વડોદરાના સુરસાગર વિસ્તારમાં તંત્ર અને લારી ધારકો વચ્ચેનો તણાવ યથાવત જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ સામે લારી ધારકોમાં ભારે રોષ ફેલાયો છે. દબાણ શાખાની ટીમ લારી અને ગલ્લા હટાવવા પહોંચતા સ્થળ પર હોબાળો સર્જાયો હતો. લારી ધારકોએ તંત્ર પર મનમાની અને પસંદગીભર્યા પગલાં લેવાના ગંભીર આક્ષેપો કર્યા છે. લારી ધારકોનું કહેવું છે કે કોર્પોરેશનની સૂચના મુજબ લારીઓ અંદર રાખી હોવા છતાં કેટલીક લારીઓ જપ્ત કરીને લઈ જવામાં આવી છે, જ્યારે અન્ય લારીઓ સામે કોઈ કાર્યવાહી ન થતાં ભેદભાવ થયો હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે.
17 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રાજ્યમાં ફરી માવઠાની મોકાણ, અંબાલાલ પટેલની કરી મોટી આગાહી, 22થી 26 જાન્યુઆરી વચ્ચે પડશે માવઠું ખેડૂતોને પણ ચેતવ્યા
આજે 17 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 17 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વડોદરાઃ ગટરના ઢાંકણા ચોરતી ગેંગનો આતંક
વડોદરાઃ ગટરના ઢાંકણા ચોરતી ગેંગનો આતંક ફરી સામે આવ્યો છે. સયાજી હોસ્પિટલ બહાર ગટરના ઢાંકણાની ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. 13 જાન્યુઆરીએ વહેલી સવારે ગટરના ઢાંકણાની ચોરી થઈ થઇ હતી. પાછલા કેટલાક દિવસોથી ગટરના ઢાંકણાની ચોરીની ઘટના વધી રહી છે. વડોદરા મનપાના અધિકારીઓ ઢાંકણા ચોરી મુદ્દે ફરિયાદ નોંધાવશે.
-
વડોદરાઃ મુસાફરો ભરેલી સિટી બસ બની બેકાબૂ
વડોદરાઃ મુસાફરો ભરેલી સિટી બસ બેકાબૂ થતા ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે 5 લોકોને ઈજા આવી છે. સયાજીગંજ વિસ્તારમાં એમ.એસ.યુનિ. નજીક આ દુર્ઘટના સર્જાઇ હતી. ડ્રાઇવરને ખેંચ આવતાં અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. બસ ઝાડ સાથે અથડાતા ડ્રાઇવર કેબિનમાં ફસાયો છે. ગંભીર રીતે ઘાયલ ડ્રાઇવરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
-
-
રાજકોટના જાણીતા વડાલીયા પરિવાર સાથે કરોડોની છેતરપિંડી
રાજકોટના જાણીતા વડાલીયા પરિવાર સાથે કરોડોની છેતરપિંડી થઈ છે. ઉંચા વ્યાજની લાલચે કરોડોની છેતરપિંડી થઈ છે. સ્ટોન-ક્રશરના ધંધામાં રોકાણ કરાવી 10.98 કરોડની ઠગાઈ આચરાઈ. 12 ટકા વળતરની લાલચે વડાલીયા બંધુઓ પાસેથી કરોડો પડાવ્યા. ફાઈનાન્સર અમિત ભાણવડિયા અને વિજય માકડીયા સામે ફરિયાદ નોંધાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે અમિત ભાણવડિયાને ઝડપ્યો છે. આરોપી વિજય માકડીયા પોલીસ પકડથી હજુ દૂર છે. આરોપીઓએ માત્ર 1 કરોડ 80 લાખ રૂપિયા પરત આપ્યા. રૂપિયા પરત ન આપવા પાછળ અમિતે આર્થિક તંગીનું કારણ આપ્યું. રાજકોટમાં વધુ લોકોને છેતર્યા હોવાની પોલીસને આશંકા છે.
