Rajiv Dixit Health Tips : જાણો કયું પાણી પીવા માટે છે સૌથી સારું, રાજીવ દીક્ષિતે જણાવી RO પાણીની વાસ્તવિકતા, જુઓ Video

|

May 26, 2023 | 7:00 AM

આયુર્વેદ માને છે કે શ્રેષ્ઠ પાણી એ વરસાદનું પાણી છે. તેથી જો તમે વરસાદનું પાણી ભેગું કરીને આખા વર્ષ દરમિયાન પી શકો તો તમારાથી વધુ નસીબદાર બીજું કોઈ નહીં હોય.

Rajiv Dixit Health Tips : જાણો કયું પાણી પીવા માટે છે સૌથી સારું, રાજીવ દીક્ષિતે જણાવી RO પાણીની વાસ્તવિકતા, જુઓ Video

Follow us on

Ahmedabad: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમને અનેક બીમારીઓના ઘરેલુ ઉપાય જણાવ્યા છે. રાજીવ દીક્ષિતે જણાવ્યું કે વરસાદનું પાણી સૌથી શ્રેષ્ઠ છે, હવે તમે વિચારતા હશો કે આપણે પાણી કેવી રીતે એકત્રિત કરી શકીએ. તો જવાબ ખૂબ જ સરળ છે. તમારા ધાબા પરનું જે પાણી છે, તેને પાઇપ વડે ટાંકીમાં ભેગુ કરો. ભૂગર્ભ ટાંકી બનાવો, તેમાં સંપૂર્ણ પાણી નાખો. વરસાદી પાણીની કોઈ એક્સપાયરી ડેટ નથી. જો તમે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણીનો સંગ્રહ કર્યો હોય તો તમે આ પાણી 2 વર્ષથી 3 વર્ષ સુધી પી શકો છો, તેમાં કોઈ સમસ્યા નહીં આવે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: મીઠાના ઉપયોગથી બ્લડ પ્રેશરમાં થાય છે અનેક ફાયદા, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઉપાયો, જુઓ Video

રાજસ્થાનના દરેક ગામમાં પાણીની ટાંકી છે. ત્યાં વરસાદ ઓછો પડે છે. તેથી જ ત્યાંના લોકો પાણીના દરેક ટીપાને એકઠા કરે છે. કમળાનો રોગ ત્યાં ક્યારેય થતો નથી. કારણ કે ત્યાંના લોકો વરસાદનું પાણી પીવે છે જે અમૃત જેવું કામ કરે છે. બીજું પાણી જે શ્રેષ્ઠ ગણાય છે તેને નદીનું પાણી કહે છે. ગ્લેશિયર સાથે જોડાયેલી નદીઓ જેમ કે ગંગા નદી. કારણ કે ગ્લેશિયરનો બરફ જામી જાય છે, પછી પીગળે છે અને પછી તેમાંથી પાણી બનીને નદીઓમાં જાય છે. એટલા માટે આ પાણી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

મહાનગરપાલિકાનું પાણી સૌથી ખરાબ

ત્રીજું શ્રેષ્ઠ પાણી તળાવનું પાણી છે. અને ચોથું બોર્ડનું સારું પાણી છે જે વરસાદના પાણીને રિચાર્જ કરી બોરિંગમાં આવે છે. અને પાંચમું શ્રેષ્ઠ પાણી મહાનગરપાલિકાનું છે. તમે ગમે તે પીઓ, હવે તમે જ વિચારો, મહાનગરપાલિકાનું પાણી છેલ્લામાં છે, એટલે કે બાકીના પાણી કરતાં સૌથી ખરાબ છે. મ્યુનિસિપલ પાણી કરતા બેથી દસ હજાર એક વખત ખર્ચીને તમારા ધાબા પર પાઇપ મૂકીને ભૂગર્ભ ટાંકીમાં પાણી એકત્રિત કરો.

