Surat : પ્લાસ્ટિક માણસો જ નહીં પણ પ્રાણીઓ માટે પણ કેટલું ખતરનાક તેનો વધુ એક પુરાવો આવ્યો સામે, સુરતમાં બે સાપના પેટમાંથી મળી આવ્યું પ્લાસ્ટિક

|

Jul 09, 2022 | 10:43 AM

એ જ રીતે, એક દિવસ પીપલોદ વિસ્તારમાંથી અન્ય એક સાપ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. એ સાપમાં થોડો જીવ બચ્યો હતો, તેથી તરત જ તેનો પણ એક્સ-રે (X-Ray) કરવામાં આવ્યો. જેમાં તેના પેટમાંથી ઓડિયો કેસેટની લાંબી પ્લાસ્ટિક ટેપની રીલ મળી આવી હતી. ટેપ કાઢીને પેટ સાફ કરીને એ સાપનો જીવ બચાવવામાં આવ્યો હતો.

Surat : પ્લાસ્ટિક માણસો જ નહીં પણ પ્રાણીઓ માટે પણ કેટલું ખતરનાક તેનો વધુ એક પુરાવો આવ્યો સામે, સુરતમાં બે સાપના પેટમાંથી મળી આવ્યું પ્લાસ્ટિક
સુરતમાં સાપના પેટમાંથી નિક્ળ્યો સાપ

Follow us on

પ્લાસ્ટિક પ્રદૂષણ (Plastic pollution) માત્ર મનુષ્યો અને પ્રાણીઓ તેમજ પક્ષીઓ માટે જ નહીં, પરંતુ સરિસૃપો માટે પણ જીવલેણ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવો કેટલો જરૂરી હતો તેની ગંભીરતા સુરતમાં (Surat City) હાથ ધરાયેલા એક રિસર્ચમાં સામે આવી છે. સાપના પેટમાંથી પણ પ્લાસ્ટિક નીકળુ છે. સુરતમાં રેટલ સ્નેક (ધમીન) બોટલ અને ટ્રિંકેટ સ્નેક (રૂપ સુંદરી) ઓડિયો કેસેટની લાંબી ટેપ ગળી ગયા હતા. આ પછી VNSGUના બે વિદ્યાર્થીઓને એવો વિચાર આવ્યો કે શા માટે પર્યાવરણીય જોખમનું આ પાસું વિશ્વને જણાવવું તેમણે આ વિષય પર સંશોધન પત્ર તૈયાર કરવાનો પણ વિચાર કર્યો છે.

શું છે સમગ્ર મામલો ?

સુરતમાં, VNSGUના ઝૂઓલોજી વિભાગમાંથી પીએચડી કરી રહેલા દિકાંશ પરમારને એક સાપ (ધામિન) બીમાર હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે દીક્ષાંતે એ સાપનો એક્સ-રે કરાવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેના પેટમાં પ્લાસ્ટિકનો નક્કર પદાર્થ હતો. જ્યારે સાપનું પેટ સાફ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી હોમિયોપેથિક દવાની 5 પ્લાસ્ટિકની બોટલો નીકળી હતી. બોટલ બહાર આવ્યા બાદ દર સાપને રાહત થઈ હતી. કેટલાક દિવસો સુધી તેની સંભાળ રાખ્યા બાદ તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો.

એ જ રીતે, એક દિવસ પીપલોદ વિસ્તારમાંથી અન્ય એક સાપ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. એ સાપમાં થોડો જીવ બચ્યો હતો, તેથી તરત જ તેનો પણ એક્સ-રે કરવામાં આવ્યો. જેમાં તેના પેટમાંથી ઓડિયો કેસેટની લાંબી પ્લાસ્ટિક ટેપની રીલ મળી આવી હતી. ટેપ કાઢીને પેટ સાફ કરીને એ સાપનો જીવ બચાવવામાં આવ્યો હતો.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

પ્લાસ્ટિક પર ઉંદરની વાસ આવવાને કારણે સાપ પ્લાસ્ટીક ગળી ગયો

દિકાંશે જણાવ્યું કે બે સાપના પેટમાંથી પ્લાસ્ટિક મળ્યા બાદ તેને અને તેની સાથે પીએચડી કરી રહેલા વ્રજેશ પટેલને આ વિષય પર સંશોધન કરવાનો વિચાર આવ્યો. તેમની સામે પહેલો પ્રશ્ન એ હતો કે વન્ય પ્રાણીઓ પ્લાસ્ટિકને ખોરાક તરીકે કેમ ખાય છે? રિસર્ચમાં જાણવા મળ્યું કે સાપના પેટમાંથી મળેલી હોમિયોપેથિક દવાની પાંચ પ્લાસ્ટિક બોટલમાંથી ઉંદરની ગંધ આવે છે. આ ગંધથી આકર્ષાઈને સાપ તેને નાનો ઉંદર સમજીને પ્લાસ્ટિકની બોટલ ગળી ગયો હશે. એ જ રીતે, બીજા સાપના (રૂપ સુંદરી)  પેટમાંથી મળેલી ઓડિયો કેસેટ ટેપમાં નાના પ્રાણીની ગંધ આવતી હશે, અને સાપ જીવની ભાવનામાં ટેપને ગળી ગયો. તેઓ રિસર્ચ પેપરમાં વન્યજીવોની સાથે પાણીમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પ્લાસ્ટિક કેટલું જોખમી છે તેનો ઉલ્લેખ કરવા માંગે છે.

અત્યાર સુધી ગાય, બકરા અને અન્ય પ્રાણીઓના પેટમાંથી ઘણા કિલો પ્લાસ્ટિક કાઢવા માટેના  ઘણા ઓપરેશન અને ફોટોગ્રાફ્સ બહાર આવ્યા છે, પરંતુ બે વિદ્યાર્થીઓને  થયેલા અનુભવના આધારે સંશોધન કરવા અને  વિચારવા માટે મજબૂર કરી દીધું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પૃથ્વીના દરેક જીવંત અથવા મૃત વ્યક્તિ કે પ્રાણીઓ પર પણ કેટલું અસર કરે છે.

Next Article