ખાટા ઓડકારની સમસ્યાથી રહો છો પરેશાન ? અજમાવી જુઓ આ કારગર ઉપાયો
ખાટા ઓડકાર આવવા એક સામાન્ય સમસ્યા છે. જે લગભગ ક્યારે ને ક્યારેક બધાને જ થાય છે. પણ તેના કારણે ક્યારેક ગળામાં, પેટમાં અને છાતીમાં તીવ્ર બળતરા પણ થાય છે. હકીકતમાં લોકો ખાવાપીવામાં કેટલીકવાર બેદરકારી રાખતા હોય છે, તેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ઉભી થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે વધારે પ્રોટીનવાળા આહાર લેવાથી […]
ખાટા ઓડકાર આવવા એક સામાન્ય સમસ્યા છે. જે લગભગ ક્યારે ને ક્યારેક બધાને જ થાય છે. પણ તેના કારણે ક્યારેક ગળામાં, પેટમાં અને છાતીમાં તીવ્ર બળતરા પણ થાય છે. હકીકતમાં લોકો ખાવાપીવામાં કેટલીકવાર બેદરકારી રાખતા હોય છે, તેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ઉભી થઇ જાય છે.
એવું માનવામાં આવે છે કે વધારે પ્રોટીનવાળા આહાર લેવાથી અને દારૂ પીવાથી પણ ખાટા ઓડકાર આવી શકે છે. જેના કારણે પાચન સંબંધિત સમસ્યા ઉભી થાય છે. તેનાથી બચવા આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.
1). ક્યારેક ક્યારેક એવું થાય છે કે સવારે ઉઠતાની સાથે જ ખાટા ઓડકાર આવવા લાગે છે. જો તમને પણ કાયમ આ સમસ્યા રહેતી હોય તો એક ગ્લાસ લીંબુ શરબત પી લેવું. અને સાદા મીઠુંની જગ્યાએ કાળું મીઠું વાપરશે તો જલ્દી રાહત મળશે.
2). જો તમને બપોરના સમયે ખાટા ઓડકાર આવે તો મીઠું દહીં ખાવું જોઈએ. તેનાથી પેટને ઠંડક મળશે અને ખાટા ઓડકારથી પણ તરત રાહત મળશે.
3).જો તમને રાત્રે ખાટા ઓડકારની સમસ્યા સતાવી રહી હોય તો લીંબુ પાણી કે દહીંનું સેવન બિલકુલ નહિ કરો. તેનાથી તમને નુકશાન થઇ શકે છે. રાતના સમયે તમે વરિયાળી અને મિશ્રિનું સેવન કરો. તેનાથી પાચનતંત્ર સારું થશે અને મિશ્રિથી પેટને ઠંડક પણ મળશે.
4). ખાટા ઓડકારથી બચવા સૌથી સારો અને કારગર ઉપાય એ છે કે તમે જલ્દીમાં ખાવા પીવાની આદત છોડી દો. આ ઉપરાંત વધારે મીઠું અને મસાલાવાળું નહિ ખાઓ. જમ્યા પછી ઓછામાં ઓછું એક કલાક સુધી પાણી ન પીઓ. જો તમારી પાચનક્રિયા યોગ્ય હશે તો ખાટા ઓડકારની સમસ્યા પણ જતી રહેશે.
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે, આ સંદર્ભે ફેમીલી ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો