AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસનો પ્રચાર કરતા જૂના ફોટો વાયરલ

નરેશ પટેલ એપ્રિલ મહિનામાં પોતે રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે અંગેનો નિર્ણય જાહેર કરશે. પરંતુ આ બધાની વચ્ચે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવા અંગેની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

Rajkot : નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસનો પ્રચાર કરતા જૂના ફોટો વાયરલ
Rajkot: Amid speculation of Naresh Patel joining politics, an old photo campaigning for Congress went viral
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 01, 2022 | 3:12 PM
Share

લેઉવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તેના પર સૌની નજર છે.નરેશ પટેલ (Naresh Patel) આમ આદમી પાર્ટી (AAP)-કોંગ્રેસ (Congress) અથવા તો ભાજપ (bjp) ક્યાં પક્ષમાં જોડાશે તે ખુદ નરેશ પટેલ જ જાણે છે. જોકે આ બધાની વચ્ચે નરેશ પટેલના વર્ષ 2009માં કોંગ્રેસ માટે પ્રચાર કરતા ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે.

લોકસભાની ચૂંટણીમાં નરેશ પટેલે કર્યો હતો પ્રચાર-મહેશ રાજપૂત

આ અંગે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે કહ્યું હતું કે નરેશ પટેલે વર્ષ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. રાજકોટમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હતા. અને તેના રોડ શો માટે અભિનેત્રી ઝિન્નત અમાન પણ આવી હતી. જેમાં નરેશ પટેલ કોંગ્રેસનો ખેસ પહેરીને પ્રચાર કર્યો હતો.આ સમયે મહેશ રાજૂપત પણ આ રોડ શોના સાક્ષી રહ્યા છે.

પ્રશાંત કિશોર અને નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસને મજબૂત કરશે તેવી ચર્ચા

નરેશ પટેલ એપ્રિલ મહિનામાં પોતે રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે અંગેનો નિર્ણય જાહેર કરશે. પરંતુ આ બધાની વચ્ચે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવા અંગેની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.નરેશ પટેલ કોંગ્રેસના સંગઠનમાં જોડાઇને પ્રશાંત કિશોર તેને મદદ કરી શકે છે. પરંતુ આ વાત નક્કી ત્યારે જ માની શકાય જ્યારે નરેશ પટેલ કોઇ સત્તાવાર જાહેરાત કરે,પરંતુ હાલમાં નરેશ પટેલના આ ફોટોએ જરૂરથી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

નરેશ પટેલે વર્ષ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો, જેમાં ઝીન્નત અમાન પણ આવી હતી

મારે બંધારણનો આદર કરવો જોઇએ,પછી સમાજ કરે તેમ-નરેશ પટેલ

આ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટમાં રાજકીય વ્યક્તિને પ્રવેશ નહિ હોવાનો બંધારણનો મારે આદર કરવો જ જોઇએ અને આ આદર પ્રમાણે મારે ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દેવું જોઇએ. પરંતુ સમાજની જે લાગણી હોય તેને પણ મારે સ્વીકારવી જોઇએ.એટલે જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ આવશે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ અને સમાજના લોકો જે નિર્ણય લેશે તે સ્વીકાર્ય રહેશે.

અગાઉ ત્રણ ટ્રસ્ટીઓએ આપ્યા હતા રાજીનામા

ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થઇ ત્યારથી જો કોઇ રાજકીય વ્યક્તિઓને ચૂંટણી લડવી હોય તો ટ્રસ્ટમાંથી રાજીનામું આપવું પડે તેવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું આ બંધારણ મુજબ ટ્રસ્ટમાંથી ત્રણ ટ્રસ્ટીઓ વર્ષ 2017માં રાજીનામાં આપ્યા હતા.વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર દિનેશ ચોવટીયા,રવિ આંબલિયા અને મિતુલ દોંગાએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું ત્યારે નરેશ પટેલના રાજકીય પ્રવેશ પહેલા તેઓએ ટ્રસ્ટ છોડવું પડે પરંતુ અંતે તો તેનું ટ્રસ્ટી મંડળ નિર્ણય લેશે.

આ પણ વાંચો-

રાજકોટ : પાટીદારોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ, કોંગ્રેસે પાટીદારોને સંગઠનમાં સ્થાન આપવાની બાંહેધરી આપી

આ પણ વાંચો-

Surat Exclusive : મોબાઈલ ચોર મહિલાને લોકોએ પકડીને તેને ભણાવ્યો સ્વચ્છતાનો પાઠ , બિલ્ડીંગમાં ઝાડુ પકડીને કરાવી સફાઈ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">