AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : અમરોલીમાં ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાની જહેમત, શહેરમાં વધુ એક બ્રિજ બનાવવા પાલિકાએ તજવીજ હાથ ધરી

કન્સલટન્ટ દ્વારા 72.53 કરોડ રૂપિયાના ગ્રોસ અંદાજ તૈયાર ક૨વામાં આવ્યા છે. આ બ્રિજનું નિર્માણ થયા બાદ રત્નમાળા જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘણે અંશે ઘટી જશે અને સમય , ઇંધણની બચત થઇ શકશે.

Surat : અમરોલીમાં ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાની જહેમત, શહેરમાં વધુ એક બ્રિજ બનાવવા પાલિકાએ તજવીજ હાથ ધરી
SMC proposes to build one more bridge in the city to solve traffic problem in Amaroli (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 22, 2022 | 12:40 PM
Share

સુરત (Surat )થી અમરોલી તરફ જતાં માર્ગ પર રત્નમાળા જંક્શન તથા ગજેરા જંક્શન પર બીઆરટીએસ રૂટને અનુરૂપ ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની તજવીજ સુરત મહાનગરપાલિકા (Surat corporation) દ્વારા હાથ ધરવામાં આવી છે. આ જંક્શન પર ટ્રાફિકની સમસ્યા ખૂબ રહે છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થતા રહે છે, ત્યારે હવે પાલિકા દ્વારા અહીં ઓવરબ્રિજ બનાવીને ટ્રાફિકની સમસ્યા (Traffic Problem)નું નિવારણ લાવવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે.સુરતમાં રત્નમાળા જંક્શન તથા ગજેરા જંક્શન પર ટ્રાફિકની સમસ્યાને પગલે વર્ષોથી અહીં ફ્લાયઓવર બ્રિજ બનાવવાની માગણી થતી આવી છે .

સુરત મનપા દ્વારા આ જંક્શન પર અમરોલી તરફથી ગજેરા સર્કલ તરફ જતાં તેમજ આવતાં રૂટ પર બીઆરટીએસ રૂટને અનુરૂપ ફ્લાયઓવર બ્રિજ બનાવવા અંગેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. સુરતમાં માનવ વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે તેવા સમયે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બ્રિજ મહત્વના સાબિત થયા છે. શહેરમાં વધુને વધુ બ્રિજનું આયોજન કરીને દુરંદેશીનો પરિચય મનપાના તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

આ જંક્શન પર ટ્રાફિકની સમસ્યા ખૂબ રહે છે.જેના કારણે સ્થાનિકો પરેશાન છે. આ સમસ્યાને પગલે વર્ષોથી અહીં ફ્લાયઓવર બ્રિજ બનાવવાની માગણી થતી આવી છે . ત્યારે સુરત મનપા દ્વારા આ જંક્શન પર અમરોલી તરફથી ગજેરા સર્કલ તરફ જતાં તેમજ આવતાં રૂટ પર બીઆરટીએસ રૂટને અનુરૂપ ફ્લાયઓવર બ્રિજ બનાવવા અંગેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો .

રત્નમાળા એપાર્ટમેન્ટ પાસેના જંક્શન નજીક ગજેરા સર્કલ જંક્શનની સાથે ગજેરા સર્કલ જંક્શનનો પણ સમાવેશ કરી સંયુક્ત ફ્લાયઓવર બ્રિજનું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. ડીઝાઇન કન્સલટન્ટ દ્વારા 10 ફેબ્રુઆરી , 2022ના રોજ રત્નમાળા એપાર્ટમેન્ટ નજીકના જંક્શન પ૨ બે લેનનો ફ્લાયઓવર બ્રિજ બનાવવો હિતાવહ હોવાનો અભિપ્રાય આપી તે અનુસાર નક્શા અને અંદાજ તૈયાર કર્યા છે. કાસાનગર જંક્શનથી અમરોલી તરફ અને અમરોલી તરફથી કાસાનગર જંક્શન તરફના 1100 મીટર લાંબા, બે લેનના બ્રિજનો કેરેજ – વે ઉપલબ્ધ થશે.

કન્સલટન્ટ દ્વારા 72.53 કરોડ રૂપિયાના ગ્રોસ અંદાજ તૈયાર ક૨વામાં આવ્યા છે. આ બ્રિજનું નિર્માણ થયા બાદ રત્નમાળા જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘણે અંશે ઘટી જશે અને સમય , ઇંધણની બચત થઇ શકશે. આ પ્રોજેક્ટના અંદાજની મંજૂરી હેતુ જાહેર બાંધકામ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ થઇ છે. સ્વર્ણિમ જંયતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં પાંચ કરોડની ફાળવણી આ પ્રોજેક્ટ માટે કરવામાં આવી છે.

આ પણ વાંચો-

CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક, લેવાયા મહત્વનાં નિર્ણયો, સ્ટીલ મટીરિયલના વધતા ભાવોને લઈ સરકારી કામો અટવાયા, એક સાથે SORનો ભાવ વધારવા મુખ્યપ્રધાને સૂચના આપી

આ પણ વાંચો-

Gandhinagar: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 માર્ચે આવશે ગુજરાત, કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">