-
ગુજરાતમાં દીકરીઓ પર હુમલો એટલે જિંદગીનો અંત સમજવો- હર્ષ સંઘવી
આટકોટમાં 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના અંગે હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાતમાં દીકરીઓ પર હુમલો એટલે જિંદગીનો અંત સમજવો. વધુમાં હર્ષ સંઘવીએ કહ્યુ કે આટકોટમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને 40 દિવસની અંદર ફાંસીની સજા અપાવડાવી છે. બાળકીના ઘરમાં તેના મૃત્યુનો શોક પુરો થાય એ પહેલા નરાધમને સજા અપાવી મૃતક બાળકીને ન્યાય અપાવવાનું કામ કર્યુ છે. આ સાથે તેમણે કહ્યુ કે દેશભરમાં ગુજરાત એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં દુષ્કર્મના અનેક કેસમાં દોષીતને 100 દિવસની અંદર સજા સંભળાવી દેવામાં આવી છે. તેમણે કહ્યુ આ કેસમાં ઝડપી ન્યાય માટે પોલીસ અને વકીલોને અભિનંદન પાઠવુ છુ. સાથોસાથ તેમણે ગુનેગારોને પણ કહ્યુ કે સુધરી જજો નહીં તો ગુજરાત પોલીસ તો છે જ.
-
રાજુલામાં છરીની અણીએ વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ
અમરેલીના રાજુલા પંથકના નરાધમે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરતાં ચકચાર મચી છે.. આરોપી રાકેશ કાતરીયાએ વિદ્યાર્થિનીનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરીને તેની તમામ માહિતી મેળવી લીધી હતી.. જે બાદ આરોપી રાજકોટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈને છરી બતાવીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતા પર અવાર-નવાર દુષ્કર્મ આચરી માર માર્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે.. સાથે જ આરોપીએ વિદ્યાર્થિનીના બિભત્સ ફોટો અને વીડિયો બનાવીને 20 લાખની ખંડણી પણ માંગી હોવાનો આરોપ છે. જો કે ખંડણીના પૈસા ન મળતા આરોપીએ આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને વિદ્યાર્થિનીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
-
વડોદરા: ચર્ચાનું કેન્દ્ર બનેલી સંકલન સમિતિની બેઠક પૂર્ણ
વડોદરા: ચર્ચાનું કેન્દ્ર બનેલી સંકલન સમિતિની બેઠક પૂર્ણ થઈ છે. બેઠક બાદ જિલ્લાના ધારાસભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો છે. CMને પત્ર લખનારા બે ધારાસભ્યોને પણ આજની કામગીરીથી સંતોષ માન્યો હતો. નારાજગી અંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મહત્વનું નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કલેક્ટર સાથે અમારી કોઈ જ નારાજગી નથી. જુના અને નવા બંને પ્રશ્નો રજૂ કર્યા હતા. ઝડપી કામગીરીના નિર્દેશ અપાયા છે.
-
ફરી એકવાર અધિકારીઓ પર વરસી પડ્યા મનસુખ વસાવા
ચૂંટાયેલા પદાધિકારીઓનો જંગલ ખાતાનાં અધિકારીઓ સામે આક્રોશ. ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓને ગણાવ્યા વિચિત્ર પ્રાણી. રાજપીપળા કલેકટર કચેરીમાં યોજાયેલી સંકલન બેઠક આક્રમક બની હતી. જેમાં સાંસદ મનસુખ વસાવા અધિકારીઓ પર વરસી પડ્યા, તેમણે અધિકારીઓનો ઉધડો લેતા બેઠકમાં સન્નાટો છવાઈ ગયો હતો. SOUનાં અને નર્મદાનાં DFOને વિચિત્ર પ્રકારનાં પ્રાણીઓ ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ અધિકારીઓ કોઈને કોઈ પ્રકારનાં બહાના કરી વિકાસનાં કામો અટકાવી દે છે. વસાવાએ અધિકારીઓને પોતાની માનસિકતા બદલવાની સલાહ આપી હતી.
