AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું

ગુજરાત સરકાર દ્વારા ગુડ સમરિટન યોજના અંતર્ગત વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ગુડ સમરિટન વેબ રી લોંચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું
Vadodara Sanman
yunus.gazi
| Edited By: | Updated on: Jan 19, 2023 | 6:40 PM
Share

ગુજરાત સરકાર દ્વારા ગુડ સમરિટન યોજના અંતર્ગત વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ગુડ સમરિટન વેબ રી લોંચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા. જેમાં અકસ્માત ગ્રસ્ત લોકોને ત્વરિત મદદ મળી રહે અને પરોપકારની ભાવનાથી મોટા પ્રમાણમા લોકો આગળ આવે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી ‘ગુડ સમરિટન ‘ યોજના અમલમા મુકાઇ છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોનાં જીવ બચવવાનું કાર્ય થઇ રહ્યું છે

મુખ્મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના માનવતાના અને પરોપકારના કાર્યને બિરદાવવા માટે છે. લોકો ગુડ સમરિટન યોજના વિશે જાણે અને ઉપયોગ કરે તો અકસ્માતમાં તથા મૃત્યુ દરને ઘટાડવામાં મદદરૂપ થશે.માર્ગ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોનાં જીવ બચવવાનું કાર્ય તો થઈ જ રહ્યું છે.

શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

પરંતુ આ યોજના અંતર્ગત જીવ બચાવનાર લોકોના કાર્યની સરાહના કરવાનું કાર્ય થઈ રહ્યું છે. આ યોજના વિશે ઉમેરતાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુડ સમરિટન યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

ગુડ સમરીટન્સ પ્રશંસા પત્રો તેમજ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

વિડિયો કોન્ફરન્સ દરમ્યાન વડોદરા જિલ્લાના અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડી જીવનદાન આપનાર કેલાનપુર ગામના રહેવાસી પ્રતાપસિંહ વાઘેલા, વરણામાના બિપીન સાધુ, કાજાપુરાના યોગેશ ઠાકોર, સેગવાના રહેવાસી કનૈયાલાલ પટેલ અને મેરુ આહીરને ગુડ સમરીટન્સ પ્રશંસા પત્રો તેમજ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ વેબ રી લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા ખાતે મેયર તેમજ ધારાસભ્ય કેયુર રોકડીયા, શૈલેષ મહેતા, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા કલેકટર અતુલ ગોર, પોલીસ કમિશ્નર શમસેર સિંગ, એસ.પી. રોહન આનંદ, આર.ટી.ઓ. અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયો હતો.

આ પણ  વાંચો : Gujarat માં યોજાતી ઇવેન્ટનો ચોરી કરતા ઝારખંડની ગેંગના સભ્યની પોલીસે ધરપકડ કરી, 70 મોબાઇલ કબજે કર્યા

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">