર્યો અને યહૂદીઓની 12 જાતિઓ વિખેરાઈ ગઈ. રોમન સામ્રાજ્યના હુમલા પછી, બધા યહૂદીઓ વિશ્વભરમાં સ્થાયી થયા. આ હુમલામાં યહૂદીઓના કિંગ ડેવિડ ટેમ્પલને પણ તોડી પાડવામાં આવ્યું હતું અને મંદિરની માત્ર એક દીવાલ બચી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આજે પણ યહૂદીઓ આ દિવાલને સૌથી પવિત્ર યાત્રાધામ માને છે. આજે તેને પશ્ચિમી દિવાલ કહેવામાં આવે છે અને અહીં બધા યહૂદીઓ મસ્તક ટેકવે છે. યહુદીઓ માટે જે તે સમયે હુમલાની ઘટના ખુબ આગત્યતા ધરાવે છે. જેમને તેઓ વેસ્ટ વોલ ગણે છે ત્યાં મુસ્લિમોની પવિત્ર અલાસ્કા મસ્જિદ અને જ્યાં ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતો તે સ્થળ બંને છે.

બ્રિટન અને યહૂદી વચ્ચે બાલફોર કરાર પર હસ્તાક્ષર

વિશ્વ યુદ્ધ દરમિયાન, 2 નવેમ્બર 1917 ના રોજ બ્રિટન અને યહૂદી લોકો વચ્ચે બાલફોર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર પ્રમાણે જો બ્રિટન, ઓટ્ટોમન સામ્રાજ્યને યુદ્ધમાં હરાવી દે છે તો પેલેસ્ટાઈન વિસ્તારમાં યહૂદી લોકોને સ્વતંત્ર દેશ આપવામાં આવશે. આ કરાર પછી, વિશ્વના અન્ય દેશોમાંથી યહૂદીઓએ જેરુસલેમ તરફ કૂચ કરવાની શરૂઆત કરી હતી

6 મિલિયન યહૂદીઓ માર્યા ગયા

બીજા વિશ્વયુદ્ધે યહૂદી ઇતિહાસને હંમેશ માટે બદલી નાખ્યો. એડોલ્ફ હિટલરે યહૂદી વિરોધી આચરેલા અત્યાચારના કારણે લગભગ 6 મિલિયન યહુદીઓના મોત થઈ ગયા હતા. ઈતિહાસ તો કહે છે કે હિટલરે ગેસ ચેમ્બરમાં પુરીને યહુદીઓને મારી નાખ્યા હતા. આ વાત જ્યારે દુનિયા સામે આવી ત્યારે લોકોના લાગણીઓ તેમની સાથે જોડાવા લાગી હતી.

પેલેસ્ટાઈન બે ભાગમાં વહેંચાઈ ગયું

પેલેસ્ટાઈન આરબ દેશો જોર્ડન, સીરિયા અને ઈજીપ્તથી ઘેરાયેલું હતું. મુસ્લિમોએ પોતાનો મત ભાગલાને લઈ વ્યક્ત કર્યો કે યહુદીઓ પર અત્યાચાર પાછળ તેમનો કોઈ ભાગ નથી, બલકે યુરોપિયન દેશો જ તેના માટે જવાબદાર છે તો હવે યહુદીઓને અલગ જ દેશ આપવો પડે તો યુરોપિયન કોઆ દેશમાં જ તેને આપવો જોઈએ.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">