એર સ્ટ્રાઇક પર ભારતને ન પહોંચી વળતાં, પાકિસ્તાન હવે પર્યાવરણના સહારે સંયુક્ત રાષ્ટ્રમાં કરશે ફરિયાદ, શું છે સમગ્ર ઘટના?
પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના એક મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન ભારત વિરૂધ્ધ સંયુકત રાષ્ટ્રમાં ફરિયાદ દાખલ કરશે. TV9 Gujarati પાકિસ્તાનનો આરોપ છે કે ભારતે કરેલી ઍર સ્ટ્રાઈકમાં વન સંપદાને નુકસાન પહોંચાડયું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતની કાર્યવાહી ઈકો-ટેરરીઝમમાં આવવી જોઈએ. ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી તણાવ ચાલે છે. વિશ્વની ઘણી મોટી શક્તિઓ ભારત […]
પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના એક મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન ભારત વિરૂધ્ધ સંયુકત રાષ્ટ્રમાં ફરિયાદ દાખલ કરશે.
પાકિસ્તાનનો આરોપ છે કે ભારતે કરેલી ઍર સ્ટ્રાઈકમાં વન સંપદાને નુકસાન પહોંચાડયું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતની કાર્યવાહી ઈકો-ટેરરીઝમમાં આવવી જોઈએ. ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી તણાવ ચાલે છે. વિશ્વની ઘણી મોટી શક્તિઓ ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થી કરવાની કોશિશ કરી રહ્યાં છે. ભારતે પાકિસ્તાનના સૌથી મોટા આતંકવાદી કેમ્પને નિશાનો બનાવ્યો હતો. આ ઍર સ્ટ્રાઈકમાં ઘણાં આતંકીવાદીને ઠાર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના હવામાન પરિવર્તન મંત્રી મલિક અમીન અસલામે કહ્યું કે ભારતીય વિમાનોએ વન વિસ્તારમાં ઍર સ્ટ્રાઈક કરી હતી. હવે ,સરકાર પર્યાવરણ પર કેટલી અસર થઈ તે બાબતે સર્વે કરી રહી છે. સંયુકત રાષ્ટ્ર અને અન્ય સ્તરો પર તેની ફરિયાદનો આધાર બનાવામાં આવશે. ઍર સ્ટ્રાઈકના કારણે વન વિસ્તારમાં વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે.
સંયુકત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવ 47/37 અનુસાર સેના ઓપરેશન દરમિયાન પર્યાવરણને નુકસાન ના થવું જોઈએ. જો કોઈ સેનાની કાર્યવાહીમાં પર્યાવરણની તબાહી થાય છે તો આ આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.
[yop_poll id=1911]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]