BMC એ ગણેશ વિસર્જનને લઈને કરી અનોખી વ્યવસ્થા, ચારે બાજુથી થઈ રહી છે વાહ – વાહ !

Ganesh Chaturthi 2021: મુંબઈમાં ગણેશ ઉત્સવનું અનેરુ મહત્વ ઘરાવે છે. આ તહેવાર દરમિયાન કોરોના મહામારીની ત્રીજી લહેર ન ફેલાય તે માટે સરકાર આગમચેતી રૂપે ઘણા પગલા લઈ રહી છે ત્યારે બીએમસી દ્વારા ગણેશ વિસર્જનને લઈને અનોખી પહેલ કરવામાં આવી છે.

BMC એ ગણેશ વિસર્જનને લઈને કરી અનોખી વ્યવસ્થા, ચારે બાજુથી થઈ રહી છે વાહ - વાહ !
સાંકેતીક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 6:42 AM

દર વર્ષે ગણેશ ઉત્સવ લોકો ઉત્સાહથી ઉજવતા હોય છે. મહારાષ્ટ્રમાં આ તહેવારનું તો ખુબ વધારે મહત્વ રહેલુ છે. ભક્તો પોતાની અનુકુળતા મુજબ બાપ્પાની પોતાના ઘરે પધરામણી કરતા હોય છે. એક દીવસ, ત્રણ દીવસ, પાંચ દીવસ, સાત દીવસ તેમજ વધારેમા વધારે દસ સુધી બાપ્પા પોતાના ભક્તોના ઘરે રહીને મહેમાન ગતી માણે છે અને નિયત દીવસે વિસર્જન કરવામાં આવતુ હોય છે. ભક્તો ભારે હ્રદયે બાપ્પાનુ વિસર્જન કરતા હોય છે.

આ વર્ષે ગણપતિ વિસર્જનને લઈને બીએમસીએ એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલથી બીએમસીની ચારેકોર પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમજ આ પહેલમાં લોકોનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

ગણેશ વિસર્જનને લઈને મેકશિફ્ટ મુવિંગ ટ્રકની કરાઈ રચના, જાણીએ શું છે આ ?

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ વખતે મુંબઈકરોને શેરીઓમાં એક નવી વસ્તુ જોવા મળી છે. રસ્તાઓ પર મેકશિફ્ટ મુવિંગ ટ્રકો જોવા મળી રહી છે. એટલે કે  કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. ટ્રકની અંદર એક નાનું તળાવ બનાવવામાં આવ્યું છે. જેથી લોકો આમાં ગણપિતનું વિસર્જન કરી શકે. તેમજ આ ટ્રકો ઘણા વિસ્તારમા મુકવવામા આવશે.

એક પ્રતીષ્ઠીત મીડીયા સાથેની વાતચીત દરમિયાન બીએમસીના કેટલાક અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલમાં લોકોનો પણ સહકાર મળી રહ્યો છે. લોકો પણ હકારાત્મક પ્રતીભાવ આપી રહ્યા છે. લોકો પોતાના ઘરે કે સોસાયટીમાં સ્થાપીત કરેલી મુર્તિને આ ટ્રકમા તૈયાર કરાયેલા કૃત્રીમ તળાવમાં વીસર્જન પણ કરી રહ્યા છે.

કેવી રીતે લોકોને મળશે આ ટ્રક વિશે જાણકારી

બીએમસીના અધિકારીઓએ આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકો સુધી આ ટ્રકની માહીતી પહોચાડવામાં આવશે. આ સાથે જ પાર્ટીના કાર્યકરો પણ લોકોને આ રીતે વિસર્જન કરવા  માટે જાગૃત કરશે તેમજ ટ્રકની માહીતી પણ પહોચાડશે. જે – તે સોસાયટી અને વિસ્તારમાં આ ટ્રક ઉભી રહેશે અને લોકોએ તેમાં મુર્તિ વિસર્જીત કરવાની રહેશે. સાથે અધિકારીઓએ એમ પણ કહ્યુ કે,  વિસર્જન કરવા આવતા લોકો કોરોના ગાઈડ લાઈનનું સંપુર્ણ રીતે પાલન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમા કોવિડના કેસો પણ વધવા લાગ્યા છે. તેમજ નાગપુરમાં તો ત્રીજી લહેર પહોચી ચુકી છે એવું નેતાઓ કહી રહ્યા છે. નાગપુરમાં જે રીતે કેસો વધી રહ્યા છે. તે જોતા લોકડાઉન અને કોરોના પ્રતિબંધો ફરીથી લાગુ કરી દેવામાં આવે તેવી પુરેપુરી શક્યતા રહેલી છે. જેથી આ લહેરને પુરા રાજ્યમાં ફેલાતી અટકાવી શકાય. મુંબઈમાં પણ તહેવારોમાં આગમચેતીના ભાગ રૂપે કડક નિયમો લાદવામાં આવ્યા છે.

બીએમસીની આ નવી પહેલમાં કોરોનાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે સાથે – સાથે પર્યાવરણનો પણ વિચાર કરવામાં આવ્યો છે. આ પહેલથી લોકોનો સમય પણ બચશે. કોરોનાથી બચી પણ શકાશે અને વિસર્જન બાદ ઘણી વાર મુર્તિઓ ખંડીત થઈ જતી હોય છે જેથી ભક્તોની આસ્થાને ઠેસ પહોચતી હોય છે. પરંતુ આના કારણે મુર્તિઓની દુર્દશા થતી અટકશે.

આ પણ વાંચો :  Mumbai Local: જીંદગીથી નિરાશ થઈને અચાનક ટ્રેન સામે આવી ગઈ મહિલા, મોટરમેને સમજદારી પૂર્વક ચાલતી ટ્રેનને રોકી અને બચાવ્યો જીવ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">