Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

What Gujarat Thinks Today Conclave 2025: TV9 નેટવર્કના MD અને CEOએ કહ્યું- ઉદ્યોગ સાહસિકતા તો ગુજરાતીઓના DNAમાં જ છે

સમિટને સંબોધતા TV9ના MD અને CEO બરુણ દાસે ગુજરાત મોડલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઉદ્યોગસાહસિકતા ગુજરાતી લોકોના DNAમાં જ છે. ગુજરાત 2030 સુધીમાં ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને સાકાર કરવાના માર્ગે આગળ વધી રહ્યું છે

What Gujarat Thinks Today Conclave 2025: TV9 નેટવર્કના MD અને CEOએ કહ્યું- ઉદ્યોગ સાહસિકતા તો ગુજરાતીઓના DNAમાં જ છે
Barun Das
Follow Us:
| Updated on: Mar 16, 2025 | 10:13 AM

ભારતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક, TV9 નેટવર્ક દ્વારા શનિવારે અમદાવાદમાં ‘વોટ ગુજરાત થિંક્સ ટુડે કોન્ક્લેવ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ સાથે TV9 નેટવર્કના MD અને CEO બરુણ દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમિટને સંબોધતા TV9ના MD અને CEO બરુણ દાસે ગુજરાત મોડલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકતા ગુજરાતી લોકોના DNAમાં જ છે. ગુજરાત 2030 સુધીમાં ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને સાકાર કરવાના માર્ગે આગળ વધી રહ્યું છે તેમ જણાવતાં બરુણ દાસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે TV9 નેટવર્ક ચેનલ જોનારા લાખો દર્શકો આજે ગુજરાત શું વિચારી રહ્યું છે તે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હશે.

આ TV9 ની પ્રથમ WGTT સમિટ છે. એક સદી કરતા પણ વધુ સમય પહેલા ગોપાલ કૃષ્ણ ગોખલેએ કહ્યું હતું કે બંગાળ આજે જે વિચારે છે તે કાલે ભારત વિચારશે. જો કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે બતાવ્યું છે કે તમે જે વિચારો છો અને તમે જે કરો છો, તમે તે જ બનો છો.”

તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Symbolism: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે
Password વગર પણ કનેક્ટ કરી શકો છો Wi-Fi ! જાણી લેજો આ ટ્રિક

રાજ્યના લોકોના વખાણ કરતાં બરુણ દાસે કહ્યું હતું કે, ”ગુજરાત કેવું રાજ્ય બનવા માંગે છે તે બતાવ્યું છે. રાજ્યએ પ્રગતિશીલ અને સમૃદ્ધ બનવાનું પસંદ કર્યું છે. ગુજરાત મોડલ કંઈક એવું છે જે દર્શાવે છે કે જો કોઈ રાજ્યના લોકો મહેનતુ છે અને આગળ વધવા માગે છે, તો તેમને માત્ર એક સ્વપ્નદ્રષ્ટા નેતાની જરૂર છે જે સતત વિકાસ માટે તેમની ઊર્જા, ઉત્સાહ અને શ્રેષ્ઠતાને પ્રેરણા આપી શકે.” તેમણે વધુમાં કહ્યું, ”PM મોદી ગુજરાત મોડલના સર્જક છે. હું માનું છું કે ઉદ્યોગસાહસિકતા ગુજરાતના ડીએનએમાં છે. તે આશ્ચર્યજનક નથી કે ગુજરાત ભારતની માત્ર 5 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ છતાં તે ભારતની નિકાસમાં લગભગ 31 ટકા અને રાષ્ટ્રીય કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં 8 ટકાથી વધુ યોગદાન આપે છે.’

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">