AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જેમ બને તેમ જલદી ઈરાન છોડી દે ભારતીયો, યુદ્ધ વિરામ વચ્ચે તહેરાનના ભારતીય દૂતાવાસની એડવાઈઝરી

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે, જેમ બને તેમ જલદીથી ઈરાન છોડી દેવા માટે ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. એટલું જ નહીં, આ એડવાઈઝરીની સાથોસાથ ઈરાન સ્થિત ભારતીયોને કપરા સમયમાં સંપર્ક કરવા માટે ટેલિફોન નંબર પણ જાહેર કર્યાં છે. જો કે એ વાત તો સૌ કોઈ જાણે છે કે, આજે સવારે ઈરાન અને અમેરિકા વચ્ચે 14 દિવસ યુદ્ધવિરામ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

Breaking News : જેમ બને તેમ જલદી ઈરાન છોડી દે ભારતીયો, યુદ્ધ વિરામ વચ્ચે તહેરાનના ભારતીય દૂતાવાસની એડવાઈઝરી
Symbolic Image Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2026 | 5:06 PM
Share

તેહરાનમાં ભારતીય દૂતાવાસે બુધવારે (8 એપ્રિલ, 2026) એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં, ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને વહેલી તકે ઈરાન દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે. વધુ સારા સંકલનને સરળ બનાવવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં ઉપયોગ માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ ભારત દ્વારા તેના નાગરિકો માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવાર 7 એપ્રિલ પછી દૂતાવાસે જાહેર કરેલી આ બીજી એડવાઈઝરી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલો પર બોમ્બ ફેંકવા સાથે એક સભ્યતાને ખતમ કરી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.

ચોક્કસ માર્ગો દ્વારા ઈરાન છોડો

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે: “7 એપ્રિલ, 2026 ના રોજની સલાહ અને તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને, હાલમાં ઈરાનમાં હાજર રહેલા ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની કડક સલાહ આપવામાં આવે છે, દૂતાવાસ સાથે સંકલન કરીને અને દૂતાવાસ દ્વારા સૂચવેલા નિયુક્ત માર્ગોનો ઉપયોગ કરીને આવું કરવું.”

એડવાઈઝરીમાં દૂતાવાસે પુનરોચ્ચાર કર્યો હતો કે, કોઈપણ ભારતીય નાગરિકે દૂતાવાસ સાથે પહેલા સલાહ અને સંકલન કર્યા વિના કોઈપણ આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ તરફ જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.

યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ

આજે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નિર્ધારિત સવારે 8 વાગ્યાની ‘સમયમર્યાદા’ (ભારતીય સમય મુજબ સવારે 5.30 કલાક) સમાપ્ત થવાના લગભગ દોઢ કલાક પહેલા જ ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કરાર ઈરાન દ્વારા વિશ્વના લગભગ પાંચમા ભાગના તેલનું પરિવહન થાય છે તે સ્ટ્રેટ દ્વારા તેલ અને ગેસના પુરવઠા પરના પ્રતિબંધો હટાવવા માટે સંમત થવા પર નિર્ભર છે.

Breaking News US Iran Ceasefire : 2 અઠવાડિયા સુધી ઈરાન-અમેરિકા યુદ્ધ બંધ રહેશે, તો ભારતને શું-શું ફાયદો થશે? જાણો

Follow Us
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
g clip-path="url(#clip0_868_265)">