AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસના દર્દીઓ ઉનાળા રાખે આ બાબતનું રાખે ખાસ ધ્યાન, જાણો હેલ્થ એક્સપર્ટની ટિપ્સ

તબીબોનું કહેવું છે કે વધતા તાપમાનમાં સુગરના દર્દીઓએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ભારે ગરમીના કિસ્સામાં આવા દર્દીઓએ ઘરમાં જ રહેવું જોઈએ. તેણે પોતાના આહારનું ધ્યાન રાખવું જોઈએ અને શરીરમાં પાણીની કમી ન થવા દેવી જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ ઉનાળા રાખે આ બાબતનું રાખે ખાસ ધ્યાન, જાણો હેલ્થ એક્સપર્ટની ટિપ્સ
Diabetes patients summer tips (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 5:16 PM
Share

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandvia) એ 3 ડિસેમ્બર, 2021 ના ​​રોજ લોકસભામાં જણાવ્યું હતું કે 2021 માં 20-79 વર્ષની વય જૂથમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 7 કરોડ 40 લાખની નજીક છે. એવી આશંકા છે કે 2045 સુધીમાં તેમની સંખ્યા વધીને 12 કરોડ 40 લાખની નજીક પહોંચી જશે. ભારતીય ડાયાબિટીસ સ્ટડી (IDS) અનુસાર, આ રોગ શહેરી વિસ્તારોમાં 10.9 ટકાથી 14.2 ટકા વચ્ચે ફેલાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ, 20 વર્ષ અને તેથી વધુ વયની વસ્તીના 3 થી 7.8 ટકા લોકો ડાયાબિટીસથી ગ્રસ્ત છે, જ્યારે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ડાયાબિટીસ વ્યાપ ઘણો વધારે જોવા મળી રહ્યો છે.

જૈન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના ફિઝિશિયન, એમડી,ડોક્ટર સોનુકુમાર પુરીએ જણાવ્યું હતું કે દેખીતી રીતે ડાયાબિટીસના દર્દીઓ કોઈ મીઠુ (ગળ્યું ) પીણું પી શકતા નથી. તેઓ કહે છે કે મીઠું કંઈપણ પીવું કે ખાવું એ બિલકુલ પ્રતિબંધિત છે. આ ખતરનાક બની શકે છે અને શુગર લેવલ વધારી શકે છે. શરીરમાં વધુ પડતી ખાંડ કિડની સહિત તમામ અંગોને નુકસાન પહોંચાડે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

ગરમી સુગરના દર્દીઓને અસર કરે છે

તેમણે એમ પણ કહ્યું કે ગરમી ડાયાબિટીસના દર્દીઓને વધુ અસર કરે છે. ડાયાબિટીસ શરીરના જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચાડે છે. તેનાથી પરસેવાની ગ્રંથિઓને નુકસાન થાય છે અને શરીરને યોગ્ય રીતે પરસેવો થતો નથી. વાતાવરણમાં તાપમાન વધવાને કારણે તે વધુ ખતરનાક બને છે અને હીટ સ્ટ્રોકનું જોખમ વધે છે. વધુ પડતી ગરમીને કારણે દર્દીઓમાં થાક અને ડિહાઇડ્રેશનનું જોખમ રહેલું છે. સુગરના દર્દીઓ વારંવાર પેશાબ કરવા જાય છે, આનાથી પણ ડિહાઇડ્રેશન થાય છે. ડિહાઇડ્રેશનનું પરિણામ એ છે કે શરિરના કોષમાં લોહીનો પુરવઠો ઘટાડે છે. આથી, તમે લીધેલ ઇન્સ્યુલિનને શોષવાની શરીરની ક્ષમતા ઘટી જાય છે.

ડાયાબિટીસના દર્દીઓ ઉનાળામાં શું કરી શકે?

