ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત લોકોમાં કોવિડ પછીની સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલુ રહે છે : અભ્યાસ
આ સિવાય આ લોકોમાં વજન ઘટવું, શુગર લેવલમાં વધારો, માનસિક તણાવ અને બીજી ઘણી સમસ્યાઓ જોવા મળી છે. આ સંશોધન દર્શાવે છે કે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકોને કોવિડ થયા પછી વધુ સમસ્યા થાય છે.
કોરોના વાયરસમાંથી (Corona Virus) સ્વસ્થ થયા પછી લોકો વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે. તેમાં સ્નાયુઓમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ફેફસાં નબળાં પડવા અને થાકની સમસ્યા સૌથી સામાન્ય છે. હવે એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જે લોકોને ટાઈપ-2 ડાયાબિટીસની (Type -2 Diabetes) સમસ્યા હોય છે. તેમને લાંબા સમય સુધી કોવિડ પછીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ લોકોમાં હૃદય અને અન્ય અંગો પર અસર થવાનું જોખમ પણ વધારે હોય છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકોને ડાયાબિટીસ હતો અને તેમને કોરોના પણ થયો હતો, તો આવા દર્દીઓને સાજા થવામાં સૌથી વધુ સમય લાગ્યો હતો. આ દર્દીઓમાં થાકની સમસ્યા લાંબા સમય સુધી રહે છે. કોવિડમાંથી સાજા થયાના ઘણા મહિનાઓ પછી પણ આવા લોકો સાજા થયા નથી.
અન્ય લોકોની સરખામણીમાં ટાઈપ-2 ડાયાબિટીસવાળા લોકોને સૌથી વધુ તકલીફ પડી છે. આ દર્દીઓ કોવિડથી સંક્રમિત હતા ત્યારે પણ મૃત્યુનું જોખમ વધારે હતું. તેમાંથી કેટલાકને ગંભીર ચેપ પણ લાગ્યો હતો. હવે સ્વસ્થ થયા પછી પણ આ દર્દીઓમાં લાંબા સમય સુધી કોવિડ સિન્ડ્રોમની સમસ્યા રહે છે.
108 દર્દીઓએ સામેલ થયા ફોર્ટિસ હોસ્પિટલના ડાયાબિટીસ અને એન્ડોક્રિનોલોજી વિભાગના ડાયરેક્ટર ડૉ. અનૂપ મિશ્રાએ જણાવ્યું હતું કે આ અભ્યાસમાં 108 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી 56ને ટાઇપ 2 ડાયાબિટીસ હતો, જ્યારે 52 ને ન હતું. આ તમામ દર્દીઓમાં લગભગ સમાન BMI, વિટામિન સ્તર, હિમોગ્લોબિન અને THS સ્તરો હતા, પરંતુ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં થાક નોંધપાત્ર રીતે વધુ જોવા મળ્યું હતું.
આ સિવાય આ લોકોમાં વજન ઘટવું, શુગર લેવલમાં વધારો, માનસિક તણાવ અને બીજી ઘણી સમસ્યાઓ જોવા મળી છે. આ સંશોધન દર્શાવે છે કે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકોને કોવિડ થયા પછી વધુ સમસ્યા થાય છે. સંક્રમિત થયાના ઘણા મહિનાઓ પછી પણ આ લોકો સ્વસ્થ થઈ શક્યા નથી.
શુગર લેવલને કંટ્રોલમાં રાખવું જરૂરી છે ડૉ. અનૂપ કહે છે કે જે લોકોને કોરોના હતો અને ડાયાબિટીસ પણ છે તો આવા દર્દીઓએ તેમનું શુગર લેવલ કંટ્રોલમાં રાખવું જોઈએ. ડોક્ટરનું કહેવું છે કે કોરોનામાંથી સાજા થયાના એક વર્ષ પછી પણ શુગરનું લેવલ વધવા ન દેવું જોઈએ. આ માટે જરૂરી છે કે લોકો નિયમિત રીતે સુગર ચેક કરે. જો શુગર લેવલ 180 થી ઉપર જતું હોય તો ડોક્ટરની સલાહ લો.
આ પણ વાંચો : આ ટીપ્સથી મેળવી શકાશે ખાંડની આદતથી છુટકારો, વજન પણ ઝડપથી ઘટશે
આ પણ વાંચો : Ayurveda: આમળા છે અતિગુણકારી, આમળાના જ્યુસના ફાયદા જાણીને રહી જશો દંગ