Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર ભૂલીને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરશે કોંગ્રેસ, BJP-AAPને રોકવા બનાવી ખાસ રણનીતિ

રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં દિલ્હી અને પંજાબમાંથી નેતાઓ અને કાર્યકરોને ગુજરાતમાં મોકલવા લેવાયો નિર્ણય. આ સાથે તે AAPની ખામીઓ ગણશે.

પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર ભૂલીને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરશે કોંગ્રેસ, BJP-AAPને રોકવા બનાવી ખાસ રણનીતિ
Rahul Gandhi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 9:57 PM

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસે (Congress) હવે ગુજરાત તરફ નજર ફેરવી છે. પાંચ રાજ્યોમાં મળેલી હારને ભૂલીને પાર્ટીએ હવે ગુજરાત પર ફોકસ કરવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન ભાજપનો (BJP) મુકાબલો કરવા અને આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાતમાં આગળ વધતી રોકવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં ભાજપની સાથે-સાથે AAP વિરુદ્ધ પણ આક્રમક પ્રચાર કરવા પર સહમતિ સધાઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા પક્ષના નેતાની પસંદગી તાજેતરમાં કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ ટૂંક સમયમાં જ સંગઠનનું વિસ્તરણ કરશે અને લોકોને AAP કે BJPમાં જોડાતા રોકવા માટે કામ કરશે. ઘણા રાજ્યોમાં પક્ષપલટાના કારણે કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં પાર્ટીએ પણ પોતાની ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાનું શરૂ કરી દીધું છે. રાહુલ ગાંધીને 6 એપ્રિલે સાબરમતી આશ્રમથી શરૂ થનારી યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આના દ્વારા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ વાતાવરણ સર્જાવા અને AAPને પોતાના તરફી વાતાવરણ સર્જતા અટકાવવામાં આવશે.

કોંગ્રેસ પણ AAP સામે આક્રમક રહેશે

બેઠકમાં એવી પણ સહમતી સધાઈ છે કે કોંગ્રેસ દિલ્હી અને પંજાબમાંથી નેતાઓ અને કાર્યકરોને ગુજરાતમાં મોકલશે. આ કાર્યકરો અને નેતાઓ AAPની ખામીઓ ગણાવશે. આ માટે વિડિયો ક્લિપ્સ, જાહેરાત વગેરેનો ઉપયોગ કરવામાં આવશે. કોંગ્રેસ પણ આ વખતે ચૂંટણીમાં AAP વિરુદ્ધ જોરશોરથી પ્રચાર કરશે. AAP ને ભાજપની B ટીમ તરીકે ગણાવવા નેતાઓ દ્વારા આક્રમક રીતે પ્રચાર કરવામાં આવશે. બેઠકમાં નેતાઓને હવેથી ભાજપ સામે જનતાના પ્રશ્નોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તેની પાછળનો હેતુ સમયાંતરે તે મુદ્દાઓને ઉઠાવવાનો છે, જેથી કરીને ચૂંટણી દરમિયાન ભાજપને ઘેરી શકાય.

ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ચૂંટણી હારમાંથી શીખ લીધી

ગુજરાત કોંગ્રેસના નેતાઓની આ બેઠકમાં આ વખતે ભાજપને વધુ આક્રમકતા સાથે ઘેરવામાં આવશે તેવો સહમતિ સધાઈ છે. કોંગ્રેસના નેતાઓ પહેલા આદિવાસીઓ માટે પાણીનો મુદ્દો ઉઠાવશે. આ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ આ માટે દક્ષિણ ગુજરાતમાં બંધ બાંધવાનો વિરોધ કરી રહેલા આદિવાસીઓને મજબૂત સમર્થન આપશે. ભાજપ સામે સતત ચૂંટણીમાં મળેલી હાર અને પંજાબમાં AAPના રાજકીય ઉદય પછી કોંગ્રેસને હવે બેવડી વ્યૂહરચના પર કામ કરવાની ફરજ પડી છે. તેથી હવે આ દિશામાં પગલા ભરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ

Rajkot: જિલ્લા કલેક્ટરે EVM ના વેર હાઉસની લીધી મુલાકાત, સરકારી વાહનોની યાદી મંગાવાઇ

આ પણ વાંચોઃ

Gujarat વિધાનસભા ચૂંટણી પૂર્વે કોળી સમાજમાં બે ભાગલા, દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા આમને-સામને

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
g clip-path="url(#clip0_868_265)">