શું વાઈના હુમલા વારંવાર આવે છે? હોઈ શકે છે મગજમાં ગાંઠના લક્ષણ, જાણો શું છે સારવાર

વાઇ મગજ સાથે જોડાયેલી બીમારી છે, પરંતુ આજે પણ લોકોમાં આ રોગ વિશે જાણકારીનો અભાવ જોવા મળે છે. દેશના ઘણા વિસ્તારોમાં વળગાડ દ્વારા વાઈના ઈલાજના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે આ રીતે વાઈની સારવાર કરવી યોગ્ય નથી.

શું વાઈના હુમલા વારંવાર આવે છે? હોઈ શકે છે મગજમાં ગાંઠના લક્ષણ, જાણો શું છે સારવાર
Epilepsy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2023 | 6:21 PM

એપીલેપ્સી એટલે કે વાઈ આવવી કે હિન્દીમાં જેને મીર્ગી કહેવામાં આવે છે તે દાયકાઓ જૂનો રોગ છે, પરંતુ આજે પણ લોકોમાં આ રોગ વિશે માહિતીનો અભાવ છે. એપીલેપ્સી એ મગજ સંબંધિત રોગ છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે જે લોકોને વારંવાર વાઈના હુમલા આવે છે તેમને મગજની ગાંઠો થવાનું જોખમ અનેક ગણું વધારે હોય છે.

ડોકટરો પણ કહે છે કે એપીલેપ્સીથી પીડિત દર્દીઓએ તેને સામાન્ય સમસ્યા ન ગણવી જોઈએ.જો સારવાર છતાં હુમલા ચાલુ રહે તો મગજનો એમઆરઆઈ કરાવવો જોઈએ.આ ટેસ્ટ મગજમાં ગાંઠ છે કે કેમ તેની માહિતી આપશે. જો ગાંઠ દેખાય છે, તો તેની સમયસર સારવાર કરી શકાય છે.જો વિલંબ થાય તો દર્દીના જીવને જોખમ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, સમયસર પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે.

ડોક્ટરોનું કહેવું છે કે એપિલેપ્સી હજુ પણ સામાન્ય સમસ્યા ગણાવાની લોકો ભુલ કરે છે. દેશના ઘણા વિસ્તારોમાં, આ રોગને દેશી પદ્ધતિઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, પરંતુ આ યોગ્ય નથી. કારણ કે એપીલેપ્સી મગજ સંબંધિત રોગ છે. જેની સમયસર સારવાર જરૂરી છે. એપીલેપ્સીને ઘરેલું ઉપચાર કરતાં અદ્યતન સારવાર પદ્ધતિઓની જરૂર છે. આ રોગની સારવાર માટે પણ નવી ટેકનોલોજી આવી રહી છે. સાયબરનાઈફ રેડિયોસર્જરી એક એવી ટેકનિક છે જેની મદદથી આ રોગનો સફળતાપૂર્વક ઈલાજ કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-12-2023
વર્ષ 2023માં આ ખેલાડીઓએ જીત્યા સૌથી વધારે મેન ઓફ ધ મેચ, જુઓ લિસ્ટ
મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ

વાઈ અને મગજની ગાંઠો

આર્ટેમિસ હોસ્પિટલ ગુરુગ્રામના ન્યુરો સર્જરી વિભાગના ડાયરેક્ટર ડૉ. આદિત્ય ગુપ્તા કહે છે કે જે લોકોને એપિલેપ્ટિક હુમલા વધુ હોય છે, તે મગજની ગાંઠનું લક્ષણ હોઈ શકે છે. આ સમસ્યા કોઈપણ ઉંમરે થાય છે. આવી સ્થિતિમાં, જો પરિવારમાં કોઈ વાઈથી પીડિત હોય, તો તેના મગજના તમામ પરીક્ષણો થવા જોઈએ. તેની મદદથી બ્રેઈન ટ્યુમરને સમયસર શોધી શકાય છે.

સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

ડો. આદિત્ય જણાવ્યા અનુસાર વાઈની સારવાર દવાઓથી થાય છે. જો કોઈને વાઈની સાથે મગજની ગાંઠ હોય તો તેના માટે સાઈબરનાઈફ રેડિયો સર્જરી કરવાવની સલાહ આપવામાં આવે છે. આ સર્જરીમાં કોઈ ચીરા કે કટની જરૂર નથી. આમાં, રેડિયેશન કિરણોનો ઉપયોગ કરીને ટ્યુમર વિસ્તારને નિશાન બનાવવામાં આવે છે.

આ એક ખૂબ જ ચોક્કસ પ્રક્રિયા છે. આ એક બિન-આક્રમક સર્જરી છે. જે ખાસ કરીને ગાંઠોનો નાશ કરે છે. મગજની ગાંઠ ધરાવતા એપીલેપ્સી દર્દીઓ માટે સાયબરનાઈફ રેડિયોસર્જરી એ એક સારો વિકલ્પ છે.

લોકોને જાગૃત કરવાની જરૂર છે

ડૉ. આદિત્ય સમજાવે છે કે એપીલેપ્સી મગજનો રોગ છે અને તેની સારવાર ઘરગથ્થુ પદ્ધતિઓથી થઈ શકતી નથી. લોકોએ આ રોગ વિશે જાગૃતિ રાખવી જરૂરી છે. મગજના સ્વાસ્થ્ય માટે જનજાગૃતિ વધારવી એ એક સારું પગલું હોઈ શકે છે. આ માટે દરેકે પ્રયત્નો કરવાની જરૂર છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Latest News Updates

દાંતીવાડા ડેમના ગેટમાં ખામી સુધારવામાં કેટલાક અંશે સફળતા મળતા રાહત
દાંતીવાડા ડેમના ગેટમાં ખામી સુધારવામાં કેટલાક અંશે સફળતા મળતા રાહત
હિસ્ટ્રીશીટરનું પોલીસે સરઘસ કાઢી તેની દાદાગીરી પર ટાઢું પાણી રેડી દીધુ
હિસ્ટ્રીશીટરનું પોલીસે સરઘસ કાઢી તેની દાદાગીરી પર ટાઢું પાણી રેડી દીધુ
આ રાશિ જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે
આ રાશિ જાતકોને આજે અટકેલા નાણાં પરત મળશે
ગુજરાતમાં ફરી થશે માવઠું !
ગુજરાતમાં ફરી થશે માવઠું !
રામલલ્લાને સમર્પિત કરાશે પાકિસ્તાનથી આવેલો પોશાક, જુઓ વીડિયો
રામલલ્લાને સમર્પિત કરાશે પાકિસ્તાનથી આવેલો પોશાક, જુઓ વીડિયો
મહેસાણા અને ઉંઝામાંથી ઝડપાયો નશીલા સિરપનો જથ્થો, 2 સામે કરાઈ કાર્યવાહી
મહેસાણા અને ઉંઝામાંથી ઝડપાયો નશીલા સિરપનો જથ્થો, 2 સામે કરાઈ કાર્યવાહી
બનાસકાંઠાઃ ડીસાના ભીલડીમાંથી 1090 બોટલ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો
બનાસકાંઠાઃ ડીસાના ભીલડીમાંથી 1090 બોટલ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">