AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું

ગુજરાત સરકાર દ્વારા ગુડ સમરિટન યોજના અંતર્ગત વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ગુડ સમરિટન વેબ રી લોંચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું
Vadodara Sanman
yunus.gazi
| Edited By: | Updated on: Jan 19, 2023 | 6:40 PM
Share

ગુજરાત સરકાર દ્વારા ગુડ સમરિટન યોજના અંતર્ગત વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ગુડ સમરિટન વેબ રી લોંચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા. જેમાં અકસ્માત ગ્રસ્ત લોકોને ત્વરિત મદદ મળી રહે અને પરોપકારની ભાવનાથી મોટા પ્રમાણમા લોકો આગળ આવે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી ‘ગુડ સમરિટન ‘ યોજના અમલમા મુકાઇ છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોનાં જીવ બચવવાનું કાર્ય થઇ રહ્યું છે

મુખ્મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના માનવતાના અને પરોપકારના કાર્યને બિરદાવવા માટે છે. લોકો ગુડ સમરિટન યોજના વિશે જાણે અને ઉપયોગ કરે તો અકસ્માતમાં તથા મૃત્યુ દરને ઘટાડવામાં મદદરૂપ થશે.માર્ગ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોનાં જીવ બચવવાનું કાર્ય તો થઈ જ રહ્યું છે.

શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

પરંતુ આ યોજના અંતર્ગત જીવ બચાવનાર લોકોના કાર્યની સરાહના કરવાનું કાર્ય થઈ રહ્યું છે. આ યોજના વિશે ઉમેરતાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુડ સમરિટન યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

ગુડ સમરીટન્સ પ્રશંસા પત્રો તેમજ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

વિડિયો કોન્ફરન્સ દરમ્યાન વડોદરા જિલ્લાના અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડી જીવનદાન આપનાર કેલાનપુર ગામના રહેવાસી પ્રતાપસિંહ વાઘેલા, વરણામાના બિપીન સાધુ, કાજાપુરાના યોગેશ ઠાકોર, સેગવાના રહેવાસી કનૈયાલાલ પટેલ અને મેરુ આહીરને ગુડ સમરીટન્સ પ્રશંસા પત્રો તેમજ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ વેબ રી લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા ખાતે મેયર તેમજ ધારાસભ્ય કેયુર રોકડીયા, શૈલેષ મહેતા, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા કલેકટર અતુલ ગોર, પોલીસ કમિશ્નર શમસેર સિંગ, એસ.પી. રોહન આનંદ, આર.ટી.ઓ. અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયો હતો.

આ પણ  વાંચો : Gujarat માં યોજાતી ઇવેન્ટનો ચોરી કરતા ઝારખંડની ગેંગના સભ્યની પોલીસે ધરપકડ કરી, 70 મોબાઇલ કબજે કર્યા

Follow Us
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">