AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad : જિલ્લામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ

જિલ્લામાં ઝાડા-ઉલટીના 4824, મરડાના 1979 અને સૌથી વધુ શરદી ખાંસીના 9108 કેસ નોંધાયા છે. જોકે સરકારી આંક પ્રમાણે ડેન્ગ્યુંના 121 શંકાસ્પદ કેસ છે અને માત્ર 15 પોઝીટીવ કેસ સામે આવ્યા છે.

Valsad : જિલ્લામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 7:00 AM
Share

વલસાડ જિલ્લામાં પણ પાણીજન્ય રોગોનો રાફડો ફાટી નીકળ્યો છે. ઝાડા, ઉલટી, મરડાના દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલો છલકાઈ રહી છે. તો આરોગ્ય વિભાગ પણ કેસો ઓછા કરવા કામે લાગ્યું છે.

ચોમાસા દરમિયાન વાયરલ ફીવરના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ખાસ કરીને ઝાડા, ઉલટી અને મરડાના દર્દીઓ હોસ્પિટલોમાં જોવા મળે છે. તો પાણીજન્ય રોગ પણ માથું ઉચકે છે. અને ચિકનગુનિયા કે ડેન્ગ્યુ જેવા રોગોથી દર્દીના હાલ બેહાલ થતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લામાં રોગચાળો વકરી રહ્યો હોય એમ દેખાઈ રહ્યું છે. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓમાં વધારો થયો છે. ઓ.પી.ડી માં આવતા દર્દીઓની સંખ્યા વધી છે. તો ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

જો સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ ઉપર નજર કરીએ તો જિલ્લામાં ઝાડા-ઉલટીના 4824, મરડાના 1979 અને સૌથી વધુ શરદી ખાંસીના 9108 કેસ નોંધાયા છે. જોકે સરકારી આંક પ્રમાણે ડેન્ગ્યુંના 121 શંકાસ્પદ કેસ છે અને માત્ર 15 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. તો વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા 1.86 લાખ લોહીના નમુના લેવાયા છે. તો રોગચાળો કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ વિવિધ વિસ્તારોમાં ફોગીંગ કરતું હોવાનો પણ દાવા કરી રહ્યું છે.

કોરોનાની બીજી લહેરએ તબાહી મચાવી હતી. જોકે હાલ થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ સરકારી ચોપડે હાલમાં માત્ર 1 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયો છે. જોકે વલસાડ શહેરમાં દર્દીઓની સંખ્યા વધુ છે અને સરકારી તંત્ર આંકડા છુપાવી રહ્યું છે. મતલબ એ છે કે કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે.

ત્યારે બીજી લહેરમાં પોતાની છબી બચાવવા માટે સરકારે જે રીતે કોરોનાના સાચા આંક છુપાવ્યા હતા. એ રમત ફરી વાર રમ્યા વિના સરકાર સાચા આંકડા સામે લાવીને લોકોને જાગૃત કરે અને ત્રીજી લહેર સામે લડવા મજબુત કરે એ જરૂરી છે કેમકે હાલના પાણીજન્ય રોગમાં ખરેખર કેટલાક દર્દીઓ કોરોના પોઝીટીવ હોય તો પણ નવાઈ નહિ.

આ પણ વાંચો : BMC એ ગણેશ વિસર્જનને લઈને કરી અનોખી વ્યવસ્થા, ચારે બાજુથી થઈ રહી છે વાહ – વાહ !

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 13 સપ્ટેમ્બર: વ્યસ્ત હોવા છતાં, તમે ચોક્કસપણે તમારા અને પરિવાર માટે સમય કાઢી શકશો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">