Surat : ડુમસ આઇકોનિક રોડ પર કરાશે યોગા દિવસની ઉજવણી, 18 હજાર કરતા વધુ લોકો જોડાશે

મેયર (Mayor )હેમાલી બોઘાવાલાની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કક્ષાના ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ની ઉજવણી સુરત એરપોર્ટ આઇકોનીક રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Surat : ડુમસ આઇકોનિક રોડ પર કરાશે યોગા દિવસની ઉજવણી, 18 હજાર કરતા વધુ લોકો જોડાશે
World Yoga Day (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 9:23 AM

આગામી તારીખ 21 જુનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ(World Yoga Day ) અંતર્ગત સુરત મનપા(SMC)  દ્વારા આઝાદી કા અમૃતમહોત્સવ નિમિત્તે ભારત સરકાર(Government ) તથા રાજ્ય સરકારના ‘માનવતા માટે યોગા’ની થીમ સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-ડુમસ રોડ પ૨ ઓએનજીસી બ્રિજથી સુરત એરપોર્ટ સુધીના આઇકોનિક રોડ પ૨ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ડુમસથી સુરત તરફ આવતાં રોડ પર સવારે પોણા છ વાગ્યાથી 7.45 વાગ્યા સુધી વિશ્વ યોગા દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ યોગા છે. આ યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તેમજ માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની – 69મી સામાન્ય સભા સામે 21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા તેને મંજુરી આપવામાં આવતા સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ-2015થી દર વર્ષ તારીખ 21 જૂનના રોજથી જુદી જુદી થીમ પર આ દિવસ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર અને રાજય સરકારના ‘‘માનવતા માટે યોગા (Yoga for Humanity)ના થીમ સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ 21 જૂનના રોજ સવારે 5.45 વાગ્યાથી સવારે 7.45 દરમ્યાન મેયર હેમાલી બોઘાવાલાની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કક્ષાના ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ની ઉજવણી સુરત એરપોર્ટ આઇકોનીક રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ શહેરના વિવિધ વોર્ડમાં પણ મનપા દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા આયોજીત કાર્યક્રમમાં 18 હજારથી વધુ લોકો ભાગ લેશે.

તદ્ઉપરાંત શિક્ષણ સમિતિ હસ્તકની 334 શાળાઓ અને 16 સુમન શાળાઓ ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ઝોન વિસ્તારોમાં યોગના સેન્ટરો ખાતે માસ્ટર ટ્રેઇનરો ઉપલબ્ધ કરાવવા આર્ટ ઓફ લિવિંગ, પતંજલિ યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.

અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">