AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાન તરફથી સીઝફાયરની પહેલનું કારણ મળી ગયુ, નૂર ખાન એરબેઝની તબાહીમાં છુપાયેલુ છે આ રહસ્ય

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. જે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ નાટકીય રીતે વધી ગયો. ભારતે 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. આ પછી, પાકિસ્તાનના હુમલાના જવાબમાં કડક કાર્યવાહી કરવામાં આવી.

Breaking News :  પાકિસ્તાન તરફથી સીઝફાયરની પહેલનું કારણ મળી ગયુ, નૂર ખાન એરબેઝની તબાહીમાં છુપાયેલુ છે આ રહસ્ય
| Updated on: May 12, 2025 | 10:28 AM
Share

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. જે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ નાટકીય રીતે વધી ગયો. ભારતે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. આ પછી, પાકિસ્તાનના હુમલાના જવાબમાં કડક કાર્યવાહી કરવામાં આવી.

પાકિસ્તાની પરમાણુ શસ્ત્રોની સુરક્ષા અંગે સવાલ

આ ઓપરેશનમાં 10 મેના રોજ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર કરવામાં આવેલ ઓપરેશનનો પણ સમાવેશ થાય છે. અહીં ભારતીય હુમલાને કારણે નૂર ખાન એરબેઝને મોટું નુકસાન થયું હતું. આનાથી પાકિસ્તાની સેના ખુલ્લી પડી ગઈ. આ ઉપરાંત પાકિસ્તાની પરમાણુ શસ્ત્રોની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા.

રાવલપિંડી પાકિસ્તાની સેનાનું મુખ્ય મથક

10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી. નૂર ખાન એરબેઝ ગુમાવવું અને પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પરનો ખતરો યુદ્ધવિરામના નિર્ણયના કારણોમાંનો એક હતો. રાવલપિંડી પાકિસ્તાની સેનાનું મુખ્ય મથક છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે આ શહેર પર પોતાનો સૌથી મોટો હુમલો કર્યો. નૂર ખાન એરબેઝ રાવલપિંડીમાં આવેલું છે. આ તે જગ્યા છે જ્યાં પાકિસ્તાન વાયુસેના તેના ફાઇટર જેટમાં ઇંધણ ભરે છે. વિમાનોનું સમારકામ કરવામાં આવે છે. પાકિસ્તાનના VVIP નેતાઓ તેમના વિદેશ પ્રવાસો પર અહીંથી ઉડાન ભરે છે. ભારતે આ એરબેઝ પર મોટો હુમલો કર્યો. આનાથી પાકિસ્તાની સેના હચમચી ગઈ.

પરમાણુ હુમલાની ક્ષમતાનો નાશ

ન્યૂ યોર્ક ટાઈમ્સે કહ્યું છે કે નૂર ખાન એરબેઝ પરનો હુમલો પાકિસ્તાન માટે ચેતવણી હતી. ભારતનું આગામી લક્ષ્ય પાકિસ્તાનનું પરમાણુ કમાન્ડ સેન્ટર હોઈ શકે છે. ભારત પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર હુમલો કરીને તેની પરમાણુ હુમલાની ક્ષમતાનો નાશ કરવા માંગતો હતો. આનાથી ગભરાઈને શાહબાઝ શરીફે તાત્કાલિક અમેરિકા ફોન કર્યો.

ભારતે ૧૦ મેના રોજ ચકવાલમાં મુરીદ એરબેઝ અને શોરકોટમાં રફીકી એરબેઝ સાથે નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો હતો. આ માટે બ્રહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન આ મિસાઈલ શોધી પણ શક્યું નહીં. આનાથી નૂર ખાન એરબેઝને ભારે નુકસાન થયું. પાકિસ્તાન આ એરબેઝ પરથી જાસૂસી મિશન ચલાવે છે. તે લાંબા અંતરની મિસાઇલો છોડવા માટેનું એરબેઝ છે. ભારતે આ એરબેઝ પર હુમલો કરીને પાકિસ્તાનની લાંબા અંતરની મિસાઇલ ક્ષમતાનો નાશ કર્યો.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">