પાકિસ્તાનમાં ખંડિત જનાદેશ, સ્પષ્ટ બહુમતીના અભાવે ઈમરાનખાન, નવાઝ શરીફ, બિલાવર પાસે શું છે હવે વિકલ્પ ?

પાકિસ્તાનમાં યોજાયેલ ચૂંટણીમાં ઈમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી છે. આવી સ્થિતિમાં ઈમરાન ખાનને પીએમ બનતા રોકવા માટે નવાઝ અને આસિફ ઝરદારી વચ્ચે સમજૂતી કરવામાં આવી છે તેવા અહેવાલ સામે આવી રહ્યાં છે.

પાકિસ્તાનમાં ખંડિત જનાદેશ, સ્પષ્ટ બહુમતીના અભાવે ઈમરાનખાન, નવાઝ શરીફ, બિલાવર પાસે શું છે હવે વિકલ્પ ?
Nawaz Sharif, Imran Khan, Bilawar Bhutto
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2024 | 7:12 PM

પાકિસ્તાનમાં યોજાયેલ નેશનલ એસેમ્બલીની ચૂંટણીની મતગણતરી પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સામે આવેલા પરિણામોમાં ઈમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી છે. જો કે કોઈ રાજકીય પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. એક તરફ જેલમાં બંધ રહેલા ઈમરાન ખાન પોતાની જીતનો દાવો કરી રહ્યા છે અને ટૂંક સમયમાં સરકાર બનાવશે. બીજી તરફ, નવાઝ શરીફ ચતુરાઈભરી રણનીતિ અપનાવીને ગઠબંધન સરકાર તરફ આગળ વધ્યા છે. આ દરમિયાન અહેવાલો સામે આવ્યા છે કે નવાઝ શરીફ અને આસિફ અલી ઝરદારી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. સરકાર બનાવવા માટે એક નહીં પરંતુ ચાર વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાનના પીએમ અને નવાઝ શરીફને રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે. બીજી તરફ શાહબાઝ શરીફને પંજાબ પ્રાંતની કમાન સોંપવામાં આવી શકે છે.

પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઈમરાન ખાનના સહયોગી 93 બેઠકો જીતીને સૌથી આગળ છે. જ્યારે સેનાની મદદથી નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ માત્ર 74 સીટો જીતવામાં સફળ રહી છે. બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાર્ટી પીપીપી 54 બેઠકો પર જીત સાથે ત્રીજા સ્થાને છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઈમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો કોઈપણ કિંમતે અલગ થવા તૈયાર નથી. સેનાના તમામ સમજાવટ અને દબાણ છતાં પણ ઈમરાન ખાન પ્રત્યેની તેમની વફાદારી ઓછી નથી થઈ રહી. આવી સ્થિતિમાં ઈમરાન ખાનને રોકવા માટે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની ગઠબંધન સરકાર તરફ આગળ વધી રહ્યા છે. જો કે બંનેમાંથી કોઈએ પુષ્ટિ કરી નથી કે તેઓ કઈ ફોર્મ્યુલા પર સરકાર બનાવવા માટે તૈયાર છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે નવાઝ અને ઝરદારી વચ્ચે 4 વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના નેતા નવાઝ શરીફે ચૂંટણીમાં વિજય જાહેર કર્યો અને તેમના નાના ભાઈ શેહબાઝ શરીફને સરકાર બનાવવા માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન, જમિયત ઉલેમા ઈસ્લામ અને અન્ય પક્ષો સાથે વાતચીત કરવાનું કહ્યું.

નવાઝ અને આસિફ વચ્ચે શું છે ફોર્મ્યુલા?

પાકિસ્તાન સ્થિત બીબીસી ઉર્દૂ દ્વારા પ્રસારીત કરાયેલા અહેવાલમાં, લાહોરના રાજકીય નિષ્ણાત અને પત્રકાર અજમલ જામીનું માનવું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી નવી સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે. બોલ હવે આસિફ અલી ઝરદારીના કોર્ટમાં છે. સવાલ એ છે કે શું તેઓ પોતાના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારી માટે વડાપ્રધાન પદ માંગશે? આ થઈ શકે છે.

બિલાવલ પીએમ બની શકે છે

અજમલ જામીના જણાવ્યા અનુસાર, હાલમાં સરકાર રચવા માટે ઘણા ફોર્મ્યુલા છે, જેમાંથી એક એ છે કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન દરેક અઢી વર્ષ શાસન કરે. તેમનું કહેવું છે કે આ ફોર્મ્યુલા એ પણ ચર્ચા કરી રહી છે કે બિલાવલ ભુટ્ટો ઝરદારીને વડાપ્રધાન બનાવવામાં આવે અને શેહબાઝ શરીફ અથવા મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">