AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું

ગુજરાત સરકાર દ્વારા ગુડ સમરિટન યોજના અંતર્ગત વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ગુડ સમરિટન વેબ રી લોંચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

Vadodara માં અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સમયસર હોસ્પિટલ લઇ જનાર ગૂડ સમરીટનનું સન્માન કરાયું
Vadodara Sanman
yunus.gazi
| Edited By: | Updated on: Jan 19, 2023 | 6:40 PM
Share

ગુજરાત સરકાર દ્વારા ગુડ સમરિટન યોજના અંતર્ગત વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ગુડ સમરિટન વેબ રી લોંચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા. જેમાં અકસ્માત ગ્રસ્ત લોકોને ત્વરિત મદદ મળી રહે અને પરોપકારની ભાવનાથી મોટા પ્રમાણમા લોકો આગળ આવે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી ‘ગુડ સમરિટન ‘ યોજના અમલમા મુકાઇ છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોનાં જીવ બચવવાનું કાર્ય થઇ રહ્યું છે

મુખ્મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના માનવતાના અને પરોપકારના કાર્યને બિરદાવવા માટે છે. લોકો ગુડ સમરિટન યોજના વિશે જાણે અને ઉપયોગ કરે તો અકસ્માતમાં તથા મૃત્યુ દરને ઘટાડવામાં મદદરૂપ થશે.માર્ગ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોનાં જીવ બચવવાનું કાર્ય તો થઈ જ રહ્યું છે.

શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

પરંતુ આ યોજના અંતર્ગત જીવ બચાવનાર લોકોના કાર્યની સરાહના કરવાનું કાર્ય થઈ રહ્યું છે. આ યોજના વિશે ઉમેરતાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુડ સમરિટન યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

ગુડ સમરીટન્સ પ્રશંસા પત્રો તેમજ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

વિડિયો કોન્ફરન્સ દરમ્યાન વડોદરા જિલ્લાના અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડી જીવનદાન આપનાર કેલાનપુર ગામના રહેવાસી પ્રતાપસિંહ વાઘેલા, વરણામાના બિપીન સાધુ, કાજાપુરાના યોગેશ ઠાકોર, સેગવાના રહેવાસી કનૈયાલાલ પટેલ અને મેરુ આહીરને ગુડ સમરીટન્સ પ્રશંસા પત્રો તેમજ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ વેબ રી લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા ખાતે મેયર તેમજ ધારાસભ્ય કેયુર રોકડીયા, શૈલેષ મહેતા, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા કલેકટર અતુલ ગોર, પોલીસ કમિશ્નર શમસેર સિંગ, એસ.પી. રોહન આનંદ, આર.ટી.ઓ. અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયો હતો.

આ પણ  વાંચો : Gujarat માં યોજાતી ઇવેન્ટનો ચોરી કરતા ઝારખંડની ગેંગના સભ્યની પોલીસે ધરપકડ કરી, 70 મોબાઇલ કબજે કર્યા

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">