ચીનને ઘેરવાની તૈયારી, ઓક્ટોબરમાં મોદી જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મુલાકાત કરી શકે
વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની વચ્ચે સંભવિત શિખર સંમેલનને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સંમેલન ઓક્ટોબર મહિનાની આસપાસ થઈ શકે છે. ત્યારે આશા છે કે શિખર સંમેલનમાં ચીનને ઘેરવાની રણનીતિ પર ચર્ચા હશે. જે ભારતની સાથે પોતાની સીમાઓ અને પૂર્વી ચીન સાગરમાં સેનકાકૂ દ્વીપ સમૂહની આસપાસ સ્થિતીને બદલવાના […]
વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની વચ્ચે સંભવિત શિખર સંમેલનને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સંમેલન ઓક્ટોબર મહિનાની આસપાસ થઈ શકે છે. ત્યારે આશા છે કે શિખર સંમેલનમાં ચીનને ઘેરવાની રણનીતિ પર ચર્ચા હશે. જે ભારતની સાથે પોતાની સીમાઓ અને પૂર્વી ચીન સાગરમાં સેનકાકૂ દ્વીપ સમૂહની આસપાસ સ્થિતીને બદલવાના પ્રયત્નો કરી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પહેલા આ શિખર સંમેલન ડિસેમ્બર 2019માં ગુવાહાટીમાં યોજાવાનું હતું પણ નાગરિકતા સંશોધન કાયદાની વિરૂદ્ધ વિરોધ-પ્રદર્શનના કારણે અસમને બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સમિટની આગામી તારીખ નક્કી ના થઈ શકી, કારણ કે ત્યારબાદ ચીનમાં પેદા થયેલા કોરોના વાઈરસે સમગ્ર દુનિયામાં હડકંપ મચાવી દીધો.
એક અહેવાલ મુજબ એક અધિકારીનું કહેવું છે કે શિખર સંમેલન ઓક્ટોબરમાં થઈ શકે છે, તેના પહેલા યોજાવવાની કોઈ શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં એ નક્કી થયું નથી કે વડાપ્રધાન આબે શિખર સંમેલન માટે ભારતનો પ્રવાસ કરશે કે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. જાપાન સિવાય ભારત બીજા દેશોની સાથે પણ રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા પર જોર આપી રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]