AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર ભૂલીને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરશે કોંગ્રેસ, BJP-AAPને રોકવા બનાવી ખાસ રણનીતિ

રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં દિલ્હી અને પંજાબમાંથી નેતાઓ અને કાર્યકરોને ગુજરાતમાં મોકલવા લેવાયો નિર્ણય. આ સાથે તે AAPની ખામીઓ ગણશે.

પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર ભૂલીને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરશે કોંગ્રેસ, BJP-AAPને રોકવા બનાવી ખાસ રણનીતિ
Rahul Gandhi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 9:57 PM
Share

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસે (Congress) હવે ગુજરાત તરફ નજર ફેરવી છે. પાંચ રાજ્યોમાં મળેલી હારને ભૂલીને પાર્ટીએ હવે ગુજરાત પર ફોકસ કરવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન ભાજપનો (BJP) મુકાબલો કરવા અને આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાતમાં આગળ વધતી રોકવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં ભાજપની સાથે-સાથે AAP વિરુદ્ધ પણ આક્રમક પ્રચાર કરવા પર સહમતિ સધાઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા પક્ષના નેતાની પસંદગી તાજેતરમાં કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ ટૂંક સમયમાં જ સંગઠનનું વિસ્તરણ કરશે અને લોકોને AAP કે BJPમાં જોડાતા રોકવા માટે કામ કરશે. ઘણા રાજ્યોમાં પક્ષપલટાના કારણે કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં પાર્ટીએ પણ પોતાની ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાનું શરૂ કરી દીધું છે. રાહુલ ગાંધીને 6 એપ્રિલે સાબરમતી આશ્રમથી શરૂ થનારી યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આના દ્વારા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ વાતાવરણ સર્જાવા અને AAPને પોતાના તરફી વાતાવરણ સર્જતા અટકાવવામાં આવશે.

કોંગ્રેસ પણ AAP સામે આક્રમક રહેશે

બેઠકમાં એવી પણ સહમતી સધાઈ છે કે કોંગ્રેસ દિલ્હી અને પંજાબમાંથી નેતાઓ અને કાર્યકરોને ગુજરાતમાં મોકલશે. આ કાર્યકરો અને નેતાઓ AAPની ખામીઓ ગણાવશે. આ માટે વિડિયો ક્લિપ્સ, જાહેરાત વગેરેનો ઉપયોગ કરવામાં આવશે. કોંગ્રેસ પણ આ વખતે ચૂંટણીમાં AAP વિરુદ્ધ જોરશોરથી પ્રચાર કરશે. AAP ને ભાજપની B ટીમ તરીકે ગણાવવા નેતાઓ દ્વારા આક્રમક રીતે પ્રચાર કરવામાં આવશે. બેઠકમાં નેતાઓને હવેથી ભાજપ સામે જનતાના પ્રશ્નોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તેની પાછળનો હેતુ સમયાંતરે તે મુદ્દાઓને ઉઠાવવાનો છે, જેથી કરીને ચૂંટણી દરમિયાન ભાજપને ઘેરી શકાય.

ચૂંટણી હારમાંથી શીખ લીધી

ગુજરાત કોંગ્રેસના નેતાઓની આ બેઠકમાં આ વખતે ભાજપને વધુ આક્રમકતા સાથે ઘેરવામાં આવશે તેવો સહમતિ સધાઈ છે. કોંગ્રેસના નેતાઓ પહેલા આદિવાસીઓ માટે પાણીનો મુદ્દો ઉઠાવશે. આ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ આ માટે દક્ષિણ ગુજરાતમાં બંધ બાંધવાનો વિરોધ કરી રહેલા આદિવાસીઓને મજબૂત સમર્થન આપશે. ભાજપ સામે સતત ચૂંટણીમાં મળેલી હાર અને પંજાબમાં AAPના રાજકીય ઉદય પછી કોંગ્રેસને હવે બેવડી વ્યૂહરચના પર કામ કરવાની ફરજ પડી છે. તેથી હવે આ દિશામાં પગલા ભરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ

Rajkot: જિલ્લા કલેક્ટરે EVM ના વેર હાઉસની લીધી મુલાકાત, સરકારી વાહનોની યાદી મંગાવાઇ

આ પણ વાંચોઃ

Gujarat વિધાનસભા ચૂંટણી પૂર્વે કોળી સમાજમાં બે ભાગલા, દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા આમને-સામને

Follow Us
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">