કોર્પોરેશનનું પાણી ઉકાળ્યા વગર ન પીઓ

જો તમે વરસાદના પાણીને ચોખ્ખું રાખવા માંગતા હોવ તો તેમાં કોઈ કેમિકલનો ઉપયોગ ન કરો, તેના બદલે તેમાં ચૂનો નાખો. વરસાદ શરૂ થતાંની સાથે જ છત પર ચૂનાનો પથ્થર મૂકો, પછી સંપર્કમાં આવનાર તમામ પાણી ફિલ્ટર દ્વારા આવશે. તેથી આનાથી તેમાં રહેલી માટીની ખરાબ અસર દૂર થશે, તેથી છતનું પાણી એકત્રિત કરવાનો પ્રયાસ કરો. જો તમે ન કરી શકો, તો તમારી પાસે કોર્પોરેશનનું પાણી છે, તેને ઉકાળ્યા વિના પીશો નહીં. હવે તમે કહેશો કે આ પાણીને ROમાં નાંખો અને તેને ગાળી લો અને ઉકાળીને પી લો? તો બેમાંથી કયું સારું છે? અમારા મતે, ઉકાળવું વધુ સારું છે. કારણ કે ROમાં પાણી ફિલ્ટર કરતી વખતે તેના કેટલાક રસાયણો નષ્ટ થઈ જાય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેથી જ આરોનું પાણી પીવું જોઈએ નહિ, જ્યારે કશું જ ન મળે તો ROનું પાણી પીવુ મજબૂરી બને છે.

 

 

રાજીવ એ કહ્યું કે તેમણે દરેક બ્રાન્ડના RO પર સંશોધન કર્યું, જેના પરથી તેમને ખબર પડી કે તે પાણી, ક્યારેક કેલ્શિયમ અને ક્યારેક આયર્નનું પરફોર્મન્સ ઘટાડે છે. તેથી તેણે RO બનાવનારાઓને તેની ગુણવત્તા સુધારવા માટે પત્ર લખ્યો. તો તેમનો જવાબ આવ્યો કે અમે પાણીને શુદ્ધ કરવા માટે મશીનો બનાવીએ છીએ ગુણવત્તા ઉચ્ચ બનાવવા માટે નહીં.

ભગવાનના પાણીથી વધુ શુદ્ધ બીજું કંઈ હોઈ શકે નહીં. વરસાદનું પાણી માટીની ટાંકીમાં સંગ્રહિત કરવું શ્રેષ્ઠ છે. કાચની બોટલ પણ રાખી શકાય છે. કાચ એ માટીનું બીજું સ્વરૂપ છે. જો સિલિકાને થોડું શુદ્ધ કરવામાં આવે તો તે કાચ બની જાય છે. જેમને બરમાકેલા, અસ્થમા, ક્ષય વગેરે જેવા રોગો હોય, તેમણે હંમેશ ગરમ પાણી પીવું જોઈએ.

જ્યારે RO નહોતા ત્યારે લોકો વધુ બીમાર હતા, તેમને પીવા માટે શુદ્ધ પાણી મળતું ન હતું. હવે કેટલાક મૂર્ખ દલીલ કરશે કે હવે પાણી વધુ ગંદુ થઈ ગયું છે, તેથી જ Roની જરૂર હતી. સૌથી પહેલા તો મારા મહાન વિદ્વાનો, સમજો કે પાણી ગમે તેટલું ગંદુ થઈ જાય, તેના માટે આપણી પાસે ફ્રી ટેક્નોલોજી છે.

વૈશ્વિક સ્તરે બોટલમાં બંધ વોટરનો બિઝનેસ ટ્રિલિયન સુધી પહોંચી ગયો છે. શુદ્ધતા અને સ્વચ્છતાના નામે વેચાતું બોટલનું પાણી સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. ઘણા અભ્યાસોમાં આ વાત સામે આવી છે. આ ઉપરાંત બોટલબંધ પાણીનો ઉપયોગ કર્યા બાદ મોટી સંખ્યામાં બોટલો કચરામાં ફેરવાઈ રહી છે અને તે પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભી કરી રહી છે.

 

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article