-
અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી
અમદાવાદ: હાટકેશ્વરમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં ચોરી કરનાર શખ્સની ધરપકડ કરાઈ છે. 19 વર્ષીય યુવકે દિવાલમાં બાકોરું પાડી ચોરીને અંજામ આપ્યો હતો. હાટકેશ્વરથી રામોલ સુધીના CCTV ચેક કરી કાર્યવાહી કરાઈ છે. વજનદાર થેલી લઈ જતા વ્યક્તિ પર પોલીસને શંકા ગઈ હતી, જેના આધારે ચોરની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરાયો છે. ચોરની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરાયો
-
ભાવનગરના કુંભારવાડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
કુંભારવાડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. બોરતળાવ પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીને ઝડપી લીધા છે. ભાવનગર શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પરમદિવસે મોડી રાત્રે સામાન્ય બાબતમાંથી ઉગ્ર બનેલી તકરાર જીવલેણ સાબિત થઈ હતી. એક્ટિવા વાહન માંગવા જેવી નાની બાબતે થયેલા ઝઘડામાં 23 વર્ષીય સાહિલભાઈ સૈયદ પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
-
“રાજપૂત સમાજ માટે માન અને દિલથી વધારે કંઈ ન હોય”- હર્ષ સંઘવી
અમદાવાદઃ રાજપૂત સમાજના સમુહલગ્નમાં હર્ષ સંઘવીએ જણાવ્યુ કે અમે શું આપશુ એવી અપેક્ષા હોય, સરકારે તો દિલ આપી દીધુ. રાજપૂત સમાજ માટે માન અને દિલથી વધારે કંઈ ન હોય. બીજી તરફ માતા-પિતાના તરછોડનારા સંતાનો અંગે હર્ષ સંઘવીએ જણાવ્યુ કે આવા દીકરા-દીકરીઓનું દાન ન લેવુ જોઈએ. સંતાનો મોટા થાય ત્યારે માતાપિતાને સાથે રાખતા શરમાય છે, આજકાલ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, આવા સંતાનોને સમાજના કોઇ સ્ટેજ પર સ્થાન ના આપવુ જોઈએ.
-
પાટણઃ બેફામ ડમ્પરે સર્જ્યો અકસ્માત
પાટણઃ બેફામ ડમ્પરે સર્જ્યો અકસ્માત. ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત થયો. બે સગા ભાઈના અકસ્માતમાં મોત થયા. એકનું ઘટનાસ્થળે મોત તો બીજા ભાઈનું સારવાર દરમ્યાન મોત થયુ. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર.
-
વડોદરાઃ રોડ બનાવવાની કામગીરીમાં ગેરરીતિનો આરોપ
વડોદરાઃ રોડ બનાવવાની કામગીરીમાં ગેરરીતિનો આરોપ છે. ડામર પાથરવાનું મશીન જ ભૂવામાં ફસાઈ ગયું. આરવી દેસાઈ રોડ પર રસ્તો બનાવવાની કામગીરી દરમિયાન ઘટના બની. રોડ પર ડામર પાથરતી વખતે મશીન જ ભૂવામાં ફસાઈ ગયું. કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી દરમિયાન બની ઘટના. રસ્તાની ગુણવત્તા પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા.
-
રાજકોટ: ધોરાજીમાં કેનાલની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ
રાજકોટ: ધોરાજીમાં કેનાલની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ. હડમતીયા ગામમાં ખેડૂતોએ રામધૂન બોલાવી તંત્રની કામગીરી વખોડી. કેનાલ રિપેરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતોને ધમકી આપતા હોવાનો દાવો છે. પિયતના પાણી સમયે કેનાલ રિપેર કરાતાં ખેડૂતો પરેશાન.
-
સુરત: ડ્રગ્સ અને દારૂના દૂષણને ડામવા રેલીનું આયોજન
સુરત: ડ્રગ્સ અને દારૂના દૂષણને ડામવા રેલીનું આયોજન કરાયુ. NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા નશા વિરુદ્ધ રેલીનું આયોજન કરવામાં આવ્યુ. અઠવા વનિતા વિશ્રામથી કમિશનર કચેરી સુધી રેલી યોજાઈ. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા.
-
સુરત: તંત્રની મોટી બેદરકારી આવી સામે, ઓવર બ્રિજના વળાંક પર સુરક્ષા જાળી ન લગાવાઈ
સુરતમાં ઓવરબ્રિજ પર સેફ્ટી ગ્રીલ ન લગાવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને સહારા દરવાજા બ્રિજ પર વાહન ચાલકોની સુરક્ષા માટે જાળી ન લગાવાતા જોખમ તોળાયું છે. ત્યારે ઓવર બ્રિજ પર અવાર-નવાર ગ્રીલના અભાવે અકસ્માતો પણ થયા હોવાનું સામે આવ્યું છે.
-
બનાસકાંઠા: અંબાજી મંદિરને મળ્યું સોનાનું દાન
બનાસકાંઠા: અંબાજી મંદિરને સોનાનું દાન મળ્યું. અમદાવાદના માઈભક્તે સોનાની 5 લગડી અર્પણ કરી. 100 ગ્રામની 5 લગડી મળીને 500 ગ્રામ સોનાનું દાન કરાયું. આશરે 72 લાખની કિંમતના સોનાનું મંદિર ટ્રસ્ટને દાન મળ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તનું સન્માન કરાયું.
