Surat : ભાજપ છોડી “આપ” માં ફરી જોડાનાર મહિલા કોર્પોરેટરને ગેરલાયક ઠેરવવા સરકારને પત્ર

જોડતોડની રાજનીતિ હાલ ચરમસીમાએ છે. પહેલા આપમાંથી ભાજપમાં ગયા બાદ હવે 37 દિવસમાં જ ફરી પાછા આમ આદમી પાર્ટીમાં જોડાનાર મહિલા કોર્પોરેટર વિરુદ્ધ હવે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાની બાબત બની રહેશે. 

Surat : ભાજપ છોડી આપ માં ફરી જોડાનાર મહિલા કોર્પોરેટરને ગેરલાયક ઠેરવવા સરકારને પત્ર
etter to the government to disqualify a woman corporator who left BJP and rejoined AAP(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 9:08 AM

આમ આદમી પાર્ટીમાંથી(AAP)  પક્ષ પલ્ટો કરીને ભાજપનો (BJP) કેસરિયો ધારણ કરનાર વોર્ડ નંબર 5 ના મહિલા કોર્પોરેટર મનીષાબેન કૂકડિયાએ પાટલી બદલ્યા બાદ એક જ મહિનામાં ફરી ભાજપ સાથે છેડો ફાડી આપ સાથે જવાનો નિર્ણય કર્યો છે . ગયા અઠવાડિયે જ આપ ના પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં મનીષાબેન કૂકડિયાએ આપ માં પુનરાગમન કર્યુ હતું .

નોંધનીય છે કે આમ આદમી પાર્ટી માંથી તબક્કાવાર 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા . જે બાદ શહેરના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમયે વોર્ડ નંબર 5 ના મહિલા કોર્પોરેટર મનીષાબેન કૂકડિયાએ ગત તારીખ 14 માર્ચે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા વિના તથા પક્ષને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા .

જે બાબતે મનપાના શાસકપક્ષ નેતા અમિત રાજપૂતે રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવને પત્ર પાઠવી ગુજરાતના પક્ષાંતર બાબતના અધિનિયમની કલમોને તાકીને મનીષાબેન કૂકડિયાનું સભ્યપદ રદ કરવાની માગણી કરી છે . નિર્દિષ્ટ કલમો મુજબ , કોઇપણ રાજકીયપક્ષના કાઉન્સિલર અથવા સભ્યએ રાજકીય પક્ષનું તેનું સભ્યપદ સ્વૈચ્છાપૂર્વક છોડી દીધું હોય તો સભ્ય થવા માટે ગેરલાયક ઠરે છે .

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર મનીષાબેન કૂકડિયાએ ભાજપનું સભ્યપદ સ્વૈચ્છાપૂર્વક છોડી દીધું હોવાથી નિયમ મુજબ તેઓ સભ્ય થવા માટે ગેરલાયક ઠરે છે. આ અંગે શાસકપક્ષ નેતા અમિત રાજપૂતે જણાવ્યું કે , પક્ષાંતર ધારાના નિયમ મુજબ પક્ષાંતરને કારણે ગેરલાયક સંબંધી પ્રશ્ન અંગે નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારના મુખ્ય સચિવને અથવા રાજ્ય સરકારના કોઇપણ વિભાગના સચિવ દરજ્જા કરતાં નીચે ન હોય તેવાં અધિકારીને રાજ્ય સરકાર નિર્દિષ્ટ કરે એ અધિકારીએ કરવાના હોય છે . મનપાનું કાર્યક્ષેત્ર રાજ્યના શહેરી વિકાસ વિભાગ હસ્તક હોવાથી શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવને આ અંગે પત્ર પાઠવાયો છે .

નોંધનીય છે કે હવે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. ત્યારે જોડતોડની રાજનીતિ હાલ ચરમસીમાએ છે. પહેલા આપમાંથી ભાજપમાં ગયા બાદ હવે 37 દિવસમાં જ ફરી પાછા આમ આદમી પાર્ટીમાં જોડાનાર મહિલા કોર્પોરેટર વિરુદ્ધ હવે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાની બાબત બની રહેશે.

આ પણ વાંચો :

Surat : ઉધના યાર્ડમાં ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, મૃતદેહ સૂકા ઘાસથી ઢાંકી ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા

Surat : અમરોલીમાં ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાની જહેમત, શહેરમાં વધુ એક બ્રિજ બનાવવા પાલિકાએ તજવીજ હાથ ધરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">