તાપમાનમાં વધારા સાથે, સુગરના દર્દીઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ડોક્ટર પુરી કહે છે કે આવા લોકો માટે ઘરમાં રહેવું શ્રેષ્ઠ છે. આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા કોઈપણ દર્દી આ રોગ સાથે સંકળાયેલ તકલીફ વધે નહીં. દર્દીને પુષ્કળ પાણી પીવું જરૂરી છે. નાળિયેર પાણી શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે, તેઓ નારંગી, પાઈનેપલ, ટામેટાંનો રસ, કારેલાનો રસ જે પોટેશિયમથી ભરપૂર હોય છે, કાકડીનો રસ અને બીન સ્પ્રાઉટનો લઈ શકે છે. આવી સિઝનમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટની માત્રા સૌથી વધુ હોય તેવી તુવેર દાળ લેવી ફાયદાકારક છે. અડદની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, મગની દાળ જેમાં ફોલેટ B9 હોય છે તેનું સેવન કરવું પણ ફાયદાકારક છે.

દ્વારકાની મણિપાલ હોસ્પિટલના ડાયેટિશિયન ડોક્ટર વૈશાલી વર્મા પણ એવું જ માને છે. તેણી કહે છે કે ડાયાબિટીસના દર્દીઓ ખાંડ લઈ શકતા નથી, તેથી તેમના માટે કેટલાક વિકલ્પો છે જે તેમને સ્વસ્થ રાખવા અને તેમના ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક હોઈ શકે છે. સુગરના દર્દીઓ સત્તુને આરોગી શકે છો, તેઓ લીંબુનો રસ, મસાલા, મીઠું અને ઠંડુ પાણી ઉમેરી શકે છે. તેઓ ફુદીનાનું પાણી મીઠું અને લીંબુ સાથે પણ લઈ શકે છે. જલજીરા અને ઓછી ફેટ વાળી છાશ તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દર્દીઓ સફરજનના રસને કાકડી જેવા શાકભાજીમાં ભેળવીને ખાઈ શકે છે. આ વસ્તુઓ તેમને સારી રીતે હાઈડ્રેટ રાખશે અને શુગર લેવલ પણ કંટ્રોલમાં રહેશે.

ડાયાબિટીસના દર્દીઓ શા માટે ગળ્યુ ખાવાની ઝંખના થાય છે?

ડોક્ટર વર્મા કહે છે કે હકીકતમાં કોઈ મીઠી વસ્તુ ખાવાની તલપ નથી. તેણી સમજાવે છે – જ્યારે ડાયાબિટીસનો દર્દી ડિહાઇડ્રેટ થઈ જાય છે, ત્યારે તેને તરસ લાગે છે. આ તરસથી વ્યક્તિને એવું લાગે છે કે કંઈક મીઠી ખાવી જોઈએ. દર્દીઓને ખરેખર ઇલેક્ટ્રોલાઇટ્સની જરૂર હોય છે. આ કિસ્સામાં, ફળની સ્મૂધી અથવા કોઈપણ કૃત્રિમ સ્વીટનર લઈ શકાય છે અથવા ખજૂર અથવા થોડી કિસમિસ પણ લઈ શકાય છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે ડાયાબિટીસના દર્દીઓએ પૂરતું પાણી લેવું જ જોઈએ. જ્યાં સુધી તેઓ પૂરતું પાણી પીતા રહેશે ત્યાં સુધી તેઓને મીઠાઈ ખાવાની તૃષ્ણા નહિ થાય.

જ્યારે ડાયાબિટીસના દર્દીઓએ ડિહાઇડ્રેટેડ હોય ત્યારે શું કરવું જોઈએ

ડૉક્ટર વર્મા કહે છે કે જો ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ ડિહાઇડ્રેટેડ થઈ જાય છે, તો તેના માટે બીલાનું શરબત શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે પરંતુ ખાંડ વિના. શુગરના દર્દીઓને ત્વરિત તાજગી આપવા માટે તે શ્રેષ્ઠ પીણું છે. ડાયાબિટીસના દર્દીઓ પણ આવી સ્થિતિમાં 200 ગ્રામ તરબૂચ ખાઈ શકે છે, પરંતુ તેનો રસ પીવો નહીં. જો કે, તે દર્દીના શુગર લેવલ પર પણ આધાર રાખે છે.

આ પણ વાંચો : Rajkot : નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસનો પ્રચાર કરતા જૂના ફોટો વાયરલ

આ પણ વાંચો :Panchmahal: હાલોલની દર્શના પટેલ મિસિસ ઇન્ડિયા યુનિવર્સના ખિતાબથી સન્માનિત

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">