-
પંજાબમાં ધુમ્મસને કારણે 5 ગુજરાતી લોકોના મોત
પંજાબમાં ધુમ્મસને કારણે પાંચ ગુજરાતી લોકોના મોત થયા છે. ધુમ્મસમાં કારને થયો અકસ્માત થયો. બનાસકાંઠાની મહિલા કોન્સ્ટેબલ સહિત પાંચ લોકોના મોત થયા. મહિલા કોન્સ્ટેબલ અમિતાબાન અંબાજી સઘન સુરક્ષામાં ફરજ બજાવતી હતી. દિયોદરની રહેવાસી આ મહિલા કોન્સ્ટેબલ સીમલા ફરવા માટે ગયા હતા. અન્ય ચાર વ્યક્તિઓ કોણ છે તેની તપાસ થઈ રહી છે.
-
સાબરકાંઠાઃ પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ
સાબરકાંઠાઃ પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. સતત બીજા દિવસે ITના અધિકારીઓ દ્વારા સર્ચ ચાલી રહ્યુ છે. ટોલ પ્લાઝાના સંચાલકોની આર્થિક ગેરરીતિની આશંકાને કારણે સર્ચ ચાલી રહ્યુ છે. આખી રાત ITના અધિકારીઓએ સર્ચની કાર્યવાહી હાથ ધરી. વર્તમાન અને પૂર્વ ટોલ સંચાલકો ITના શંકાના દાયરામાં છે. હજુ પણ કલાકો સુધી સર્ચ ચાલુ રહે તેવી શક્યતા છે.
-
મહીસાગર: અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટ્રેલરમાં લાગી આગ
મહીસાગર: અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટ્રેલરમાં આગ લાગી. મારૂતીની ગાડીઓ ભરેલા ટ્રેલમાં આગ ભભૂકતા અફરા-તફરી મચી ગઇ. બાલાસિનોર બાયપાસ પાસે ટ્રેલમાં આગ લાગતાં ભારે નુક્સાન પહોંચ્યુ છે. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ટ્રેલરમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.
-
અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત
અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ આપઘાત કર્યો. નિશાંતસિંગ લોહાર નામના કેદીએ આપઘાત કર્યો. બાથરૂમની બારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. મૃતક આરોપી મોબાઈલ ચોરીના ગુનામાં જેલમાં હતો. વિરમગામ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
-
રાજકોટ : આટકોટ દુષ્કર્મ કેસમાં નરાધમને ફાંસી
રાજકોટ : આટકોટ દુષ્કર્મ કેસમાં નરાધમને ફાંસીની સજા. આરોપી રામસિંગ ડુડવાએ 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. 4 ડિસેમ્બરે આ ઘટના બની હતી. પોલીસે 11 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી. 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. માત્ર 39 દિવસમાં જ દીકરીના પરિવારને ન્યાય મળ્યો.
-
વડોદરા: સુરસાગરમાં તંત્ર અને લારી ધારકો વચ્ચે તણાવ યથાવત
-
વડોદરા: લેટર બોમ્બ બાદ ધારાસભ્યનો વધુ એક ધડાકો
વડોદરા: લેટર બોમ્બ બાદ ધારાસભ્યનો વધુ એક ધડાકો. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો. ધારાસભ્ય કેતન ઈનામદારે સંકલનની બેઠકમાં જવાની ના પાડી. જૂના કામોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંકલન બેઠકમાં જવા ઈનકાર કર્યો. જૂના કામ પૂરા થશે તે બાદ જ સંકલનમાં ભાગ લેશે. અગાઉ વડોદરાના 5 ધારાસભ્યએ CMને પત્ર લખી રજૂઆત કરી હતી. અધિકારીઓ મનમાની કરી પ્રજાના કામ ન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા.
