પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર ભૂલીને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરશે કોંગ્રેસ, BJP-AAPને રોકવા બનાવી ખાસ રણનીતિ

રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં દિલ્હી અને પંજાબમાંથી નેતાઓ અને કાર્યકરોને ગુજરાતમાં મોકલવા લેવાયો નિર્ણય. આ સાથે તે AAPની ખામીઓ ગણશે.

પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર ભૂલીને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરશે કોંગ્રેસ, BJP-AAPને રોકવા બનાવી ખાસ રણનીતિ
Rahul Gandhi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 9:57 PM

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસે (Congress) હવે ગુજરાત તરફ નજર ફેરવી છે. પાંચ રાજ્યોમાં મળેલી હારને ભૂલીને પાર્ટીએ હવે ગુજરાત પર ફોકસ કરવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન ભાજપનો (BJP) મુકાબલો કરવા અને આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાતમાં આગળ વધતી રોકવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં ભાજપની સાથે-સાથે AAP વિરુદ્ધ પણ આક્રમક પ્રચાર કરવા પર સહમતિ સધાઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા પક્ષના નેતાની પસંદગી તાજેતરમાં કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ ટૂંક સમયમાં જ સંગઠનનું વિસ્તરણ કરશે અને લોકોને AAP કે BJPમાં જોડાતા રોકવા માટે કામ કરશે. ઘણા રાજ્યોમાં પક્ષપલટાના કારણે કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં પાર્ટીએ પણ પોતાની ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાનું શરૂ કરી દીધું છે. રાહુલ ગાંધીને 6 એપ્રિલે સાબરમતી આશ્રમથી શરૂ થનારી યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આના દ્વારા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ વાતાવરણ સર્જાવા અને AAPને પોતાના તરફી વાતાવરણ સર્જતા અટકાવવામાં આવશે.

કોંગ્રેસ પણ AAP સામે આક્રમક રહેશે

બેઠકમાં એવી પણ સહમતી સધાઈ છે કે કોંગ્રેસ દિલ્હી અને પંજાબમાંથી નેતાઓ અને કાર્યકરોને ગુજરાતમાં મોકલશે. આ કાર્યકરો અને નેતાઓ AAPની ખામીઓ ગણાવશે. આ માટે વિડિયો ક્લિપ્સ, જાહેરાત વગેરેનો ઉપયોગ કરવામાં આવશે. કોંગ્રેસ પણ આ વખતે ચૂંટણીમાં AAP વિરુદ્ધ જોરશોરથી પ્રચાર કરશે. AAP ને ભાજપની B ટીમ તરીકે ગણાવવા નેતાઓ દ્વારા આક્રમક રીતે પ્રચાર કરવામાં આવશે. બેઠકમાં નેતાઓને હવેથી ભાજપ સામે જનતાના પ્રશ્નોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તેની પાછળનો હેતુ સમયાંતરે તે મુદ્દાઓને ઉઠાવવાનો છે, જેથી કરીને ચૂંટણી દરમિયાન ભાજપને ઘેરી શકાય.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ચૂંટણી હારમાંથી શીખ લીધી

ગુજરાત કોંગ્રેસના નેતાઓની આ બેઠકમાં આ વખતે ભાજપને વધુ આક્રમકતા સાથે ઘેરવામાં આવશે તેવો સહમતિ સધાઈ છે. કોંગ્રેસના નેતાઓ પહેલા આદિવાસીઓ માટે પાણીનો મુદ્દો ઉઠાવશે. આ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ આ માટે દક્ષિણ ગુજરાતમાં બંધ બાંધવાનો વિરોધ કરી રહેલા આદિવાસીઓને મજબૂત સમર્થન આપશે. ભાજપ સામે સતત ચૂંટણીમાં મળેલી હાર અને પંજાબમાં AAPના રાજકીય ઉદય પછી કોંગ્રેસને હવે બેવડી વ્યૂહરચના પર કામ કરવાની ફરજ પડી છે. તેથી હવે આ દિશામાં પગલા ભરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ

Rajkot: જિલ્લા કલેક્ટરે EVM ના વેર હાઉસની લીધી મુલાકાત, સરકારી વાહનોની યાદી મંગાવાઇ

આ પણ વાંચોઃ

Gujarat વિધાનસભા ચૂંટણી પૂર્વે કોળી સમાજમાં બે ભાગલા, દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા આમને-સામને

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">