બરોડા ડેરીનો વિવાદ : સમાધાન બાદ પણ પ્રશ્નો ન ઉકેલાતા MLA કેતન ઇનામદરે ફરી નારાજગી ઠાલવી, ડેરી પર હલ્લાબોલની તૈયારી

ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનમદારે ચેતવણી આપી છે.જો ત્રણ દિવસમાં ડેરીના સભાસદોને ભાવફેરની રકમ નહીં ચૂકવાય તો, હજારો સભાસદો બરોડા ડેરીનો ઘેરાવ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 4:32 PM

VADODARA : બરોડા ડેરીનો વિવાદ માંડ શાંત પડ્યો હતો ત્યાં ફરી એકવાર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે.ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનમદારે ચેતવણી આપી છે.જો ત્રણ દિવસમાં ડેરીના સભાસદોને ભાવફેરની રકમ નહીં ચૂકવાય તો, હજારો સભાસદો બરોડા ડેરીનો ઘેરાવ કરશે.વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીના હોદ્દેદારોને એકઠા કરીને ઇનામદારે બેઠક યોજી.જેમાં તેઓએ ડેરીના ભાજપના સત્તાધીશોનો ઉધડો લીધો અને ડેરીના સત્તાધીશો ભાજપને કાળો ધબ્બો લગાવતા હોવાનો આરોપ લગાવ્યો.

જોકે ઇનામદારે નામ લીધા વગર બરોડા ડેરીના ભાજપના સત્તાધીશોને નિયત સાફ રાખવા સલાહ આપી.સાથે જ તેમને વાઘોડીયા, કરજણ અને ડભોઇના ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો પણ કેતન ઇનામદારે કર્યો.મહત્વપૂર્ણ છે કે 15મી સપ્ટેમ્બરે ડેરીના ચેરમેન અને કેતન ઇનામદાર વચ્ચે જિલ્લા મોવડી મંડળે સમાધાન કરાવ્યું હતું.જોકે તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં પશુપાલકોને ભાવફેરની યોગ્ય રકમ ન ચૂકવાતા હવે ઇનામદાર લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે.

બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે છેલ્લા લગભગ બે મહિનાથી વિવાદ શરૂ થયો હતો. કેતન ઈનામદાર પહેલા મધુ શ્રીવાસ્તવ પણ ડેરીના સંચાલન સામે સવાલો ઉઠાવી ચૂક્યા છે. વડોદરાના વાઘોડિયા તાલુકાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક વિવાદિત નિવેદન આપી બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યા હતા. જે બાદ 7 સપ્ટેમ્બરે વડોદરાના સાંસદ સહિત ભાજપના મોવડીઓની મધ્યસ્થતાથી બંને નેતાઓ વચ્ચે સમાધાન થયું છે. ધારાસભ્ય કેતન ઈનામદાર અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ વચ્ચે સમાધાન થયું હતું.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી

આ પણ વાંચો : મજૂરીકામ કરતા મુંબઈના આદિલ શેખે મોડેલીંગની લાલચ આપી અમદાવાદની સગીરાને મુંબઈ બોલાવી, જાણો પછી શું થયું

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">