-
સુરત: શહેરના અલથાણમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મ
સુરત: શહેરના અલથાણમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મ થયુ છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર ગેમ રમવાના નામે યુવતી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની અલથાણ પોલીસે ધરપકડ કરી છે. 21 વર્ષીય પીડિતા પતિ સાથે મજૂરી કામ કરે છે. 15 દિવસ પહેલાં જ બાંધકામ સાઈટ પર આરોપી રહેવા આવ્યો હતો. યુવતી એકલી હતી ત્યારે ગેમ રમવાના બહાને રૂમમાં આરોપી આવ્યો હતો. યુવતી સાથે દુષ્કર્મ આચરી ધાક-ધમકી આપી હતી. પીડિતાએ પતિને વાત કરતા મામલો અલથાણ પોલીસ મથકે પહોંચ્યો.
-
અમદાવાદ : આસ્ટોડિયા દરવાજા BRTS કોરિડોર રોડ પર અકસ્માત
અમદાવાદ : આસ્ટોડિયા દરવાજા BRTS કોરિડોર રોડ પર અકસ્માત સર્જાયો. બાઇક BRTSની રેલિંગ સાથે અથડાતા ચાલકનું મોત થયુ છે. બાઇકમાં પાછળ બેઠેલી પુત્રી ઇજાગ્રસ્ત થઇ છે. મૃતક વિરૂદ્ધ અગાઉ હત્યાનો ગુનો નોંધાયો હતો. મૃતકને વર્ષ 2007માં આજીવન કેદની સજા થઇ હતી. ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી.
-
ગુજરાતમાં ઠંડીના કહેર વચ્ચે ફરી માવઠાનો ખતરો
ગુજરાતમાં ઠંડીના કહેર વચ્ચે ફરી માવઠાનો ખતરો મંડરાઇ રહ્યો છે. 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.
-
વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસે
વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસે છે. બંગાળ અને આસામને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવશે. હાવડા અને ગુવાહાટી વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે. માલદામાં 3250 કરોડથી વધુના રેલવે અને રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આસામમાં ઐતિહાસિક બોડો સંસ્કૃતિના ભવ્ય ઉત્સવમાં ભાગ લેશે.
-
રાજકોટના જાણીતા વડાલિયા પરિવાર સાથે કરોડોની છેતરપિંડી
રાજકોટના જાણીતા વડાલિયા પરિવાર સાથે કરોડોની છેતરપિંડી થઇ. ઉંચા વ્યાજની લાલચે કરોડોની છેતરપિંડી. સ્ટોન-ક્રશરના ધંધામાં રોકાણ કરાવી 10.98 કરોડની ઠગાઈ. 12 ટકા વળતરની લાલચે વડાલિયા બંધુઓ પાસેથી કરોડો પડાવ્યા. ફાઈનાન્સર અમિત ભાણવડિયા અને વિજય માકડીયા સામે ફરિયાદ દાખલ. ક્રાઇમ બ્રાન્ચે અમિત ભાણવડિયાને ઝડપ્યો. આરોપી વિજય માકડીયા પોલીસ પકડથી હજુ દૂર છે. આરોપીઓએ માત્ર 1 કરોડ 80 લાખ રૂપિયા પરત આપ્યા. રૂપિયા પરત ન આપવા પાછળ અમિતે આર્થિક તંગીનું કારણ આપ્યું. રાજકોટમાં વધુ લોકોને છેતર્યા હોવાની પોલીસને આશંકા છે.
-
24 કલાક બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા
24 કલાક બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાન વધવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. સાત દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
-
કચ્છના ખાવડામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના ખાવડામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 55 km દૂર નોંધાયું છે. કચ્છ અને રાજકોટ જિલ્લામાં આ મહિનામાં જ ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.
-
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર થઇ છે. 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની બેઠક મળશે. 25 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. બજેટ સત્રમાં 23 દિવસમાં 26 બેઠકો યોજાશે. વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના કરાઈ.
Published On - Jan 17,2026 7:34 AM
Skin care: જો હોળીના રંગને કારણે તમારી ત્વચા પર ફોલ્લીઓ થઈ છે, તો આ ઘરેલું ઉપાયોને ફોલો કરો
ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકના લડી લકના ફોટો જુઓ
કુલ અને કોલ્ડ વોટર વચ્ચે શું છે તફાવત? જાણો તેની શરીર પર શું અસર થાય છે
શકીરાનો પરિવાર જુઓ
ભૂલથી પણ આ 5 વસ્તુઓ સીધી ચહેરા પર ન લગાવો
US-Israel Iran War બોલિવુડ સ્ટાર દુબઈમાં ફસાયા, જુઓ ફોટો